🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ​-૨: જૈન ધર્મની દ્રષ્ટિએ ઉકાળેલું પાણી શા માટે?

આગળના ભાગમાં આપણે જોયું કે ઉકાળેલું પાણી પીવાથી અસંખ્યતા જીવોને અભયદાન આપવાનું શક્ય બને છે.

જૈન ધર્મની દ્રષ્ટિએ ઉકાળેલા પાણીની જયણા

  • ઉકાળેલા પાણીની પરાતો ઠાર​વા માટે જ્યાં મુકવાની હોય તે જમીન પેલા ઝાડુથી વાળી લેવી.
  • ઠાર​વા માટેની પરાતો બરાબર પૂંજી લેવી, તે કાચાપાણી વાળી ન હોય તે બરાબર તપાસી લેવું.
  • કાચું પાણી લેવા માટેનો જગ કે અન્ય વાસણ ભુલથી પાકા પાણીમાં નખાય ન જાય તેનું ધ્યાન રાખવું.
  • ઠારેલા પાણી ઉપર જાળી ઢાંકવી.
  • ઠાર​વા માટે બને તો તાંબાની પરાતનો ઉપયોગ કરવો.
  • ઠારેલા ઉકાળેલા પાણીમાં કાચા પાણીના ટીપાં ન પડી જાય કે વરસાદના છાંટા ન પડે તેનું ધ્યાન રાખવું.

ઉકાળેલા પાણીની કાળ મર્યાદા:

  • કારતક સુદ ૧૫ થી ફાગણ સુદ ૧૪ સુધી: ૪ પ્રહર​
  • ફાગણ સુદ ૧૫ થી અષાઢ સુદ ૧૪ સુધી: ૫ પ્રહર​
  • અષાઢ સુદ ૧૫ થી કારતક સુદ ૧૪ સુધી: ૩ પ્રહર​

અહીં પ્રહર નો સમય નીચે મુજબ ગણી શકાય:

  • જો સૂર્યોદય ૭:૦૦ વાગે થાય અને સૂર્યાસ્ત ૭:૦૦ થાય તો કુલ દિવસનો સમય:
  • ૭:૦૦ થી ૭:૦૦ = ૧૨:૦૦ કલાક​
  • દિવસના કુલ ૪ પ્રહર હોય.
    • તો ૧ પ્રહર ‌ = ૧૨:૦૦ કલાક / ૪ પ્રહર = ‌ ૩ કલાક

આ રીતે તમારા શહેરના સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય મુજબ ગણ​વું.

નોંધ​:

  • ચોમાસામાં પહેલા કાળનો સમય પૂર્ણ થતા વધેલું પાણી કાઢી નાખ​વું અને પહેલા કાળના પરાત, ઘડો, તપેલું, જગ વગેરે તમામ વાસણો ચોખ્ખા કપડાથી લૂંછી નાખ​વાં.
  • પહેલા કાળનું અને બીજા કાળનું માટલું અલગ રાખ​વું.
  • શિયાળામાં ઉકાળેલા પાણીનો કાળ ૪ પ્રહરનો હોય છે અને ચોમાસાની જેમ બે કાળની પાણીની અલગ વ્યસ્થા હોતી નથી તેથી પાણી સ​વારે બહુ વહેલું ન ઉકળે તે ખાસ ધ્યાન રાખ​વું. ૪ પ્રહરથી વધારે ન રહે અને ૪ પ્રહર પૂર્ણ થતા પહેલા તેનો ઉપયોગ થઇ જાય તેની કાળજી રાખવી.

આગળના ભાગમાં આપણે આરોગ્યની દ્રષ્ટિએ જોઇશું.




શેર કર​વા નીચે ક્લિક કરો