🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૯: કોઇ પણ ધર્મની પરીક્ષા કેવી રીતે કર​વી?

આગળનાં ભાગમા આપણે જોયું કે જૈન ધર્મ આપણને શું શીખ​વે છે તો ચાલો હ​વે આપણે જૈન ધર્મ ને કસોટીની એરણ પર લઇ જઇએ…

આપણે જૈન ધર્મને કસોટીની એરણ પર લઇ જઇએ એ પહેલા આપણે જોઇએ કે ઉત્તમ ધર્મ કોને કહેવાય​?

ઉત્તમ ધર્મનાં ત્રણ લક્ષણો:

૧. અહિંસા - ધર્મમાં અહિંસાને કેવું સ્થાન પ્રાપ્ત થયેલું છે?

  • જે ધર્મમાં પ્રાણીઓને યજ્ઞમાં હોમવા, પ્રાણીઓની કુરબાની કરવી, દેવ દેવીઓને પ્રસન્ન કરવા પ્રાણીઓનો વધ કરવો અથ​વા તો એક યા બીજા પ્રકારે હિંસાની હિમાયત કરી હોય તો તે ધર્મ ઉત્તમ ધર્મ નથી…

૨. સંયમ​ - ધર્મમાં સંયમને કેટલું સ્થાન છે?

  • જે ધર્મમાં એક યા બીજા પ્રકારે મોજશોખ​ કે ભોગવિલાસની છૂટ આપવામાં આવી હોય અને ઇન્દ્રિયોને દમવા પર ખાસ ભાર મૂકાયો ન હોય, તો સમજવું કે તો તે ધર્મ ઉત્તમ ધર્મ નથી…

૩. તપ​ - ધર્મમાં તપને કેટલું સ્થાન અપાયેલું છે?

  • જે ધર્મમાં તપ પર ખાસ ભાર મૂકાયો ન હોય તો એ ધર્મ કર્મનો નાશ કરી શકશે નહિ તો સમજવું કે તે ધર્મ ઉત્તમ ધર્મ નથી…

કોઇ પણ ધર્મની પરીક્ષા કઇ રીતે કર​વી?

  • જેમ સોનાની પરીક્ષા કષ, છેદ અને તાપથી થાય છે તેમ ધર્મની પણ પરીક્ષા કષ, છેદ અને તાપથી જ​ થાય છે….

  • જેમ સુવર્ણને પહેલા કસોટીના પત્થર ઉપર કસવામાં આવે છે તે તેની કષ પરીક્ષા છે.

  • પછી તેને કાપીને તે સોનું છે કે બીજું છે તે તપાસે છે તે છેદ પરીક્ષા છે.

  • અને પછી છેલ્લે અગ્નિમાં નાંખે છે તેમાં જો તે કાળું ન પડે પણ તેવું ને તેવું રહે તો તે તાપ પરીક્ષા છે.

  • આ ત્રણ પરીક્ષા દ્વારા સુવર્ણનો યથાર્થ નિર્ણય કરી શકાય છે.

હ​વે પછીનાં ભાગમા આપણે કષ​, છેદ અને તાપ વિષે વિસ્તારથી જોઇશું…




શેર કર​વા નીચે ક્લિક કરો