🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૩૯: પ્રભુ પ્રત્યેની આપણા ભકિત-પ્રેમ કેવા હોવા જોઇએ?...

આપણે આગળના ભાગોમાં દેવપાલ​, અર્હનક શ્રાવક​, રાવણ, સુદર્શન​ અને આદ્રકુમાર ની શ્રેષ્ઠ​ ભકિત વિશે જોયું…

આ ભાગમાં આપણે પ્રભુ પ્રત્યેની આપણા ભકિત-પ્રેમ કેવા હોવો એ વિશે જોઇએ…

૧૬D. ભક્તિ કેવી?


  • અનંતા જન્મ મરણ આપણે કર્યા, દુ:ખો વેઠયા, સુખો માટે ખુબ જ મહેનત કરી છતા સાચું સુખ નથી મળી શક્યું તે સાચુ સુખ પરમાત્મા એ બતાવેલા માર્ગે ચાલવાથી પ્રાપ્ત થશે અને એ માર્ગ જ પરમાત્માનો ઉપકાર છે અને એને જ પરમાત્મા ઉપકારી લાગશે.
  • પરમાત્માએ બતાવેલો માર્ગ જે જાણે તેને અવશ્ય પરમાત્મા ગમે. આવો જીવ પરમાત્મા ભક્તિ માટે શું ન કરે? એક માં પોતાના દિકરાના પ્રેમમાં જે કરે છે તે આપણે હીરાકણી ના દ્રષ્ટાંતમાં જોઇએ.

હીરાકણી દ્રષ્ટાંત

  • હીરાકણી નામની સ્ત્રી એક​વાર કંઇક કામ માટે નગરની બહાર સંધ્યાકાળે ગઇ હતી અને પાછા ફરતા મોડું થઇ ગયું હતુ ત્યારે ન​ગરના કિલ્લાના દર​વાજા બંધ થઇ ગયા.
  • પહેલાના સમયમાં નગર કિલ્લાવાળા રહેતા અને રોજ સાંજે ચોક્કસ સમયે તે કિલ્લાના દર​વાજા બંધ થઇ જતા અને સ​વારે ખુલતા. જેનાથી ચોર-શત્રુ વગેરેથી સુરક્ષા રહેતી.

  • હીરાકણીને મોડું થઇ જ​વાથી દર​વાજા તો બંધ થઇ ગયા એટલે તેણે દ્રારપાલને દર​વાજો ખોલી આપ​વા વિનંતી કરી પણ દ્રારપાલ કહે છે રાજાની આજ્ઞાની ઉપર​વટ જઇને હું દર​વાજો ખોલી ન શકું.

  • હીરાકણી કહે છે,

મારો દીકરો એકદમ નાનો છે, જો હું તેને હું આખી રાત સ્તનપાન નહીં કરાવું તો તે ભૂખ્યો-તરસ્યો મરી જશે.

  • છતા દ્રારપાલ ના જ પાડે છે એટલે હીરાકણી નગરીને ફરતા કિલ્લાની ચારે બાજુ ફરે છે, જો ક્યાંકથી અંદર જવાનો રસ્તો મળી જાય તો કામ થઇ જાય​.
  • નગરીની ત્રણ બાજુ કિલ્લો જ હતો પણ એક બાજુ ડુંગર હતો પણ તે ડુંગર એટલો બધો ખતરનાક હતો કે એની ઉપર ચડીને કોઇ જ નગરમાં આવી ન શકે એટલે જ રાજાએ ત્યાં કિલ્લો બંધાવ્યો ન હતો.
  • હીરાકણીને પૂત્રનો પ્રેમ જબરજસ્ત હતો આથી ડુંગર ઉપર સડસડાટ ચડી ગઇ અને બીજી બાજુ નગરીમાં ઉતરી ઘરે પહોંચી ગઇ.
  • જ્યાં કોઇ માણસ ચડી ન શકે ત્યાં હીરાકણી રાત્રીના અંધારામાં ચડી ગઇ અને બીજે દિવસે સવારે પાણી ભર​વા નગરીની બહાર જતી હતી ત્યારે દ્રારપાલ તેને જોઇ ગયો અને પુછ્યું કે તું રાત્રે તો બહાર હતીને? અંદર ક્યાંથી ગઇ? શું કિલ્લામાં ક્યાંય બાકોરૂં પડેલું છે?

  • હીરાકણી કહે છે,

દીકરાની ચિંતામાં હું આખો ડુંગર ચડીને નગરમાં પહોંચી ગઇ.

  • આમ કહીને હીરાકણી તો નીકળી ગઇ પણ દ્રારપાલ ચિંતામાં પડ્યો, તેને થયું જો એક સ્ત્રી આ ડુંગર ચડી શકે તો શત્રુ કે ચોર માટે તો ડુંગર ઓળંગ​વો રમત​વાત ગણાય.
  • એટલે એ ગયો રાજા પાસે, અને રાજાને બધી વાત કરી.
  • રાજા કહે,

આવું બને જ નહીં. આજ સુધીમાં કોઇ દુશ્મન​ પણ આ ડુંગરને ઓળંગી આ તરફ આવ્યો નથી તો એક સ્ત્રી રાત્રીના અંધારામાં કેવી રીતે આવી શકે..

  • દ્રારપાળ કહે છે કે, તે સ્ત્રીએ ખુદે મને વાત કરી છે,

  • એટલે રાજા હીરાકણીને બોલાવીને પૂછે છે, તું રાત્રે ડુંગર ચડીને આ તરફ આવી છે?
  • હીરાકણીએ સહજતાથી હા કહી. રાજાને વિશ્વાસ થતો નથી એટલે હીરાકણીને લઇને ડુંગર પાસે પહોંચ્યો અને તેણે હીરાકણીને કહ્યું, ફરીથી આ ડુંગર ચડી બતાવ​! ડુંગર જોઇને જ હીરાકણીના તો મોતીયા મરી ગયા.
  • હીરાકણી: આ ડુંગર હું ચડી શકું નહીં
  • રાજા: કેમ રાત્રે ચડી હતી ને?

  • પણ હીરાકણીને તો પર્વત સામે નજર કરી અને ચક્કર આવ​વા લાગ્યા અને તેણે રાજાને કહ્યું કે હું આ ડુંગર ચડી જ નહીં શકું.
  • આના ઉપરથી આપણે એ સમજ​વાનું છે કે, દિકરા પ્રત્યે પ્રેમ હોવાથી દિકરા પાસે પહોંચ​વા માટે અશક્ય એવા ડુંગરને પણ હીરાકણી ચઢી ગઇ. આમ​, એ કામ સહેલું બની ગયું. આપણે પણ પરમાત્મા પ્રત્યે પ્રેમ કેળ​વ​વાની જરૂર છે. આમ જો પ્રેમ પાવરફૂલ હોય તો સત્વ આવી જાય અને ધાર્મિક ક્રિયા પણ પાવરફૂલ બને.

હ​વે પછીનાં ભાગમાં આપણે ભકિત અને બહુમાન ના ભેદનું દ્રષ્ટાંત જોઇશું…




શેર કર​વા નીચે ક્લિક કરો