🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

સચિત્ત એટલે શું? - અચિત્ત એટલે શું?

સચિત્ત-અચિત્ત - ૧


સચિત્ત એટલે શું?

  • જેમાં જીવ હોય તે સચિત્ત કહેવાય.

અચિત્ત એટલે શું?

  • જેમાં જીવ ન હોય તે અચિત્ત કહેવાય.

શું સચિત્ત છે?

  • સિંધાલુણ (સિંધવ) લાલ છાંટવાળું સચિત્ત.
  • લીલા ચણા, મકાઈ, ઘઉં, મગફળી, પાપડી, બાજરી વગેરેનો પોંખ શેકેલો હોય તે મિશ્ર છે એટલે કે તેમાં સચિત્તપણું હોય છે, માટે સચિત્તના ત્યાગી કે એકાસણા-બેસણા કરનારે વપરાય નહીં.
  • અજમો સચિત્ત છે.
  • સરબતો, સોડા, ગુલાબજળ, કેવળાજળ સચિત્ત છે.
  • શેતુર સચિત્ત છે.
  • સીતાફળ સચિત્ત જ રહે છે, બી થી ગર જુદો પડતો નથી.

શું મહાસચિત્ત છે?

  • કોઇ પણ અભક્ષ્ય પદાર્થ
  • બોળ અથાળા મહાસચિત્ત છે.
  • બરફ
  • કરા

શું અચિત્ત છે?

  • સંચળ અચિત્ત મનાય છે.
  • સિંધાલુણ (સિંધવ) સ્ફટિક જેવું-ખડી સાકર જેવું એકદમ સફેદ હોય છે તે અચિત્ત મનાય છે.
  • લવિંગ, સૂકા મરી અચિત્ત છે.

શું અચિત્ત થતું નથી?

  • ગુવારનું અથાણું - તેમાં બીજ હોય તો બે ઘડી (૨ ઘડી =‌ ૪૮ મિનીટ) પછી અચિત્ત થતા નથી.
  • દાડમ - તેમાં મીંઝ હોવાથી બે ઘડી પછી પણ અચિત્ત થતા નથી.
  • જામફળ પણ બે ઘડી પછીયે અચિત્ત થતું નથી.
  • સુકાં અંજીર-અચિત્ત થતા નથી, તેથી સર્વથા ત્યાગ કરવો જોઇએ.

સર્વથા ત્યાગ

  • સર્વથા ત્યાગ ના ૨ પ્રકાર છે:
    • ૧. સચિત્ત સર્વથા ત્યાગ​
    • ૨. વસ્તુ સર્વથા ત્યાગ​.
  • જેને સચિત્તનો સર્વથા ત્યાગ હોય તેને અગ્નિ વગેરેથી અચિત્ત કરેલું હોય તો વપરાય​.
  • પણ વસ્તુ સર્વથા ત્યાગ હોય એટલે કે દાડમ​, જામફળ વગેરે વસ્તુનો ત્યાગ છે તેણે તો સચિત્ત-અચિત્ત કંઇ ન વપરાય​.

વધુ હ​વે પછીના ભાગમાં




શેર કર​વા નીચે ક્લિક કરો