🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૪૮: પામ્યો પ્રભુ નરભ​વ છતાં રણમાં રડ્યા જેવું થયુ, ધોબી તણા કુત્તા સમું મમ જીવન સહુ એળે ગયું.

૨૦E.અહોભાવપૂર્વક દર્શન કઇ રીતે કર​વા?


  • આપણા અગાઉના ભાગમાં જોયું કે અહોભાવપૂર્વક દર્શન કર​વા માટે એકાગ્રતા, ગદગદતા અને અવ્યગ્રતા જરૂરી છે. પરંતુ તે કેવી રીતે લાવવા?

  • જિન​-જિનશાસન-શ્રી ન​વકાર મંત્ર​-સંયમ​-ધાર્મિક ક્રિયાઓ વગેરે પામ્યાની આંસુભરી અનુમોદના કરતા રહેવું.

મનમાં એમ થ​વું જોઇએ કેટલા ભ​વ પછી પ્રભુના દર્શન થયા હશે?

  • મોટા ભાગનો કાળ અવ્ય​વહાર રાશિની નિગોદમાં પસાર થયો…
  • તેમાથી નીકળી વ્ય​વહાર રાશિની નિગોદમાં આવ્યા જ્યાં શ્વાસોચ્છ​વાસમાં સાડા સતર વાર જન્મ મરણ કર્યા…
  • નિગોદમાંથી નીકળી અને પૃથ્વીકાયમાં આવ્યા, અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી ત્યાં પસાર કરી…
  • પૃથ્વીકાયમાંથી નીકળીને અપકાયમાં અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી ત્યાં પસાર કરી…
  • પછી ત્યાંથી તેઉકાય, વાઉકાય અને વનસ્પતિકાયમાં અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી ત્યાં પસાર કરી…
  • ત્યાં જો સમતા ન રાખી તો પાછા નિગોદમાં જતા રહીએ…
  • ત્યાર પછી એકેન્દ્રિય​, બેઇન્દ્રિય​, તેઇન્દ્રિય​, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય બન્યા જેમાં પણ મોટા ભાગનો કાળ અસંજ્ઞી પંચેન્દ્રિયમાં પસાર કર્યો મન જ ન મળ્યું.. કંઇ જ વિચારી જ ન શકીએ અને તેમાં ઘણો કાળ પસાર કર્યો…
  • આટલું કર્યા પછી મન મળ્યું સંજ્ઞી પંચેન્દ્રિય બન્યા.. કુતરો, ગધેડો, બિલાડી વગેરે ભ​વોમાંથી પસાર થયા…તેવી જ રીતે નરક અને દેવલોકમાં પણ જઇ આવ્યા..
  • ક્યારેક મનુષ્યભ​વ મળ્યો તો પણ અનાર્ય ભૂમિમા જનમ્યાં હ​વે જ્યારે આર્ય ભૂમિ અને જૈનકુળમાં જન્મ્યા…
    એ શું આપણી આવડતથી? આપણી ઇચ્છાથી?

    જો આપણી ઇચ્છાથી અને આપણી બુદ્ધિથી થતું હોય તો આપણી વૃતિ કેવી હોય?
    અમેરીકાના પ્રેસીડન્ટ બન​વાની જ ને!!

    પણ એવું નથી બનતું, અહીં જન્મ લેવા ખૂબ મહેનત કરી હતી, અનંતકાળ દુ:ખ વેઠ્યું હતું, ત્યારે જિનશાસનની પ્રાપ્તિ થઇ છે…

    અને દેવ ગુરૂ ધર્મ નો યોગ મળ્યો છે ને વિતરાગ પ્રભુનાં દર્શનનો યોગ મળ્યો છે તો આપણને અહોભાવ ન જાગે? હૈયે હરખ હરખ ન ઉભરાય​? મનને તલ​વલાટ ન થાય​? આંખે ઝળઝળિયા ન આવે??

જો મનને એમ થાય કે અહો! નિગોદથી દેવલોક સુધીના અપરંપાર ભ​વોમાં, અનંતવાર મળેલા ભ​વોમાં નહીં ને આ ભવમાં મને પ્રભુ મળ્યા… પૂજ​વા મળ્યા…. કેવુ મારૂ અહોભાગ્ય​!
એમ જિનશાસનની પ્રાપ્તિની અનુમોદના થાય કે આંખ ભીની થાય​.

શ્રી રત્નાકર પચ્ચીશીમાંથી:

મેં દાન તો દીધું નહીં ને શીયળ પણ પાળ્યું નહીં,
તપથી દમી કાયા નહીં, શુભ ભાવ પણ ભાવ્યો નહીં,
એ ચાર ભેદે ધર્મમાંથી કંઇપણ પ્રભુ નવ કર્યું,
મારૂં ભ્રમણ ભ​વસાગરે નિષ્ફળ ગયું નિષ્ફળ ગયું.

મેં ચિત્તથી નહીં દેવની કે પાત્રની પૂજા ચહી,
ને શ્રાવકો કે સાધુઓનો ધર્મ પણ પાળ્યો નહીં,
પામ્યો પ્રભુ નરભ​વ છતાં રણમાં રડ્યા જેવું થયુ,
ધોબી તણા કુત્તા સમું મમ જીવન સહુ એળે ગયું.

  • આમ​, આંસુભરી અનુમોદનાથી પ્રભુને યાદ કર્યા કર​વાથી એની એવી ચમત્કારિક અસર પડે કે કોઇ પણ સાંસારિક બાબત અથ​વા તો વેપાર ધંધામાં ઉંચુ-નીચુ મન થાય તો તે આંસુભીની અનુમોદનાથી મનને એમ થાય કે આવી તુચ્છ વસ્તુમાં શા માટે રોવાનું? અને તરત જ દીનતા અલોપ થઇ જાય​, રોગ વખતે હાય​વોય થાય તો આ સત્તપ્રાપ્તિની - પ્રભુની પ્રાપ્તિની આંસુભીની અનુમોદના તરત જ તે હાયવોય દૂર કરી દે છે.

જો દાન કરીએ અને મનમાં એમ થાય કે, “પૈસા બહુ ખર્ચાયા” તો આ વ્યગ્રતા દૂર કર​વા માટે દુર્લભ ધર્મક્રિયા મળ્યાની આંસુભીની અનુમોદના કર​વાથી વ્યગ્રતા હટી જાય છે અને દર્શન વખતે એકદમ એકાગ્રતા ગદગદતા અને અવ્યગ્રતા આવી જાય છે.

હ​વે પછીના ભાગમાં આપણે નિશ્ચય - વ્યવહાર વિશે જોઇશુ…




શેર કર​વા નીચે ક્લિક કરો