🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૫: અનંતકાય​

આગળનાં ભાગમા આપણે અવ્યવહાર રાશિ, વ્યવહાર રાશિ વિશે જોયું. આ ભાગમાં આપણે જોઇશુ કે નિગોદના જીવોને અનંતકાળ સુધી પહોંચે તેવા કર્મ શાથી બંધાય છે?

નિગોદના જીવોને મન નથી છતાં અનંતકાળ સુધી પહોંચે તેવા કર્મ શાથી બંધાય છે?

  • નિગોદના જીવોને મન નથી પણ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને કાયયોગ જે કર્મબંધના હેતુ છે તે હોય છે.
  • જેમ આપણે ખોરાક ખાઇએ છીએ તો પાચન મનના ચિંતન વિના અનાભોગથી થાય છે તેમ અનાભોગથી કર્મ પણ બંધાય છે.
  • જો વિષ જાણતા અથ​વા અજાણતા લીધું હોય તો પણ તે મારે છે.
  • જો જાણતા લીધું હોય તો પોતે અથ​વા બીજા ઉપાય કરે તો કદાચ બચી જાય પરંતુ અજાણપણે લીધેલું તો મારી જ નાંખે.
  • તેવી જ રીતે મન વિના ઉત્પન્ન થયેલું પરસ્પર વેર અનંતકાળે પણ ભોગવતાં પૂરું થાય નહીં.

નિગોદના જીવો અનંતકાળ સુધી અતિદુખિત કેમ હોય છે?

  • આ પ્રશ્નનો જ​વાબ તો કેવળી ભગ​વંત સિવાય કોઇ આપવા સમર્થ નથી. છતાં કર્મ પ્રકારના આધારે તેઓ નિકાચિત્ત કર્મ​ બાંધે છે. - જે ઉગ્ર પણે બંધાય છે જેમ કે ચોરને મરાતો અથ​વા સતીને અગ્નિમાં પ્રવેશ કરતી કુતૂહલથી જોનારા દ્રેષ વિના પણ સામુદાયિક અશુભ કર્મ બાંધે છે જે ખરેખર અનેક જીવોને એકી સાથે ભોગ​વ​વું પડે છે.
  • તો પછી નિગોદના જીવોએ પરસ્પર બાધાજન્ય વિરોધથી અનંત જીવો સાથે બાંધેલા કર્મોનો પરિપાક અનંતકાળ વિત્યા છતા પણ પૂરો ન થાય તેમાં આશ્ચર્ય પામ​વા જેવું નથી.

૩૨ અનંતકાયનાં નામો:

  • (૧) સૂરણકંદ
  • (૨) વજ્રકંદ
  • (૩) લીલી હળદર​
  • (૪) લીલો આદું
  • (૫) લીલો કચૂરો
  • (૬) શતાવરી
  • (૭) વિરાણી
  • (૮) કુંવાર પાઠું
  • (૯) થોર
  • (૧૦) ગળો
  • (૧૧) લસણ
  • (૧૨) વાંસ કારેલાં
  • (૧૩) ગાજર
  • (૧૪) લૂણી
  • (૧૫) ગરમર
  • (૧૬) મૂળા
  • (૧૭) બટાટા
  • (૧૮) પિંડાલુ(ડુંગળી વગેરે)
  • (૧૯) અમૃત​વેલ​
  • (૨૦) બિલાડીના ટોપ
  • (૨૧) કુંણી આંબલી (કચુકો ન બંધાયો હોય ત્યાં સુધી)
  • (૨૨) થેગ​
  • (૨૩) પાલક​
  • (૨૪) ભોંયકોળું
  • (૨૫) પદ્મિની કંદ​
  • (૨૬) ટાંકો - વથુલાની ભાજી (વત્થુલા પ્રથમ વારનો અનંતકાય છે પણ વાઢ્યા પછી ફરી ઉગેલ હોય તો નહીં)
  • (૨૭) કુંપળો
  • (૨૮) કુંણા ફળ​
  • (૨૯) ખરિંશુકા (ખરસઇઓ)
  • (૩૦) લીલી મોથ​
  • (૩૧) ભમરછાલ​
  • (૩૨) ખિલ્લુડો



શેર કર​વા નીચે ક્લિક કરો