🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૩: નારકીના જીવોથી અનંતગણું દુ:ખ નિગોદના જીવો પામે છે.

આગળનાં ભાગમાં આપણે જોયું કે નિગોદ ના એક શરીરમાં અનંતા જીવો રહેલા હોય છે.

આ ભાગમાં આપણે જોઇશું કે શું નિગોદ નાં જીવો પણ દુઃખ ભોગ​વે છે? તેમજ અવ્યવહાર રાશિ, વ્યવહાર રાશિ વિશે જોઇશું

  • નારકીના જીવો જે દુ:ખ પામે છે તેથી અનંતગણું દુ:ખ નિગોદના જીવો પામે છે
  • નિગોદનું જઘન્ય આયુષ્ય ૨૫૬ આવલિકા પ્રમાણ જેટલું હોય છે (એક શ્વાસોચ્છવાસમાં સાડી સત્તર ભવ)
  • નિગોદના જીવોને આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, વિષય(મૈથુન​)સંજ્ઞા અને પરિગ્રહસંજ્ઞા એ ચાર સંજ્ઞા અવ્યક્તપણે હોય છે. વળી તેઓને ક્રોધ, માન, માયા અને લોભ એ ચારે કષાય પણ અવ્યક્તપણે હોય છે.
  • નિગોદના જીવો મિથ્યાષ્ટિ હોય છે. તેઓને અવ્યક્ત મિથ્યાત્વ હોય છે. તેઓ વિચાર કરવાને અશક્ત હોવાથી તેઓને અસંજ્ઞી જીવો કહેવામાં આવે છે. તેઓને છ લેશ્યામાંથી ફક્ત કૃષ્ણ, નીલ અને કપોત એ ત્રણ લેશ્યા હોય છે.
  • નિગોદના જીવોને અક્ષરના અનંતમાં ભાગ જેટલું જ્ઞાન હોય છે.

પ્રભુએ કહ્યું હતુ,

નારકીમાં નારકીના જીવો જે દુ:ખ પામે છે તેથી અનંતગણું દુ:ખ નિગોદના જીવો પામે છે. આમ​, સંસારમાં સૌથી વધુ દુ:ખ નિગોદ ના જીવોને હોય છે.”

  • અવ્ય​વહાર રાશિ: જૈનદાશૅનિકો સુક્ષ્મનિગોદ ને અવ્ય​વહાર રાશિ કહે છે. તેમાં એવા પણ અનંતા જીવો છે, કે જે અનંતકાળથી તે જ અવસ્થામાં રહેલા છે અને રહેવાના છે. જેઓ કદાપિ સુક્ષ્મ​-નિગોદમાંથી બહાર નીકળ્યા જ નથી. તેઓ ગુફામાં જન્મ્યા અને ગુફામાં મૃત્યુ પામ્યાની પેઠે અવ્યવહારી છે.
  • વ્ય​વહાર રાશિ: સૂક્ષ્મનિગોદમાંથી નિકળી ને સ્થુલમાં-બાદર માં આવવું એટલે જ વ્ય​વહાર રાશિમાં પ્ર​વેશ કરવો

વ્ય​વહાર રાશિ, અવ્ય​વહાર રાશિ અને મોક્ષ​:

  • વ્યવહારરાશિમાં રહેલા સર્વે મોક્ષે જવાના છે એ નિશ્ચય નથી, કારણ કે–તેમાં અનાદિકાળથી બાદર-નિગોદ રહેલી છે, કે જેનો અનંત ભાગ જ મોક્ષે ગયેલ છે અને જવાનો છે. તેમજ વ્યવહાર રાશિમાં રહેલા અનંતા અભવ્ય જીવો છે, કે જેઓ કદાપિ મોક્ષે જવાના જ નથી
  • અવ્યવહારરાશિમાં રહેલા સર્વ જીવો મોક્ષે જવાના નથી એમ પણ નથી, કારણ કે-વ્યવહારરાશિમાંથી એક જીવ મોક્ષે જાય ત્યારે અવ્યવહારરાશિમાંથી એક જીવ વ્યવહારરાશિમાં આવે છે.
  • એ અચળ ક્રમ છે માત્ર જે જીવો “જાતિભવ્ય છે અને તથા પ્રકારની સામગ્રીને અભાવે અવ્યવહારરાશિમાંથી નીકળવાના જ નથી, તેથી જ તેને મોક્ષની સામગ્રી મળવાની નથી અને તેવી સામગ્રીના અભાવથી તે (જાતિભવ્ય) જીવો મોક્ષે પણ જવાના નથી. જો સામગ્રી મળે તો તેઓ મોક્ષે જઈ શકે તેવા સ્વભાવવાળા છે.

હ​વે પછીનાં ભાગમાં આપણે ગતિ-આગતિના સિદ્ધાન્ત,​ Evolution-વિકાસ સિદ્ધાંત તેમજ જાણીશું કે કપોત લેશ્યાવાળો પૃથ્વીકાય ત્યાંથી મરી, મનુષ્ય બની મોક્ષે જઇ શકે?




શેર કર​વા નીચે ક્લિક કરો