દિવસમા લગભગ ૨ કલાક જ ભોજન લેતો જીવ સતત ૨૪ કલાક ભોગવટાના સંસ્કારને પુષ્ટ કરી બેસે છે.
આગળના ભાગમાં આપણે નવકારશી એટલે શું?, નવકારશી શા માટે? અને નવકારશી પચ્ચક્ખાણમાં મુટ્ઠિસહિઅં શા માટે? એ વિશે જોયું…
નવકારશી - ૨
મુટ્ઠિસહિઅં પચ્ચક્ખાણ:
-
મુટ્ઠિસહિઅં પચ્ચક્ખાણ વિરતિમાં રહેવા માટે હોય છે. જ્યારે નવકારશી અથવા જમવાનું અને પાણી વાપરવાનું હોય, ત્યારે મુટ્ઠિસહિઅં પચ્ચક્ખાણ પાળી અને જમવું અથવા પાણી વાપરવું ત્યારબાદ ફરીથી મુટ્ઠિસહિઅં પચ્ચક્ખાણ લઈ લેવું.
-
કોઇપણ વ્યક્તિને જમવા માટે દિવસમાં લગભગ ૨ કલાકથી વધારે સમય નહીં જતો હોય, જેમાં નવકારશી, બપોરનું જમવાનું તથા સાંજ ના જમવાનો કુલ સમય ગણીએ તો લગભગ ૨ કલાકથી વધુ નહીં થાય. તો બાકીના ૨૨ કલાક ભુખ્યા રહેવામાં જાય છે.
-
છતાં પણ જીવને વિષયોનો ભોગવટો નહીં કરવો તેવી વિરતિ ન હોવાથી
આ ભોગવી લઉં, આ ખાઇ લઉં, વગેરે વૃતિઓ સતત ઉછાળા મારે છે.
- ૨ કલાક જ ભોજન લેતો જીવ સતત ૨૪ કલાક ભોગવટાના સંસ્કારને પુષ્ટ કરી બેસે છે.
આ આપણે એક દ્રષ્ટાંત થી સમજીએ.
- આપણે ઘરમાં લાઇટ કનેક્શન લીધેલું હોય પરંતુ ૧ વર્ષ માટે ઘર બંધ કરી અને વિદેશ જતા રહ્યાં, લાઇટનો બીલકુલ ઉપયોગ ન કર્યો હોવા છતાં લાઇટનું (મિનીમમ) બીલ આવે જ છે અને તે ભરવું જ પડે છે.
- જો આપણે ઇલેક્ટ્રીસીટી બોર્ડને જઇને કહીએ કે, અમે લાઇટનો ઉપયોગ નથી કર્યો તો શા માટે બીલ ભરીએ? એ વાત માન્ય રહે ખરી? ના જ રહે ને!
-
પણ હા, જો લાઇટ કનેક્શન કપાવી નાખ્યું હોય તો બીલ ભરવાનો પ્રશ્ન જ ના આવે.
-
એવી જ રીતે પાપ કરીએ અથવા ના કરીએ, પણ પાપની સાથે કનેક્શન ચાલું છે, અનુમોદનાનું પાપ તો લાગશે જ.
-
આમ, આપણે ૨ કલાક જ જમીએ છીએ છતા, ૨૪ કલાક ભોગવટા ના સંસ્કારનું પાપ લાગે જ છે, તેનાથી બચવા માટે આપણે મુટ્ઠિસહિઅં નું પચ્ચક્ખાણ લેવુ જ જોઇએ.
- રોજના ૨૨ કલાક વિરતિમાં પસાર થતા, મહિનામાં ૨૭-૨૮ ઉપવાસનો લાભ મળે છે.
મુટ્ઠિસહિઅં પચ્ચક્ખાણ નીચેના સૂત્ર દ્રારા લેવા અને પારવા
મુટ્ઠિસહિઅં પચ્ચક્ખાણ લેવાનું સૂત્ર:
મુટ્ઠિસહિઅં પચ્ચક્ખામિ
અન્નથણાભોગેણં સહસાગારેણં
મહત્તરાગારેણં સવ્વ-સમાહિ-વત્તિયાગારેણં
વોસિરામિ.
એક નવકાર ગણીને મુટ્ઠિસહિઅં પચ્ચક્ખાણ પારવાનું સૂત્ર:
મુટ્ઠિસહિઅં પચ્ચક્ખાણ
ફાસિઅં પાલિઅં સોહિઅં તીરિઅં
કિટ્ટિઅં આરાહિઅં જં ચ ન આરાહિઅં
તસ્સ મિચ્છામિ દુક્કડમ્
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶