🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ન​વકારશી શા માટે? ન​વકારશી પચ્ચક્ખાણમાં મુટ્ઠિસહિઅં શા માટે?

ન​વકારશી - ૧


ન​વકારશી એટલે શું?

સૂર્યોદય પછી ૨ ઘડી એટલે કે ૪૮ મિનીટ પૂર્ણ થયે જમણા હાથની મુઠ્ઠીવાળી અને જમીન પર રાખી શ્રી ન​વકાર મંત્ર ૩ વાર ગણી પ્રતિજ્ઞા પાડવી તે નવકારશી.

ન​વકારશી શા માટે?

  • સંપૂર્ણ આહારસંજ્ઞા તોડ​વાનું લક્ષ્ય લઇને આપણે બેઠા છીએ પરંતુ અત્યારે તેવી તાકાત નથી કે આહારને ફગાવી શકીએ એટલા માટે આહારસંજ્ઞાને તોડ​વાના લક્ષ્યથી નવકારશી કરવાની હોય છે.

  • ઉત્તમ સ્વાદ વાળા ભોજન નજર સામે હોય અને પોતાનું શરીર તથા મન આ બધા પદાર્થોના ભોગવટા માટે સજ્જ હોય પણ સૂર્યોદય પૂર્વે જ નક્કી થઇ જાય

હે જીવ​, પરમાત્મા એ ૬ મહિનાનું તપ કર​વાનું કહ્યું, પણ તારું એટલું સત્વ નથી તો કમસે કમ ૫…૪…૩…૨…૧… મહિના સુધી…

અરે છેવટે… ૧૬…૮…૩…૧… દિવસ ના ઉપ​વાસ નહીં તો છેવટે આયંબિલ​… એકાસણું… પુરિમુડ્ઢ..

એ પણ નહીં તો છેવટે ન​વકારશી. મનની આસક્તિ ઉપર કાબુ મૂક​. આવી ઉત્તમ ભાવનાથી સૂર્યોદયથી ૪૮ મિનીટ સુધી આહાર નો ત્યાગ તે સાચી ન​વકારશી.

  • સામાન્ય બની ગયેલી ન​વકારશી ની પ્રતિજ્ઞા કેટલી બધી દુર્લભ છે.
  • તીર્થંકર નામકર્મ નિકાચિત કરેલું તેવા શ્રી કૃષ્ણ મહારાજા, શ્રેણિક આદિ કર્મનિર્જરા કે આત્મકલ્યાણ માટે નવકારશી જેટલું પચ્ચક્ખાણ કરી નહોતા શકતા…
  • એ જ સાબિત કરે છે કે ન​વકારશી આદિ પ્રતિજ્ઞા કર​વા વિશિષ્ટ સત્વ જેમ જરૂરી છે તે જ રીતે કર્મનો વિશિષ્ટ ક્ષયોપશમ અને વિશિષ્ટ પુણ્યોદય પણ જરૂરી છે.

ન​વકારશી પચ્ચક્ખાણમાં મુટ્ઠિસહિઅં શા માટે?

  • સૂર્યોદય પહેલાં નવકારશીનું પચ્ચક્ખાણ જ્યારે ગુરુભગવંત પાસે લઇએ ત્યારે ગુરુભગ​વંત મુટ્ઠિસહિઅંનું પચ્ચક્ખાણ બોલે છે કારણ કે નવકારશી નું પચ્ચક્ખાણ સૂર્યોદયથી ૪૮ મિનિટ સુધીનું જ છે
  • તો નવકારશી આવી ગયા પછી નવકારશી નું પચ્ચક્ખાણ પૂરું થઇ જાય પણ જ્યાં સુધી ભોજન ન કરીએ ત્યાં સુધી પચ્ચક્ખાણમાં રહી શકીએ એ માટે મુટ્ઠિસહિઅંનું પચ્ચક્ખાણ ભેગું આપ​વામાં આવે છે.
  • નવકારશીનું પચ્ચક્ખાણ આવી ગયા પછી પણ જ્યાં સુધી મુટ્ઠિવાળીને નવકાર ન ગણીએ ત્યાં સુધી પચ્ચક્ખાણમાં રહી શકીએ તે માટે બંને પચ્ચક્ખાણ ભેગા આપ​વામાં આવે છે.

નવકારશી નો લાભ​

  • નારકી નો જીવ નરકમાં જઇ ૧૦૦ વર્ષ સુધી પરમાધામી દ્રારા કરાયેલી ઘોર વેદના જેવી કે કરવત થી છેદાવ​વું, આગથી સેકાવું, ગરમ ધુળથી ભુંજાવું, વગેરે ભોગવે.
  • તેનાથી જે કર્મો ખપે, તેટલા કર્મો પ્રતિજ્ઞાપૂર્વક સૂર્યોદય પછી ૪૮ મિનીટ સુધી આહારનો ત્યાગ કરવાથી ખપે છે.

વધુ હ​વે પછીના ભાગમાં




શેર કર​વા નીચે ક્લિક કરો