ભાગ ૬: નાસ્તિક પણ ધર્મ જ ઇચ્છે છે!
આગળનાં ભાગમાં આપણે જોયું કે જો આપણે “શાશ્વત સુખ મેળવવાની ઇચ્છા હોય તો આપણે ધર્મ કરવો જ રહ્યો.”
શું ધર્મ જીવનમાં એટલો બધો જરૂરી છે કે ધર્મ વિના શાશ્વત સુખ મળે જ નહિ?
-
હા, ધર્મ એ જીવનનું અભિન્ન અંગ છે.
- દરેક જીવ પોતાના પ્રત્યે બીજાના તરફથી ખરાબ વર્તાવ નહીં પણ સારો વર્તાવ જ ઇચ્છે છે. જેમ કે, નાસ્તિક જેવો પણ ઇચ્છે છે કે
- કોઇ મારી હિંસા ન કરે,
- મારા તરફ દયા-સ્નેહ રાખે,
- મારી આગળ જુઠું ન બોલે,
- મારી વસ્તુની ચોરી ન કરે,
- મારી પત્ની તરફ ખરાબ નજરથી ન જુએ, વગેરે.
- તો આ શેની ઇચ્છા રાખી?
- આ બધો વર્તાવ તો ધર્મ નો જ થયો એટલે કહેવાતા નાસ્તિકો પણ ખરેખર તો ધર્મ જ ઇચ્છે છે.
આજનો યુગ ભૌતિકવાદનો છે. આજે માનવ ભૌતિકવાદ તરફ દોડી રહ્યો છે.
- ત્યાગ તરફથી ભોગ તરફ દોટ કાઢી રહ્યો છે.
- અહિંસાથી હિંસા તરફ દોડી રહ્યો છે.
- અપરિગ્રહથી પરિગ્રહ તરફ વધી રહ્યો છે.
- આ યાત્રા આરોહણ નહિ પણ અવરોહણની છે, ઉત્થાનની નહિ પણ પતનની છે.
- એ પતનમાંથી ધર્મ આપણને ઉગારે છે.
- તે અંતર્હ્રદય માંથી વિકાર અને વાસનાના ગહન અંધકારને હટાવી અહિંસા, અપરિગ્રહ અને અનેકાન્તની ચમક-દમક પેદા કરે છે, દુર્ગુણોને નાશ કરી સદગુણોને જાગૃત કરે છે.
ધર્મ કરવાથી સદ્દવિચાર અને સદાચાર નાં ગુણો ખીલે છે
- સદાચાર એ ધર્મનું સ્થૂળ શરીર છે.
-
સદ્દવિચાર એ ધર્મનું સૂક્ષ્મ શરીર છે.
-
ધર્મ માનવ-જીવનને તેજસ્વી બનાવે છે.
-
ધર્મ આ જીવનમાં સંસ્કારના પ્રાણ ફુંકે છે.
-
ધર્મ માણસને ઊર્ધ્વગામી બનાવે છે, ધર્મ વિહોણું જીવન એ તો આત્મા વગરના શરીર જેવું છે કે જેમાં ન હોય પ્રાણ કે ન હોય પવિત્રતા. જીવનમાં પ્રાણ ને પવિત્રતા રેડનાર ધર્મ જ છે.
-
ધર્મ એ આપણી સંસ્કૃતિ અને વિચારધારાનું મજબૂત કવચ છે. એને કયારેય છોડી દેવું ઉચિત નથી. ધર્મ ત્યજવો એટલે જીવનના સમસ્ત સદ્દગુણોને, ભલમનસાઈઓને ત્યજી દેવી.
-
ધર્મ એ આપણાં મનનો મેરુદંડ છે.
- ધર્મ આત્મામાંથી સ્ફુરેલ પવિત્ર તત્ત્વ છે, વિચારોની વિશુદ્ધતા છે, મનની નિર્મળતા છે, જીવનની ઉજજવળતા છે અને અધ્યાત્મનો પ્રકાશ છે.
તો પ્રશ્ન એ થશે કે ધર્મ જે જીવનમાં આવો વ્યાપક છે તો તે દેખાતો કેમ નથી?
- ભૂખ લાગે ત્યારે ધર્મ ખાવા કામ લાગતો નથી,
- તરસ લાગી હોય ત્યારે ધર્મ પીવા કામ લાગતો નથી,
-
ટાઢ વાય ત્યારે ધર્મ ઓઢવા કામ લાગતો નથી, તો પછી ધર્મનું મહત્વ શું?
- આ પ્રશ્નના ઉત્તરમાં જ્ઞાનીઓ જણાવે છે કે
ધર્મ એ તો ઝાડનાં મૂળિયા જેવો છે. મૂળિયાં ફળની જેમ ખાવા કામ લાગતાં નથી, ઝાડના બીજા અંગોની જેમ બહાર દેખાતાં નથી, તે ધૂળમાં દટાયેલાં-છુપાયેલાં હોય છે છતાં એ ન હોય તો ટકી રહેવાની તાકાત ઝાડમાં નથી જ. વૃક્ષો ખીલે છે, મીઠાં ફળો આપે છે, આનો આધાર તો મૂળિયાં છે
-
તેમ જીવનના મૂળમાં પણ ધર્મ પડેલો છે અને મનુષ્ય આ ધર્મને પામીને શ્રેષ્ઠ અને બડભાગી થયો છે.
- આમ જીવનના ઉત્થાન માટે ધર્મની અત્યંત આવશ્યકતા છે. ધર્મ વિના માનવ - માનવ રહી શકતો નથી, માનવતા સુરક્ષિત રહી શકતી નથી.
જો ધર્મની જીવનમાં આટલી બધી મહત્તા હોય તો પછી આ ધર્મ ખરેખર શું છે?? એ આપણે હવે પછીનાં ભાગમાં જોઇએ…
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶