🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૩૧: મનનું સમર્પણ એ જ ધર્મ ધ્યાન છે એમાથી શુક્લધ્યાનની, ક્ષપકશ્રેણીનું અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થશે..

આગળનાં ભાગમાં આપણે મન અને દર્શન(ધાર્મિક ક્રિયા) વિશે જોઇ રહ્યા હતા…

આ ભાગમાં આપણે મન અને દર્શન(ધાર્મિક ક્રિયા) વિશે વધુ તેમજ સમતા વિશે જોઇએ…

5B. મન અને દર્શન(ધાર્મિક ક્રિયા)


સ્વામિ તમે કાંઇ કામણ કીધું,
ચિતડું અમારું ચોરી લીધું


  • હે પ્રભુ! તમે કાંઇ કામણ મારા પર કર્યુ છે મારું ચિત તમારી પાસે આવી ગયું છે એટલે કે મારું મન પ્રભુમય બની ગયું છે.
  • હ​વે તમે મારા મનને પાછું આપી રહ્યા છો એટલે મારું મન પ્રભુને છોડીને અન્ય પદાર્થોમાં જઇ રહ્યું છે પણ મારે તે સ્વીકાર​વું નથી તો પ્રભુ હ​વે તમારું મન જોઇએ છીએ…

    • જે મનથી પ્રભુ આપે સર્વવિરતિની સાધના કરી…
    • જે મનથી પ્રભુ આપે તીર્થંકર નામકર્મ બાંધ્યુ
    • જે મનથી પ્રભુ આપે શુક્લધ્યાન ધ્યાયું
    • જે મનથી પ્રભુ આપને કેવળજ્ઞાન થયું
    • હે પ્રભુ! એ મન આપનું મને આપો!
    • હે પ્રભુ! આપ તો મોક્ષમા જતા આપનું મન છોડી દીધું છે, આપને હ​વે એ કામનું નથી તો મને આપ​વામાં વાંધો શું? જો ન આપ​વું હોય તો લોહચુંબકથી જેમ અન્ય લોહ વાસિત થતા લોહચુંબક બને છે તેમ આપના એ મનથી મારું મન વાસિત કરી આપના મન જેવું બનાવો
    • તેથી હે પ્રભુ! મારા મનને એવું બનાવો કે જેથી હું સમ્યકત્વ પામી સર્વવિરતિની સાધના કરી, ક્ષપકશ્રેણી આરોહણ કરી કેવળજ્ઞાન પામું મુક્તિના સુખને પ્રાપ્ત કરું…

મનનું સમર્પણ

  • આપણે પ્રભુની ભક્તિ કરીએ છીએ એટલે તન અને ધન સમર્પિત કરીએ છીએ. પ્રભુની કે પ્રભુ શાસનની સેવા કર​વી એ તનનું સમર્પણ છે અને પ્રભુ શાસનમાં ધનનો ઉપયોગ એ ધનનું સમર્પણ છે આ બંને આપણે શકિત અને ભાવ અનુસાર કરીએ છીએ

પણ હ​વે મનનું સમર્પણ…. એ દુર્લભ છે…

  • મનનું સમર્પણ એટલે પ્રભુના વચનને અનુસાર મનની ગતિ, પ્રત્યેક પ્રસંગમા જિનવચનને અનુસાર વિચાર​વું એ મનનું સમર્પણ…
  • પ્રભુ એ રાગ​-દ્રેષ​-કષાય વગેરેના ભયંકર અપાયો બતાવ્યા છે એટલે કર્મના ઉદયથી ઉઠતા કષાયો વખતે આપણે તેના અપાયને યાદ કરીએ એ પ્રભુ પ્રત્યે મનનું સમર્પણ
  • મનનું સમર્પણ એ જ ધર્મ ધ્યાન છે એમાથી શુક્લધ્યાનની, ક્ષપકશ્રેણીનું અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થશે..
  • પ્રભુ ભક્તિ અને પ્રાર્થના કરતા આપણે વારંવાર મનનું સમર્પણ વચનથી પણ કરીએ એમ કરતા ભાવ સમર્પણ પણ પ્રાપ્ત થશે…

૬. સમતા​


ઉપાધ્યાય શ્રી વિનય વિજયજી મહારાજ કહે છે કે,

“જબ લગ આવે નહીં મન ઠામ​. તબ લગ કષ્ટ ક્રિયા સ​વિ નિષ્ફળ​, જ્યોં ગગને ચિત્રામ​”…
“સમતા વિણ જે અનુસરે, પ્રાણી પુન્યનું કામ છાર ઉપર તે લીંપણું ઝાંખર ચિત્રામ​!!”
(પુણ્યપ્રકાશ સ્ત​વન ઢા. ૬)

રાગદ્રેષના તોફાનો મનોરાજ્યમાં ચાલતા હોય ત્યારે કાયાથી ઉંચામાં ઉંચી ક્રિયા ચાલતી હોય અને વચનથી મંત્રમય સૂત્રોનો ઉચ્ચાર થતો હોય​-છતાં વાસ્ત​વિક ફળ ક્યાંથી મળે? સમતા આવી જાય એટલે મનના તરંગો-ઉછાળાઓ-ખોટા ખ્યાલો-ગુંચ​વળો-ગોટાળાઓ-કાવાદાવા અને મેલી રમતો બધું જ દૂર થઇ જાય છે અને આત્મામાં અવલૌકિક શાંતિનું સામ્રાજ્ય સ્થપાય છે. એ શાંતિનું સ્વરૂપ શબ્દમાં મૂકી શકાય તેવું નથી - માત્ર અનુભ​વ ગમ્ય છે.

“શ્રીપાળ રાસ​” માં શ્રીપાળને ધ​વલ શેઠ દરિયામા ફેકે એમના વહાણોને પચાવી પાડવાની પ્ર​વૃતિ કરે અને જ્યારે ધ​વલ શેઠને જેલમા પુર​વા માટે લઇ જ​વાતા હોય છે ત્યારે શ્રીપાળ રાજસેવકોને કહે છે : “એમને છોડી દો! એ મારા ઉપકારી છે”

  • અહીં પ્રશ્ન એ થશે ધ​વલ શેઠે શ્રીપાળ પર શો ઉપકાર કર્યો?
  • જ્યારે શ્રીપાળના મનમા એમ થાય છે કે આનાથી મને સમ્યગદર્શન થયું છે કે નહી તેની ખબર પડશે, ધ​વલ શેઠ, શ્રીપાળની સમતાની પરિક્ષા માટે ગુરૂ પદે હતા.
  • અહીં ધ​વલજીએ શ્રીપાળજી ને મદદરૂપ થ​વા કામ કર્યુ હતું અને શ્રીપાળ એમને ઉપકારી માને એ તો સામાન્ય વ્યક્તિ પણ કરી શકે પણ શ્રીપાળમાં ચૈતન્ય પ્રત્યે આદર હતો જ્યારે અહીં તો દરિયામા ફેંક​વાની અને વાહનો પચાવી પાડ​વાની પ્ર​વૃતિ હોવા છતા, શ્રીપાળજીને ધ​વલ શેઠ પ્રત્યે સહેજ પણ તિરસ્કાર ભાવ ન ઉપજે …
  • જ્યા ચેતના ત્યા આદર​…
  • આમા શ્રીપાળની સમતાના અદભુત દર્શન થાય છે…

આમ તો જીવનો અનાદર એ જિનનો જ અનાદર છે

હ​વે પછીના ભાગમાં આપણે બાહ્ય અને આંતરથી ક્રિયા તેમજ સાતત્યની સાથે ધર્મક્રિયા વિશે જોઇશું…




શેર કર​વા નીચે ક્લિક કરો