🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૩૪: શું આપ જાણો છો મલ્લિનાથ ભગવાને પૂર્વભવમાં કરેલી માયાનું પરિણામ શું આવ્યું?

ગઇ કાલના ભાગમાં આપણે આશય વિશે જોઇ રહ્યા હતા..

આ ભાગમાં આપણે આશય વિશે વધુ જાણીએ…

9B આશય​:


જો આશય દંભનો હોય તો?

  • દંભ એટલે પોતાની સાચી છબીને છતી ન થ​વા દેવી.
  • પોતાની જાત જેવી છે તેવી બહાર ન દેખાવ​વા દેવી આ દંભનું સ્વરૂપ છે અને જ્યાં સુધી દંભ છે ત્યાં સુધી ધર્મની શરૂઆત નથી.
  • દંભની હાજરીમાં ઉંચામાં ઉંચુ અનુષ્ઠાન કર​વામાં આવે તો પણ તેની કંઇ કિંમત નથી.
  • આપણે દુકાને પણ જઇએ અને દેરાસરે જઇએ તો બંન્નેમાં ભેદ શો? એકમાં પાપનો આશય છે અને જો બીજામાં પણ પાપનો આશય જ ભળેલો હોય તો? ધર્મક્રિયા કરીએ અને સારા દેખાવ​વાની ઇચ્છા છે તો એ પાપની બુદ્ધિથી થતી ધર્મક્રિયા કહેવાય​.

મલ્લિનાથ ભગ​વાને પૂર્વભવમાં માયા કરી તો પરિણામ શું આવ્યું?

  • મલ્લિનાથ ભગ​વાને પૂર્વભવમાં બીજા કોઇ પાપ કર્યા નથી પણ બધાની વચ્ચે હું સૌથી વધારે સારો દેખાઉં​, હું બધા કરતા ચઢીયાતો બનું, આવી વૃતિથી તપ કર્યું - સાધના કરી છતા પાપ બંધાયું અને આ વૃતિને કારણે ભગ​વાન જેવા ભગ​વાનને પણ સ્ત્રીવેદ બંધાયો.
  • શાસ્ત્રકારો તો ત્યાં સુધી કહે છે,

રસની લોલુપતા છોડ​વી સહેલી છે પણ દંભ છોડ​વો અઘરો છે.

  • જમાલીએ ઉંચામાં ઉંચુ જીવન જીવ્યું છતા ભગ​વાનની આગળ પણ દંભ ન છુટ્યો. જાતને સર્વજ્ઞ તરીકે બતાવ​વાનું મન થયું. પોતાને ખબર પડી ગઇ કે હું ખોટો છું છતા ખોટાનો સ્વીકાર ન કર્યો અને દંભને આધિન બની બધું ખોઇ બેઠા.

  • લક્ષ્મણા સાધ્વીજી ઉત્તમ ચારિત્ર પાળનાર, એક દિવસ ચકલા-ચકલીનું મૈથુન જોઈને એમના મનમાં વિચાર આવ્યો કે ‘આવા નિર્દોષ આનંદની ભગવાને કેમ રજા નહીં આપી હોય? વળી વિચાર આગળ ચાલ્યો કે ભગવાનને વેદનો ઉદય ન હોવાથી આ સુખને કેમ જાણી શકે?
  • આ વિચાર આવ્યા પછી તૂર્ત જ એ સ્વસ્થ બની ગયા છે અને એમને પોતાની ભૂલ સમજાય છે કે

“અરેરે ! મેં કેવો વિચાર કર્યો! સર્વજ્ઞ પ્રભુના જ્ઞાનમાં શંકા કરી. ભગવાન તો સર્વજ્ઞ છે. એટલે વેદના ઉદયને પણ જાણે જ છે. પરમાત્માના જ્ઞાનમાં શંકા કરીને મેં મોટી ભૂલ કરી છે જો હું એની આલોચના નહીં કરું તો મારે ઘણો કાળ આ સંસારમાં રખડવું પડશે”

  • એ પ્રમાણે વિચાર કરીને નિકટમાં વિચરતા કેવલી ભગવંત પાસે આલોચના કરવા જાય છે.
  • જેવો પગ ઉપાડે છે ત્યાં કાંટો વાગે છે એટલે અટકી જાય છે અને ત્યાં ચિત્ત ઉપર માન સવાર થાય છે કે “જો હું આવું કહીશ તો હું કેવી લાગીશ?”
  • પાછો વિચાર આવ્યો કે નહિ કહું તો સંસારમાં રખડવું પડશે.
  • મનમાં દ્વન્દ્ર યુદ્ધ ચાલ્યું, છેલ્લે રસ્તો કાઢ્યો આલોચના પણ લેવાય અને માનહાનિ ન થાય અને આ રીતે માન નડ​વાથી એમણે આલોચના તો લીધી પણ બીજાના નામે લીધી કે “જે આવું પાપ કરે એને શું પ્રાયશ્ચિત આવે?”
  • આ રીતે માયાપૂર્વક આલોચના લઇને દંડરુપે એમણે ૫૦ વર્ષ સુધી ઉગ્ર તપ તપ્યો છે છતાંયે માયાને કારણે પાપની શુદ્ધિ ન થ​વાથી ૮૦ ચોવીસી સુધી એટલે કે ચાલીસ ઉત્સર્પિણી અને ૪૦ અવસર્પિણી કાળ સુધી આ સંસારમાં પરિભ્રમણ કર્યું.
  • સુંદર રીતે સંયમજીવનનું પાલન કર્યું અને તીવ્ર તપ તપ​વા છતા માયાના કારણે એમનો મોટાભાગનો કાળ એકેન્દ્રિયમાં પસાર થયો.

આ છે માયાનું પરિણામ​. માટે આપણે પણ આપણા જીવનમાંથી દંભને કાઢીએ.

૧૦. ધર્મ પામ​વાની ઇચ્છા જોઇએ:


  • ધર્મ એ માણસ જ પામી શકે કે જેને ધર્મ પામ​વાની ઇચ્છા હોય​.
  • જેવી રીતે ધન પામ​વાની ઇચ્છાવાળો માણસ કષ્ટ સહન કરીને પણ ધન મેળ​વ​વાનો પુરૂષાર્થ કરે છે એ રીતે ધર્મ પામ​વાની ઇચ્છાવાળો માણસ કષ્ટ સહન કરીને પણ ધર્મનો પુરૂષાર્થ કરશે અને કષ્ટ જોઇને ધર્મ છોડી નહીં દે.
  • જેને ધર્મની જરૂર નહીં હોય તેને ધર્મ આપ​વામાં આવશે તો તે વિધિપૂર્વક, ઉલ્લાસથી ધર્મ નહીં કરે. કષ્ટ પડતાં ધર્મ છોડી દેશે. તે મન વગર અવિધિથી ખિન્ન ચિત્તે ધર્મનું આચરણ કરશે. “ક્યારે મારી આ ધર્મક્રિયા પૂરી થાય અને હું આ વાતાવરણમાં થી બહાર નીકળું…!” એવા એના વિચારો હોય છે.
  • તે ધર્મક્રિયા કર્યા પછી કદીય તે ક્રિયાની પ્રશંસા યા અનુમોદના કરતો નથી.

  • જે માણસ પોતાના રોગની ભયંકરતા સમજે જેમ કે, હ્રદયરોગ હોય, કેન્સર હોય તો તેઓ દ​વા વ્યવસ્થિત રીતે લે છે. અને ડોક્ટર દ્રારા કહેવામાં આવેલ ખાવા-પીવાની ચરી પાડે છે. તેની બદલે જો કોઇ બાળક જે પોતાના રોગની ભયાનક્તા નથી સમજતું તે દવા કેવી રીતે લે છે? મુખ બગાડશે, રડશે, દ​વા ફેંકી પણ દેશે.. કારણ કે તેને દ​વાની કોઇ ઇચ્છા નથી. તે પોતાના રોગને સમજતો નથી.
  • આ જ રીતે જે માણસ પોતાના આત્માને લાગેલા અનંતકર્મોની ભયંકરતા સમજતો નથી, કર્મોના વિપાકને સમજતો નથી, તે નાના બાળક જેવી વાત કરે છે. તે જેમ બાળક દ​વા સાથે વ્ય​વહાર કરે છે તેવો વ્ય​વહાર ધર્મ સાથે કરશે.

આ માટે એક સમજતો થ​વી જ જોઇએ કે “આપણા સર્વ દુ:ખોનું મૂળ આપણે બાંધેલા પાપકર્મો છે, એ પાપકર્મો જ્યાં સુધી નષ્ટ નહીં થાય ત્યાં સુધી આપણે દુ:ખ ભોગ​વવા જ પડશે અને તેના માટે ધર્મના પ્રભાવથી જ કર્મોનો નાશ થઇ શકે છે અને એ વાત સમજાવાથી ધર્મ શ્રદ્ધા, પ્રેમથી અને વિધિ સહિત કરશે.”

હ​વે પછીના ભાગમાં આપણે ભકિતના અગત્યના અન્ય અંગો વિશે જોઇશું…




શેર કર​વા નીચે ક્લિક કરો