🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૨: ખાવું, પીવું અને જલ્સા કરવા...

આગળનાં ભાગમાં આપણે જોયું કે જો આપણે આપણો ભ​વ સુધાર​વો હોય તો આત્મિક શક્તિનો ઉપયોગ કર​વો જ રહ્યો. આ ભાગમાં આપણે જોઇશું કે આ આત્મિક શક્તિનો ઉપયોગ એટલે શું?

  • સામાન્ય રીતે જીવનમાં આહાર, નિંદ્રા અને મૈથુન આવશ્યક છે કે જેના વગર ન ચાલે પરંતુ જો આ જ પ્રવૃતિમાં રચ્યા-પચ્યા રહેવું હોય અને જીવન પસાર કરવું હોય તો પશુ અને મનુષ્યની પ્રવૃતિમાં તફાવત શો?

  • જ્ઞાનીઓએ તો મનુષ્યભવ એ તો દુર્લભતા કહી છે તો

    • શું તેમને મનુષ્યના દેહમાં કોઇ વિશેષતા નિહાળી?
    • માનવીને ઉચ્ચ કક્ષાએ મૂક્યો અને પશુને નીચી કક્ષાએ શા માટે?
    • જ્ઞાનીઓને શું આ માનવ દેહનો મોહ હતો?

ના, તેઓને આ નશ્વર દેહની કિંમત તો કંઇ જ ન​ હતી પણ

  • કિંમત છે ધર્મની.
  • આત્મિક શક્તિનો ઉપયોગ માત્ર​ આ માનવ દેહ દ્રારા જ શક્ય છે.

આત્મિક શક્તિનો ઉપયોગ એટલે:

  • ભાવના બળથી સદભાવનાઓ અને પવિત્રતાને હ્રદયમાં ભરી દેવું
  • મનને સદબુદ્ધિમાં રમતું રાખવું
  • આત્મા પાસે મોક્ષ સાધનાના પુરુષાર્થ આદરાવવા.
  • અને આ આત્મિક શક્તિને ખીલવે છે ધર્મ

ધર્મ શા માટે?

  • મનુષ્ય પોતાનાં જીવનકાળ દરમ્યાન જે ભાગ-દોડ કરે છે, તે સુખ મેળ​વ​વા અને સુખી બની રહેવા જ તો કરે છે.
  • આજનો માનવ ધન સંપત્તિ, ખાનપાન, અથ​વા તો અન્ય કોઇ ભૌતિક વસ્તું ને જ સુખ નું કારણ માની બેઠો છે.

પરંતુ

  • જો સુખ ધન સંપત્તિ નો ગુણ હોય તો જેટલા ધન સંપત્તિ વધુ તેટલો વધુ સુખ નો અનુભવ થાય. પરંતુ શુ વાસ્ત​વમાં એવું થાય છે?
  • જો સુખ ખાનપાન નો ગુણ હોય તો જેટલા ખાનપાન વધુ તેટલું વધુ સુખ થવુ જોઇએ. જેમ કે એક-બે લાડુ ખાતા સુખ થાય છે પરંતુ જો વધુ ખવાય જાય તો ઉલ્ટી જેવું થાય છે તો શું મજા, સજા માં પરિવર્તિત નથી થઇ જતી?
  • તો શું આ ધન -ખાનપાન વગેરેને સુખ કહેવાય? આમ , સુખ એ બાહ્ય વસ્તુનો ધર્મ નથી. એ તો આત્માની ચીજ છે.
  • પરંતુ એ ત્યારે જ અનુભવાય કે જ્યારે હૈયે કોઇ ચિંતા ન હોય, મનમાં કોઇ ભય ના હોય, અંતરમાં અજંપો ના હોય, મન -હૈયું-અંતર નિશ્ચિંત, નિર્ભય , શાંત અને આત્મા માં મસ્ત હોય તો સાચા સુખ નો અનુભવ થાય. આવું સુખ ધર્મ જ આપી શકે.
  • ધર્મ પર ભાર દેવામાં જ્ઞાનીઓની જનસમાજ પ્રત્યે હિતની દષ્ટિ છે, પરંતુ તેમાં ગતાનુગતિકતા, અંધ અનુકરણ કે અવિચારી–પ્રવૃત્તિ નથી.
  • પરંતુ સુખ માટે જ્યાં ત્યાં ફાંફાં મારતા માનવીને સુખ પ્રાપ્તિના સાચા માર્ગે ચઢાવવાનો જ્ઞાનીઓનો એક માત્ર પ્રયત્ન છે.

  • “સુખં ધર્માત દુ:ખં પાપાત” - અર્થાત ધર્મથી સુખ , પાપથી દુ:ખ આ સનાતન સત્ય છે.

હ​વે પછીનાં ભાગમાં આપણે જોઇશું કે શું સંસારમાં કોઇ સંપૂર્ણ સુખી છે? કે પછી બધાએ સુખની શોધમાં માત્ર આંધળી દોટ જ મુકી છે?*




શેર કર​વા નીચે ક્લિક કરો