🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૧૦૭: અમને ધર્મ કરવાનો ભાવ કેમ જાગતો નથી?

આગળના ભાગમાં આપણે જોયું કે ખરેખર આપણે જીવ​વા માટે પાપો કરીએ છીએ કે મોજ-શોખ કર​વા પાપો કરીએ છીએ? એ જ વિચાર કરતા નથી…

હ​વે આગળ,

આર્યકુળનો માનવ જનમ ઊંચો ગણાય પણ એ જનમ જીવન જીવાય તો ઊંચો? કે ન જીવાય, અધમ જીવન જીવાય તો પણ ઊંચો?

  • કોઈ શાણો માણસ અધમ જીવન ઉપર જનમને ઊંચો ન કહે.

ઊંચો ન્યાયાધીશનો હોદ્દો હોય પરંતુ લાંચ લેતાં પકડાય, જેલમાં જાય, તો એ હોદો ઊંચો કેવો ગણાય?

  • એમ હલકું જીવન જીવીએ તો ઊંચો માનવ જનમ કેવો ગણાય?

હવે સવાલ આ આવે છે કે ઉચ્ચ કોટિનું જીવન શેને ગણાય?

  • સહજ વાત છે કે પાપ જીવનને ઉચ્ચ કોટિનું જીવન ન ગણાય,
  • પણ ગુણમય જીવન-ધર્મ-જીવનને જ ઉચ્ચ કોટિનું જીવન ગણાય
  • દુનિયામાં હિંસક અને જુઠા બોલા માણસનું જીવન ઊંચું નથી ગણાતું.
  • પણ દયાળુ અને સાચા બોલા માણસનું જ જીવન ઊચું ગણાય છે.
  • બહુ લોભિયા, માયાવી, અનીતિખોર, વિશ્વાસઘાતી અને લંપટનાં જીવનને ઉચ્ચ કોટિનાં નહિ, પણ અધમ કોટિનાં જીવન ગણાય છે.
  • ત્યારે સંતોષી-પરોપકારી નિષ્કપટ-નીતિમાન-વિશ્વાસપાલક અને સંયમીનાં જીવન ઉચ્ચ કોટિના ગણાય છે.

આ બતાવે છે કે ધર્મજીવન-ગુણમય જીવન એ ઉત્તમ જીવન છે, અને પાપજીવન એ અધમ જીવન છે.

  • જીવદયા-દાન-શીલ, તપ-ભાવના, પરમાત્મભક્તિ, સાધુ સત્સંગ, સામાયિક, જ્ઞાનોપાસના, મહાપુરુષના ચરિત્રનું વાંચન વગેરે આચરાય, એ ઊંચું ધર્મજીવન છે.
  • એની સામે નિર્દયતા-કઠોરતા, ‘હાય પૈસા !’, ‘વાહ પરિવાર !’ મજેનાં ખાન પાન-વિષયોનાં જ આનંદમંગળ, ધંધામાં ઓતપ્રોતતા વિકથા-કુથલી મોહાંધ-વિષયાંધોના સંપર્ક વગેરે, એ અધમ પાપજીવનના ખેલ છે.

આટલો ધર્મજીવન અને પાપજીવનનો વિવેક જાગ્યા પછી પણ આજે કેટલાય ભવી જીવોની ફરિયાદ છે કે અમને ધર્મ કરવાનો ભાવ કેમ જાગતો નથી?

  • આની પાછળ બીજા કારણ હોય છે, પણ એક અગત્યનું કારણ આ છે કે જીવન લક્ષ્યના વિચાર વિનાનું જીવાય છે,
  • લક્ષ્યના વિચાર વિનાનું જીવવું એ કેટલી બધી મૂઢતા ગણાય !
    • માણસ બજારમાં જાય તો લક્ષ્યનો વિચાર હોય છે કે મારે માલ ખરીદવા જવું છે.
    • ધંધે જાય તો પૈસા કમાવાનું લક્ષ્ય હોય છે.
    • દવાખાને જતાં દવા લેવાનું લક્ષ્ય નજર સામે રહે છે.
    • બહાર ફરવા જાય તો આરોગ્ય સાચવવાનું લક્ષ્ય ધ્યાનમાં રાખીને. આ બધે લક્ષ્યનું ધ્યાન રહે છે.

પરંતુ આશ્ચર્ય છે કે

આટલું કિંમતી માનવ જીવન જીવાય છે એ શા માટે ?

કયા લક્ષ્યને સિદ્ધ કરવા માટે એનો વિચાર જ નહિ!

વધુ હ​વે પછીના ભાગમાં…




શેર કર​વા નીચે ક્લિક કરો