ભાગ ૧૦૮: પશુને જીવનના લક્ષ્યનો વિચાર નહિ, એમ શું માનવને પણ લક્ષ્યનો વિચાર નહિ?
આગળના ભાગમાં આપણે જોયું કે આટલું કિંમતી માનવ જીવન જીવાય છે એ શા માટે?
કયા લક્ષ્યને સિદ્ધ કરવા માટે એનો આપણે વિચાર જ કરતા નથી
હવે આગળ,
- પશુને જીવનના લક્ષ્યનો વિચાર નહિ, એમ શું માનવને પણ લક્ષ્યનો વિચાર નહિ? તો પશુ જીવનથી માનવ જીવનની શી વિશેષતા રહી?
- એક ઉચ્ચ માનવપ્રાણી તરીકે જન્મ્યા અને એમાં ખાધું પીધું પૈસા કમાયા, સુખ ભોગવ્યા વગેરેનું જીવન જીવ્યા, પણ એ બધું કયું લક્ષ્ય સિદ્ધ કરવા, એનો જો ધર્મી આત્મા વિવેક પૂર્વક વિચાર કરે તો આ સમજાય કે
ઉત્તમ માનવ જીવન શક્ય એટલા પાપ ઓછા કરવા અને શક્ય ધર્મસુકૃત-સદ્ગુણો સાધી લેવા માટે છે.
જીવન જીવીએ એનું લક્ષ્ય પાપવિરામ અને ધર્મસિદ્ધિ છે.
-
માનવ જીવનનું આ લક્ષ્ય વારંવાર નજર સામે હોય તો વાતે વાતે એ જોવાય કે આમાં કાંઈ પણ પાપનિવૃત્તિ-પાપત્યાગ થાય છે કે નહીં? કાંઈ પણ ધર્મસિદ્ધિ થાય છે કે નહીં?
- બેઠો ત્યાં એ ખ્યાલ,
- ઊઠ્યો ત્યાં એ ખ્યાલ;
- ખાય ત્યાં એ ખ્યાલ,
- પીએ ત્યાં એ ખ્યાલ,
-
ધંધો નોકરી કરે ત્યાં એ ખ્યાલ
- પૈસા લાવે ત્યાં પણ એ ખ્યાલ,
- પૈસા સંઘરે ત્યાં ય એ ખ્યાલ,
- પૈસા ખરચે ત્યાં પણ એ ખ્યાલ,
-
સ્નેહી સાથે વાતચીત કરતો કે આરામ કરે યા કુટુંબનો-સમાજનો-સંસ્થાનો વડેરો થાય, ત્યાં પણ એ જ લક્ષ્ય કે આમાંથી પાપત્યાગ અને ધર્મસિદ્ધિ થાય છે કે નહીં?
- માનવ જીવનની દરેક દુન્યવી ઘટનાઓમાં જો આ લક્ષ્યનો પાકો ખ્યાલ રખાય અને એને સિદ્ધ કરવા મથાય, તો પછી દુન્યવી પ્રવૃત્તિમાંથી શક્ય એટલી વધુ નિવૃત્તિ લઈને ધાર્મિક પ્રવૃત્તિ ધર્મસાધના કરવાનો ભાવ જાગે એ સહજ છે.
આ જીવન લક્ષ્ય સતત ખ્યાલમાં રાખવાથી ધર્મ કરવાનો ભાવ જાગે
ધર્મ વિના ચાલે?
- ખાધા વિના ન ચાલે
- પૈસા કમાયા વિના ન ચાલે
- બજારમાં ગયા વિના ન ચાલે
આ હૈયે બેસી ગયું છે એની ગરજ રહે છે જ…
પણ ધર્મ માટે આવું હૈયે બેઠું છે કે ધર્મ વિના ન ચાલે?
વધુ હવે પછીના ભાગમાં
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶