🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

આજે ઘર ઘર હોસ્પિટલના ખાટલા બન્યા છે તેનું કારણ ઘર જીવહિંસાનું કતલખાનું બન્યું છે માટે!

આગળના ભાગમાં આપણે જોયું કે માન​વભવમાં સામગ્રી એવી કે જો માણસ ધારે અને ભવિતવ્યતાદિનો સુયોગ હોય, તો માણસ બહુ ખૂશીથી પાપ વગર જીવી શકે.

અને જોયું કે રસોઇનું પાપ કરતાં સ્ત્રીઓને થાય કે

  • રસોઈ કરતા કરતા પણ જેટલાં પાપોથી બચી શકાય તેમ હોય, તેટલાં પાપોથી બચવાની કાળજી રાખ​વી.
  • પરંતુ ખુબ જ દુ:ખ સાથે કહેવું પડે છે કે આજે આધુનિકતાની આંધળી દોટ અને અજ્ઞાનતા વશ જીવદયા અને જયણાની આજે ખાસ્સી ઉપેક્ષા કરવામાં આવે છે…
  • તો ચાલો આપણે જયણા વિશે વિસ્તારથી જોઈએ.. જેથી આપણે અજ્ઞાનતા વશ થતા પાપોથી બચી શકીએ…

હ​વે આગળ,

A - જયણા


જૈન કોમ આટલી ઉજળી, તેજસ્વી અને આગળ પડતી છે તે જિનપૂજા જીવદયા અને જયણાને આભારી છે.

  • જૈનો જિનપૂજા જીવદયા અને જયણાને કુળદેવીની જેમ સન્માને છે.
  • પરંતુ અફસોસ સાથે એકરાર કરવો પડે છે કે હવે આ ત્રણેય કુળદેવીની ભક્તિમાં ઓટ આવી છે.
  • આધુનિકતાની આંધળી દોટ અને અજ્ઞાનતા, આ બે પરીબળોના કારણે જીવદયા અને જયણાની આજે ખાસ્સી ઉપેક્ષા કરવામાં આવે છે.
  • જૂના સમયમાં આપણી દાદીમા આ બાબતોમાં ખૂબ ચોક્કસ હતી, આ વિષયમાં ખૂબ માહિર હતી.
  • રસોડામાં ચંદરવા-પૂંજણી વગેરે જયણાના સાધનો અવશ્ય રાખવામાં આવતા પરંતુ આધુનિકતાના રંગે રંગાયેલી વહુઓનું સામાન્ય ઘરમાં આવ્યું ત્યારથી જયણાની જાળવણી ઘટતી ચાલી.
  • તેઓની ઉપેક્ષાથી જાણે જયણાદેવી ઘર ત્યજીને ચાલી નીકળ્યા છે.
  • આજે આ નવા રંગે રંગાયેલી વહુ - દિકરીઓને ખબર જ નથી કે ઘરમાં જીવોત્પત્તિ કેમ અટકાવવી અને જીવોત્પત્તિ થઈ જાય તો જયણા કેવી રીતે કરવી?
  • પૂર્વે આ બધું આપણા દાદીમાને મોઢે હતું, એમને કંઠસ્થ રહેતુ હતું.
  • જેટલી જયણા વધારે હશે એટલું આરોગ્ય ઘરમાં સચવાશે. મંદવાડા દૂર ભાગશે.
  • આજે ઘર ઘર હોસ્પિટલના ખાટલા બન્યા છે તેનું કારણ ઘર જીવહિંસાનું કતલખાનું બન્યું છે માટે!

અષ્ટ પ્રવચન માતા એ સાધુની માતા છે તો જયણા એ શ્રાવકની માતા છે.

  • જયણા એટલે જીવરક્ષા માટેની કાળજી.
  • આપણી ચારે બાજુ વિશાળ જીવસૃષ્ટિ પથરાયેલી છે.
    • ફળિયામાં કૂતરા છે
    • આંગણામાં બિલાડા છે
    • રસોડામાં વાંદા છે
    • શયનખંડમાં માંકડ છે
    • ખાળમાં ઉંદર છે
    • માથામાં જુ છે
    • ખૂણે-ખાંચરે ક્યાંક કીડીના દર છે
    • છત કે દિવાલમાં ક્યાંક પક્ષીના માળા અને કરોળીયાના જાળા છે
    • ફર્નીચરમાં કે દિવાલમાં ઉધઈ છે
    • ચારે બાજુ મચ્છર ઉડે છે
    • નળમાંથી વહી આવતા પાણીમાં અસંખ્યાતા ત્રસ જીવો છે
    • અનાજમાં ઈયળ અને ધનેડાં છે
    • શાકભાજીમાં પણ ક્યાંક ઈય​ળ છે
    • વાસણમાં ક્યાંક કંથવા છે
    • સચિત્ત માટી પૃથ્વીકાય છે
    • કાચા પાણીમાં અકાય જીવો છે
    • અગ્નિમાં, વાયુમાં અને વનસ્પતિમાં પણ જીવ છે
  • વાનગીઓ ઉપર કે ફર્નીચર વગેરેમાં બાઝી જતી ફુગ​ અને મકાનના કમ્પાઉન્ડમાં ફેલાઈ જતી લીલમાં પણ અનંતકાય જીવો છે.
  • બેસતાં, ઉઠતાં, હાલતા-ચાલતા, ખાતા-પીતા, સૂતા, બોલતા, વસ્તુ લેતા-મૂકતા, બારણા ઉઘાડ-બંધ કરતાં કે સાફ-સફાઈ કરતાં આપણી બેકાળજીથી આવા ૧-૨ થી માંડીને અનંત જીવોની હિંસા થઈ જવાની સંભાવના છે.
  • આપણી થોડીક કાળજી આવા અનેક જીવોના પ્રાણ બચાવી લે અને આપણને હિંસાના પાપથી બચાવી લે.
  • પાપથી રક્ષણ એટલે ભવિષ્યના દુ:ખથી રક્ષણ.
  • આ રીતે પાપ અને દુઃખથી આપણી રક્ષા કરનારી જયણા આપણી ‘મા’ જ કહેવાય ને!

વધુ હ​વે પછીના ભાગમાં




શેર કર​વા નીચે ક્લિક કરો