🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૯૫: શ્રોતા એ વક્તાગુરુનો ભક્ત હોવો જોઈએ

આગળના ભાગમાં આપણે જોયું કે જે અંદર અશાંત હોય તેને બહાર ભુલો થાય છે પણ જિન​વાણી સાંભળ​વાથી આત્મા શાંત બનતો જાય છે અને જિન​વાણીનું મહત્વ જાણ્યું…

હ​વે આગળ,

આજ્ઞા


જિન​વાણી માટે સારા ઘર્મશ્રોતાના ગુણો

  • શાસ્ત્રોનું શ્રવણ સાંસારિક ધોરણે ન કરાય, કેમકે ધર્મશ્રવણ એ સમ્યગબોધ મેળવી આત્માની અજ્ઞાનદશા ઓછી કરવા માટે છે, અને એથી શક્ય ધર્મસાધના, ગુણવિકાસ અને દોષત્યાગ કરવા છે.

  • તેથી શાસ્ત્રનું શ્રવણ વ્યવસ્થિત જોઈએ માટે શાસ્ત્રમાં શ્રોતાના આ ગુણો બતાવ્યા છે

(૧) શ્રોતા એ વક્તાગુરુનો ભક્ત હોવો જોઈએ પણ ઈર્ષ્યાળુ છિદ્રાન્વેષી વગેરે નહિ.

  • જેની પાસે ધર્મ સાંભળવો છે, એના પર ભક્તિભાવ જોઈએ. ભક્તિભાવ ન હોય, ઈર્ષ્યા હોય, છિદ્રાન્વેષણ હોય, તો સાંભળતો જાય ને મનમાં લોચા વાળતો જાય કે

આ શું નવું કહે છે ?

આ તો અમને ખબર છે!.

અહીં મહારાજ ભૂલ્યા…

મહારાજ આવેશી છે. મહારાજથી બોલવામાં આવેશ લવાય ?

  • મનમાં આવા લોચા વળે ત્યાં વક્તા ગમે તેટલી ઊંચી વાતો અને ઊંચા તત્ત્વો કહે, શાસ્ત્રના ગુપ્ત રહસ્યો સમજાવે, છતાં એ આ ઈર્ષ્યાળુને મામુલી લાગે, નકામું લાગે !

  • ત્યારે જો વક્તા પ્રત્યે ભક્તિભાવ હોય તો એમની વાણી બહુ પ્રેમથી ઝીલે, ને સાંભળતાં સાંભળતાં કેટલાય કર્મોનો ભુક્કો બોલાવે, અને કહેવાતી વસ્તુ પર શ્રદ્ધા થાય, તેમજ એ સાંભળેલું હદયમાં ઉતારી એમાંથી શક્ય હોય તો અમલમાં ઉતારે,

(૨) અગર્વીપણું જોઈએ.

  • શ્રોતા જો ગર્વથી પીડાતો હોય, તો

  • શ્રવણ વખતે શંકા પડે એનું સમાધાન પુછશે નહિ.

    હું આવું પૂછીને અબુઝમાં ખપું (એમ એને અહંત્વ ઘવાતું લાગશે.)

  • વળી ગર્વિષ્ટ શ્રોતા વિનયભાવે અને વાચનાની મુદ્રા એક પગે ઉભડક બેસી બે હાથ જોડીને, નહિ બેસે.

  • ગર્વમાં ને ગર્વમાં આખું વ્યાખ્યાન પોતાને લાગું નહિ કરે, બધું બીજાને લાગું કરશે!

(૩) શ્રવણની રુચિ જોઈએ.

  • શ્રવણની જો રુચિ જ મૂળ પાયામાં નહિ હોય, તો વક્તાનું કહેલું બધું બહેરા કાન પર પડવાનું !
  • વાણી કશી ઝીલાવાની નહિ ! ઉલટું, એના પર કંટાળો લાવશે !
  • વક્તા હિતૈષી ગુરુસ્થાને છે એમના દ્વારા હિત ભાવનાથી કહેવાતા તત્ત્વ પર કંટાળો, અરુચિ એ કેટલો મોટો દોષ ? જરૂર પડ્યે દુર્લભબોધી બનાવે !

(૪) શ્રવણમાં સ્થિરતા જોઈએ, ચંચળતા નહિ.

  • કોણ આવ્યું ?…
  • કોણ ગયું ?…
  • ઉપાશ્રયને બારીઓ કેમ ઓછી છે ?…
  • વ્યાખ્યાન ક્યારે પૂરું થશે ?…વગેરે.
  • નહિતર શ્રવણ વખતે ચંચળ મન વચમાં વચમાં બીજે-ત્રીજે ભટકવા જશે !
  • તેથી કહેવાયેલું ધ્યાનમાં નહિ લેવાય, એળે જશે, એટલો એનો અને વક્તાનો સમય બરબાદ જશે,

(૫) સમજ-શક્તિ જોઈએ.

  • જો શ્રોતામાં વક્તાએ કહેલું સમજવાની શક્તિ નહિ હોય તો પણ સાંભળેલું એળે જવાનું

  • ધર્મ કરીને અને પુણ્ય બંધાય એ સામન્ય પરભવે ફળે છે, પરભવે ઉદયમાં આવે છે, પરંતુ તેવા પ્રકારનો ધર્મ કરીએ અને એથી જ્ઞાનાવરણીય કર્મનો, મોહનીયનો, અંતરાયકર્મનો ક્ષયોપશમ થાય એ સામાન્ય રીતે આ ભવમાં ય ફળે છે,

  • તો સમજશક્તિ માટે જ્ઞાનની ભક્તિ, જ્ઞાનીની ભક્તિ સાધુસેવા, તપસ્યા.. વગેરે તથા જ્ઞાન ભણવાની એકાગ્ર અને ભાવભર્યા ચિતે મહેનત કર​વાથી, જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થાય કે જે અહીં ફળે છે !
  • અહીં જ્ઞાનશક્તિ, સમજવાની શક્તિ વિકસ્વર કરે છે, ને જ્ઞાનસંપત્તિ વધે છે.

  • વરદત્ત ગુણમંજરીમાં જ્ઞાનશક્તિ નહોતી, ગાઢ જ્ઞાનાવરણીય કર્મ હતા, પરંતુ ગુરુવચનથી જ્ઞાનપંચમીની અને જ્ઞાનની આરાધના કરી, તો સુંદર ક્ષયોપશમ પ્રગટી જ્ઞાન-સંપત્તિ પામ્યા,
  • એટલે મારામાં સમજશક્તિ નથી, એમ કરી માત્ર બેસી રહેવું નહીં, ને શ્રવણ બંધ ન કર​વું, પરંતુ સાથોસાથ સમજશક્તિ પ્રગટાવનારા ઉપાય પણ આદરવા જોઇએ.

ગુરુવિનય-બહુમાનથી સમજશક્તિ વધે એ અંગેનુ દ્રષ્ટાંત હ​વે પછીના ભાગમાં જોઇએ…




શેર કર​વા નીચે ક્લિક કરો