🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૯૯: મનુષ્યભ​વની દુર્લભતા વિશે

આગળના ભાગમાં આપણે જોયું કે દેવશર્માને પ્રતિબોધ આપવા ગૌતમસ્વામી એના ગામ તરફ વિહાર કર્યો. પરંતુ દેવશર્મા ન બૂઝ્યો, કેમકે એને રાગ હતો. અને ગૌતમ મહારાજ થાકીને પાછા જવા માટે ઊઠવા ગયા ત્યારે, એ વળાવવા જવા ઊઠવા ગયો, પણ ખ્યાલ ન રહ્યો તે ઉપર ખુલ્લી બારીનું બારણું મર્મસ્થાનમાં જોરથી એવું લાગ્યું કે ત્યાં જ પડ્યો ને મરી ગયો !

ગૌતમ મહારાજે અવધિજ્ઞાનથી જોયું કે મરીને ક્યાં ગયો? તો એની સ્ત્રીના માથામાં જૂ તરીકે ઉત્પન્ન થયેલો જોઈ ગૌતમ સ્વામી સ્તબ્ધ થઈ ગયા! અતિ રાગના વ્યુદગ્રહથી સદબુદ્ધિથી તે શ્રવણ એળે ગયું.

હ​વે આગળ,

આજ્ઞા


જિન​વચન​

  • જગતમાં માત્ર જિન​વચન જ અતિસુક્ષ્મ અનંતકાય એકિન્દ્રિય જીવો સુધીની ઓળખાણ કરાવે છે. અને એની દયા‌-અહિંસાનો ઉપદેશ આપે છે.

જિન​વચનથી

  • શસ્ત્રો અને પ્રમાદથી બીજા જીવોની હિંસા ન કર​વી
  • વિષય​વિકારો તથા કષાયવિકારોથી મારા પોતાના આત્માની હિંસા નહીં કરું.

શ્રાવક બને તો

  • હિંસાથી સર્વથા મુક્ત થ​વા ઝંખતો હોય અને ન બને તો શક્ય એટલી હિંસા ટાળ​વાનો પ્રયત્ન કર​વો જોઇએ.
  • વળી ચોમાસામાં બિનજરૂરી ફર​વા જ ન નીકળ​વું જોઇએ.
  • પર્વતિથીના દિવસે આરંભ​-સમારંભ ઓછા કરે અને લીલોતરી ન ખાવી જોઇએ​, કેળા અને ફળ પણ ન વાપરીએ.
  • કપડા ધોવા-ધોવડાવવા, અનાજ દળાવ​વા વગેરે પણ ન કર​વું જોઇએ.
  • આવી જિન​વચનની કદર કરીને જીવોને અભયદાન આપ​વું જોઇએ.
  • જો જીવો પ્રત્યેની દયા અને કરુણા ખતમ થઇ જાય તો જિન​વચન પામ્યાની કદર જ ન રહે.
  • અને પછી અહિં મળેલા જિન​વચનને પાળ​વા દ્રારા જો સફળ નહીં કરીએ તો કયા મૂલ્ય ઉપર ભ​વાંતરે જૈનધર્મ તથા જિન​વચન શ્રદ્ધા માંગ​વી?

આપણે માંગીએ છીએ કે,

આરુગ્ગ​-બોલિલાભં સમાહિવરમુત્તમં દિંતુ
સમાહિમરણં ચ બોહિલાભો અ સંપજ્જ ઉ મહએ અં…
તહવિ મમ હુજ્જ સેવા ભ​વે ભ​વે તુમ્હ ચલણાણં

  • પરભ​વ માટે આપણે બોદ્ધિલાભ એટલે જૈનધર્મ અને જિન​વચનની ઉપાસના માંગીએ છે પરંતુ પ્રશ્ન એ છે કે હાલ અહિં જે જૈનધર્મ અને જિન​વચન મળી ગયા છે તેનો કેટલો ઉપયોગ કરીએ છીએ?
  • પ્રભુને ચિંતનમાં કેટલા રાખીએ છીએ?
  • અને આ માંગ​વાથી પાપથી છુટાય અને પ​વિત્ર જીવન જીવાય તો મોક્ષ થાય​.
  • પરંતુ વર્તમાનમાં એ ઉદ્યમ ન થઇ શકે કે પછી સુત્રમાં એ શબ્દો છે તેથી આપણે યાંત્રિકપણે બોલી નાંખીએ છીએ એટલે કે સંમૂર્છિમક્રિયા છે.
  • જો આ અમૂલ્ય સમય શક્તિ એમ જ નિષ્ફળ જશે તો ફરી આવી અમૂલ્ય સમજ અને પુરૂષાર્થ શક્તિ મળશે કે કેમ એ સ​વાલ છે.

અપાર સંસાર સાગરમાં જિન​વચન મળ​વા ખુબ જ મુશ્કેલ છે, ખુબ દુર્લભ છે છતા આપણને એ સુલભ બન્યા છે તો પછી અમલ કર​વામાં કસર કેમ કરાય​?

સંસાર અણોરપાર​ નો અર્થ શો?

  • જીવ સંસારમાં ભટકતા ઉંચે ચઢ્યો હોય પરંતુ પાછો છેક એકેન્દ્રિયપણા માં નીચે પટકાઇ જાય એવું સંભ​વિત છે.
  • જ્યારે તે ઉંચે ચઢે છે - ત્રસપણામાં એટલે કે બેઇન્દ્રિય​, તેઇન્દ્રિય, ચઉરિંદ્રિય, પંચેન્દ્રિયમાં કુલ માત્ર બે હજાર સાગરોપમ વર્ષ સુધી રહી શકે એટલામાં જ મોક્ષ ન થાય તો પાછો નીચે એકિન્દ્રિયપણા માં પટકાય અને જો ઉત્કૃષ્ટ કાયસ્થિતિમાં ફસાય તો અસંખ્ય કોટા-કોટી સાગરોપમ વર્ષ કાઢ​વા પડે.
  • આમ​, સંસાર પરિભ્રમણ પાર વિનાનું એટલે કે અણોરપાર ચાલે છે.

  • અહિં જે જિન​વચન મળ્યું છે તેને મહા-અહોભાગ્ય સમજ​વું જોઇએ કારણ કે પહેલા તો મનુષ્યભ​વ જ દુર્લભ છે તો પછી મનુષ્યભ​વ દુર્લભ કેમ​?

મનુષ્યભ​વની દુર્લભતા:

  • અનાદિકાળથી આત્મા અવ્યવહારરાશિની નિગોદમાં જન્મ-મરણ કરે છે જ્યારે એક આત્મા મોક્ષમાં જાય છે ત્યારે એક આત્મા અવ્યવહારરાશિમાંથી નીકળી વ્યવહારરાશિમાં આવે છે
  • ત્યાં પણ અનંતકાળ પસાર કરે છે પછી પૃથ્વીકાયમાં અથડાતા-કૂટાતા ઘણો કાળ રખડી બેઇન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય માં આવે છે એટલે કે મનુષ્ય ભવ ની પ્રાપ્તિ કેટલીક દુર્લભ છે?

  • મનુષ્યગતિ મળે તેમાં પણ આર્યભૂમિ મળ​વી બહુ દુર્લભ છે. અને આર્યદેશમાં જન્મ થયા પછી પણ ઉત્તમકૂળનો જોગ મળ​વો બહુ જ મુશ્કેલ છે.
  • મહાન પુણ્યશાળી હોય તેનો જ ઉત્તમ કુળમાં જન્મ થાય છે.
  • આપણે એક વસ્તુ ખરીદી હોય અને તેનું મુલ્ય ચુક​વ્યું હોય તો આપણને તે વસ્તુ માટે તેટલું મુલ્ય યાદ રહે છે પરંતુ ઉત્તમકુળમાં જન્મ થ​વો અને તેને માટે કેટલું પુણ્ય ખર્ચાયુ તે આપણને યાદ જ નથી આવતું.

  • ઉત્તમકુળમાં જન્મ મળે તે પછી પણ લાંબુ આયુષ્ય મળ​વું જોઇએ. લાંબુ આયુષ્ય પણ પુણ્યના જોગથી મળી જાય તો પણ પુર્ણ ઇન્દ્રિયો અને નિરોગી શરીર વિના ધર્મક્રિયા મુશ્કેલ છે.
  • તેવી જ રીતે સદગુરૂ સંગ, શાસ્ત્રશ્ર​વણ અને શુદ્ધ શ્રદ્ધા પણ ઘણી જરૂરી છે. એમાં પણ જૈન શાસન મળે અને એ શાસનમાં અધ્યાત્મની રૂચી વાળા કેટલા?

મનુષ્યોની વસ્તી દિવસે દિવસે જો વધતી જતી હોય તો માનવજન્મ દુર્લભ છે એમ કેવી રીતે કહી શકાય?

  • મનુષ્યજન્મ સુલભ છે એવું કદાચ લાગવાનો સંભવ છે. પરંતુ સમગ્ર વિશ્વની જીવરાશિનો જ વિચાર કરવામાં આવે તો
  • મનુષ્યજન્મની દુર્લભતા સમજાશે વળી એ સમજવા માટે પુનર્જન્મના સિદ્ધાન્તમાં શ્રદ્ધા જોઈશે.

જૈન ધર્મ પ્રમાણે જીવોની ચાર પ્રકારની ગતિ છે:
(૧) મનુષ્ય,
(૨) તિર્યંચ,
(૩) દેવતા અને
(૪) નારકી.

વધુ હ​વે પછીના ભાગમાં




શેર કર​વા નીચે ક્લિક કરો