🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૧૦૨: પલ્ય એટલે કુવો, કુવાની ઉપમા વાળો જે કાળ તે પલ્યોપમ​

આગળના ભાગમાં આપણે જોયું કે દેવને એક નવકારશી કરવી હોય તો પણ પોતાના મનને તે કેળવી ન શકે તેમજ પલ્યોપમ અને સાગરોપમ કોને કહેવાય એ વિશે જોઇ રહ્યા હતા…

હ​વે આગળ,

આજ્ઞા


પલ્યોપમ અને સાગરોપમ કોને કહેવાય.?

  • પલ્ય એટલે કુવો, કુવાની ઉપમા વાળો જે કાળ તે પલ્યોપમ​….
  • ચાર ગાઉ લાંબો-પહોળો ને ઊંડો ખાડો કરવાનો.
  • તેમાં તાજા જન્મેલા બાળકોના વાળના ટૂકડા કરીને તે ખાડો એવી રીતે ઠાંસી-ઠાંસીને ભરવાનો કે જેની ઉપરથી ચક્રવર્તિની આખી સેના ચાલી જાય તો પણ તે દબાય નહીં.

પછી તેમાંથી દર સો વર્ષે એક વાળનો ટૂકડો કાઢવાનો તો એ ખાડો સંપૂર્ણ ખાલી ક્યારે થાય ?

  • એ ખાડો સંપૂર્ણ ખાલી થાય તે દરમિયાન જેટલો સમય થાય તે એક પલ્યોપમ કહેવાય.
  • ૭૦૫૬૦ અબજ વર્ષ =‌ ‌૧ પૂર્વ​ એવા ૮૪ લાખ પૂર્વ ભગવાન ઋષભદેવનું આયુષ્ય હતું…
  • એક પલ્યોપમનાં વર્ષ તો અસંખ્ય છે. એટલે ૧ પલ્યોપમ વર્ષના આયુષ્યવાળો દેવ અસંખ્યાતા જિનેશ્વરનાં પાંચેપાંચ કલ્યાણકો ઊજવી શકે છે.
  • અને એવાં દસ ક્રોડ​ પલ્યોપમ * ૧ ક્રોડ​ પલ્યોપમ = ‌ ૧ સાગરોપમ કહેવાય

૧૦ કોડાકોડી પલ્યોપમ ‌ = ૧ સાગરોપમ,
૧૦ કોડાકોડી સાગરોપમ ‌ = ૧ અવસર્પિણી
૧૦ કોડાકોડી સાગરોપમ ‌ = ૧ ઉત્સર્પિણી
ઉત્સર્પિણી + અવસર્પિણી ‌ = ૧ કાલચક્ર (૨૦ કોડાકોડી સાગરોપમ)
અનંતા કાલચક્ર = ૧ પુદ્ગલપરાવર્ત​

  • જીવ અહીંથી મરીને બીજી નરકમાં જાય તો ઓછામાં ઓછું તેનું ૧ સાગરોપમનું આયુષ્ય હોય ને સાતમી નરકમાં જાય તો તેનું ૩૩ સાગરોપમનું આયુષ્ય હોય.

આપણી જીંદગી કેટલી ?

  • ૮૦ વર્ષ - ૧૦૦ વર્ષ….
  • વર્તમાનમાં તો જીવો ૪૦ વર્ષથી ધ્રુજવા લાગે છે.
  • એટલે જેને ૪૦ વર્ષ થઈ ગયા છે એને ૪૦ બચ્યા.
  • એમાં અડધા ઉંઘમાં જવાના.
  • માટે ૨૦ વર્ષ બચ્યા એમાં કેટલાંય વર્ષ તો મજૂરીમાં જવાના.

જો ૨૫-૫૦ વર્ષ અહીં મોજ મજા કરીએ, કહેવાતું સુખ ભોગ​વીએ.

  • તેને અસંખ્ય કાળ સુધી કેટલું દુ:ખ ભોગવવું પડશે તે ઉપર જણાવેલી સાગરોપમની ગણત્રી પરથી વિચારી શકાય, જો જીવ અશુભ ભાવમાં જ મગ્ન રહેશે તો આ તો એના જેવું થયું કે હમણાં પાંચ દિવસ કહેવાતું સુખ ભોગ​વીએ પછી સો વર્ષની જેલ પડશે…

  • જંબુદ્વીપ ૧ લાખ યોજન, એની ફરતો ૨ લાખ યોજન પહોળો લવણ સમદ્ર છે, એની ફરતો ૪ લાખ યોજન ધાતકી ખંડ. એની ફરતો ૮ લાખ યોજન વિસ્તૃત કાલોદધિ સમુદ્ર, એની ફરતો ૧૬ લાખ યોજન વિસ્તારવાળો પુષ્કરાવર્તદ્વીપ છે. આ રીત આગળ-આગળ, ડબલ-ડબલ કરતાં જવાનું. આવા અસંખ્ય દ્વીપ અને અસંખ્યસમુદ્ર છે અને છેલ્લે સ્વયંભૂરમણ સમુદ્ર આવે છે. એની વિસ્તૃતતા કેટલી?
  • એની કલ્પના પણ આપણે નહીં કરી શકીએ…
  • એ સમુદ્રની પૂર્વમાં ગાડાની ધૂંસરી અને પશ્ચિમમાં એનો ખીલ્લો નાંખવામાં આવે. પછી એ બનેનું જોડાણ થ​વું શક્ય છે ? અશક્ય છે.
  • માની લઈએ દેવની સહાયથી એ શક્ય થઇ જાય પણ આ મનુષ્યભવ મળવો શક્ય નથી.
  • પ્રભુએ આખા જગતને હસ્તામલકવત નિહાળ્યું છે.

તમામ વસ્તુ, એના તમામ પર્યાયો, દરેક જીવના તમામ ભવો સાક્ષાત નિહાળ્યા પછી કહ્યું છે કે,

અનંતકાળમાં આ મનુષ્યભવ નથી મળતો.

  • એમાં આપણો નંબર લાગી ગયો છે. હવે એક વખત અહીંથી નંબર ગયા પછી ફરી એ લાઈનમાં ઉભા રહેવાનું છે.
  • જીવો અનંતાનંત અને મનુષ્યભવની સીટ સૌથી ઓછી અને મનુષ્ય જેટલા છે એમાં ક્યારેય વધારો થતો નથી
  • એવું બને કે કોઈક ક્ષેત્રમાં ઓછા થાય અને કોઈક ક્ષેત્રમાં વધી જાય પણ સર્વથા મનુષ્યો વધી જાય એવું બનતું નથી.

તો આ માન​વ ભ​વમાં એક પણ અશુભ ભાવને પ્રવેશ​વા ન દઇએ એ જ આપણુ લક્ષ્ય​…

વધુ હ​વે પછીના ભાગમાં




શેર કર​વા નીચે ક્લિક કરો