🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૧૬: તિલક અમર રહો, તિલક એ જ અમ પ્રાણ..

આપણે આગળના ભાગ ૧૫માં જોયું કે મહામંત્રી કપર્દીને તિલક ભુંસ​વાનું કહેતા જૈન સમાજ એકત્રિત થયો. હ​વે આગળ​..

  • જ્યારે મહામંત્રી કપર્દીએ સંધને નિર્ણય લેવાનું કીધું તો ચારે તરફથી એક સાથે અવાજ આવ્યો, “મહામંત્રીનો નિર્ણય એ સંઘમાન્ય નિર્ણય છે.”

“તો…..કરો ટીપ શહીદોની..”

  • પહેલું નામ મારુ અને મારી શ્રાવિકાનું અને ટીપ શરુ થઈ….! નવલોહીયા યુવક અને યુવતીઓના જોડલાંની….! એ ખુમારી જોઇને સૂરજ પણ પોતાના પ્રકાશની ઝાંખપથી શરમાઈ ગયો હશે…!

  • કપર્દી મંત્રીએ જિનશાસનની અપૂર્વ સેવા કરવાના આ સૂવર્ણ અવસરને અહોભાવથી વધાવી લીધો અને બીજે દિવસે સવારે આ યુગલોની દેરાસરમાં ભક્તિ અને ધૂનની રમઝટ થઇ.
  • પછી ત્યાંથી ગુરૂદેવશ્રીના ચરણે ભાવથી વંદન કરી અને પહોંચ્યા રાજ સભામાં. રેશમથી ઝ​ગારા મારતા વસ્ત્રોમાં જોઇને અજયપાલ વધુ રોષમાં આવી ગયા અને આગળ ઉભેલા કપર્દીના ભાલે દીપતું તિલક જોઇ કોપવાહી અવાજે પોકાર કર્યો.

“મંત્રી આજેય તિલક!”

  • કપર્દી: મહારાજ! એ તો અમર છે. “જબ તક સૂરજ ચાંદ રહેગા, તિલક હમારા અમર રહેગા.”
  • અજયપાલ: “મારી અવજ્ઞા ની કલ્પના કરી લે જો મંત્રી. હજી સમજી જાવ”.
  • સામેથી યુગલોનો અવાજ: “એની અમને પરવાહ નથી.”
  • અજયપાલ સિંહાસન ઉપરથી ઉભા થઇને રાડ પાડીને:, “સુભટો, પકડો એક-એકને… ને ફેંકો પેલા ઉકળતા તેલના કળાયામાં!” મહારાજા અજયપાલની અવજ્ઞાનું પરિણામ આ લોકો સમજશે નહીં.
  • કપર્દી: મહારાજ! પકડવાની જરૂર નથી… અમે નામર્દ નથી…

કપર્દીએ પગ ઉપાડ્યા અને તિલક અમર રહોનો જયનાદ​ પોકારી કૂદ્યા કળાયામાં. ફાટી આંખે લોકો જોતા રહ્યાં.. ત્યાં તો “અમર રહો તિલક” મંત્રીની શ્રાવિકા એ પણ ઝંપલાવ્યું એ જ કળાયામાં…!

  • ને પછી તો.. બીજું… ત્રીજું… ચોથું… પાંચમું… એક પછી એક યુગલ કળાયામાં હોમાવા લાગ્યું.
  • સન્નાટો છવાય ગયો… માત્ર સભામાં નહીં… આખા પાટણમાં ઉની ઉની હૈયા વરાળ વેરાવા લાગી… વરાળની એ ગરમીમાં અજયપાલ સેકાવા લાગ્યો..
  • એ વધુ બરદાસ્ત ન કરી શક્યો.. અને અંતે એના મોઢામાંથી શબ્દો નિસરી પડ્યાં,

“બસ કરો…! તિલક અમર રહો..”

  • ૧૯ - ૧૯ યુગલની લાશના એ ઢગલાનો ભાર ધરતી સહન ન કરી શકી… સૂરજ… આકાશે ટકી ન શક્યો… ટૂટીને એ ધરતીના કોક પેટાળમાં શમી ચૂક્યો…
  • લાશોના એ હસમૂખા ચહેરા જાણે લલકારી રહ્યાં હતા.

“તિલક અમર રહો,
તિલક એ જ અમ પ્રાણ..”

તિલક નું આ છે ગૌરવ. જિનશાસનના ઇતિહાસમાં જે તિલક માટે આવી કુરબાની નોંધાયેલી છે…!

તિલક અંગે સમજુતી:

  • તિલક કરતા સમયે દર્પણ માં વાળ ઓળવા કે કપડા ઠીક ઠાક કરવા જોઇએ નહીં.
  • પ્રભુજીની નજર પડતી હોય તેવા સ્થાને તિલક કરી શકાય નહીં.
  • તિલક કરવાથી શ્રાવકસમુદાય “આ મારા સાધર્મિક બંધુ છે” એમ જાણી શકે અને અન્ય લોકોને પણ “આ જૈન ધર્મનો અનુયાયી છે” એવો ખ્યાલ આવી શકે.
  • દેરાસરમાંથી બહાર નીકળ્યા બાદ મિત્રો સાથે ફરવા જતાં, કોલેજ, ઓફીસ કે દુકાને જતા શરમના માર્યા તિલક ભુંસી નાંખવાની ચેષ્ટા ન કરવી.
  • નિંદ્રા સમયે તિલકનો ત્યાગ ન કરીએ તો આયુષ્યની હાનિ થાય છે.
  • શાસ્ત્ર મૂજબ પુરૂષોએ બે કાન, ગળા ઉપર, હ્રદય ઉપર અને નાભિ ઉપર પણ તિલક કરવું. અને બહેનોએ કંઠ સુધી ફક્ત તિલક કરવું.

હ​વે પછીના ભાગમાં આપણે પ્રદક્ષિણા વિશે જાણીશું




શેર કર​વા નીચે ક્લિક કરો