અતિશય પુણ્યોદય હોય તો જ આંગણે મ.સા. પધારે...
આગળના ભાગમાં આપણે પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોને વ્હોરાવતી વખતે લેવાની કાળજી વિશે જોઇ રહ્યા હતા…
-
આ ભાગમાં એ વિશે વધુ જોઇએ…
C - જયણા
પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોને વ્હોરાવતી વખતે લેવાની કાળજી
-
ઘણાં શાક સમારવા, અનાજ વીણવાં બારણામાં બેસે છે. ત્યારે સાધુ વહોરવા આવે તો સચિત્ત શાક વગેરે ખસેડવાથી હિંસા થતી હોવાથી મ.સા. પાછા જાય. માટે સાઈડમાં બેસવું.
-
રસ્તામાં, બારણામાં પાણીની ડોલ વગેરે હોય તો સાધુને આવતા જોઈ ઘણાં બાજુમાં ખસેડે છે, તો મ.સા. ન વહોરે. તેથી ડોલ જ રાખવી શક્ય હશે તો તેની બાજુમાંથી અંદર આવી મહારાજશ્રી વહોરશે. અને પછી કાયમ નક્કી કરવું કે હવેથી દ્વાર વચ્ચે પાણી, અનાજ વગેરે કદી મૂકીશ નહીં.
-
નાના ૨-૪ વર્ષના બાળકને વહોરાવવાનું કહેવું નહીં. ઘણી વાર એ ઢોળે, સચિત્તની વિરાધના કરે અને વળી મ.સા. ના વહોરે તો રડે.
-
ઘરમાં કેટલાક પાણીનું પોતુ વગેરે ગોચરી સમયે ક્યારેક કરે છે. જો ત્યારે સાધુ વહોરવા આવે તો લાભ ન મળે, માટે અયોગ્ય સમયે પોતુ ન કરવું.
શાસ્ત્રમાં કહ્યું છે કે,
મ.સા. પૂછે છતાં દોષિત વસ્તુ વગેરેને જાણવા છતાં લાભ લેવા નિર્દોષ તરીકે જૂઠું બોલે તેને અતિચાર, દોષ, સદગતિનો અલ્પ આયુષ્યબંધ વગેરે નુકશાન થાય છે
-
તેથી સત્ય કહેવું જોઈએ અને જાણીને વિના કારણે દોષિત રસોઈ વગેરે ન કરવા જોઈએ.
-
સ્પે. આધાકર્મી ગૌચરી મ.સા.ને ઉદેશીને નિષ્કારણ બનાવવી નહિ, રસોઈ બનાવતી વખતે મ.સા.ને નજરમાં રાખીને વધુ ન બનાવાય.
-
કોઈ મહારાજ સાહેબ કારણે બનાવવાનું કહે તો તેમની જરૂર પૂરતું જ બનાવાય, વધુ ન બનાવવું.
-
રોટલી, ખાખરા વગેરે ચોપડવા માટે ઘી ગરમ ન કરાય, ચોપડતી વખતે છાંટા ન ઉડે તેની કાળજી કરવી.
-
પૂ. મ.સા. પધારે ત્યારે લાઈટ, પંખા, ટી.વી. જે સ્થિતિમાં હોય તે સ્થિતિમાં રાખવા, બંધ ચાલુ ન કરાય.
-
શાકભાજી, ફ્રુટ વગેરે વનસ્પતિ, કાચું પાણી અગ્નિ વગેરેને અડીને વહોરાવાય નહિ.
-
બજારની મિઠાઈ, ફરસાણ, બીસ્કીટ, ચોકલેટ વગેરે ક્યારેય વહોરાવાય નહિ.
-
ફ્રીજમાં પડેલી વસ્તુ બિલકુલ વહોરાવાય નહિ.
-
દુધ-ઘી વગેરે ઢોળાય નહિ તેની ચોક્કસપણે પૂરતી કાળજી લેવી.
-
મ.સા. પધારે ત્યારે ઉતાવળા થઈને દોડાદોડી ન કરવી.
-
ગરમ દૂધ વગેરે ફૂંક મારીને વહોરાવાય નહિ.
-
ગર્ભવતી સ્ત્રીએ ૭ માસ પછી વહોરાવા ઉભા થવાય નહિ.
-
ધાવતા બાળકને બાજુ ઉપર મુકી વહોરાવાય નહિ.
-
વહોરાવતા પહેલાં હાથ ધોવાય નહિ.
-
મ.સા. માટે ટામેટા, કોથમીર વગરનું સ્પેશીયલ અલગ બનાવવું નહિ.
અતિશય પુણ્યોદય હોય તો જ આંગણે મ.સા. પધારે…
- મ.સા. ઘરે વહોરવા પધારે તો શ્રાવકોએ શો વિચાર કરવો?
- એ જ કે મોક્ષ મારી પાસે આવ્યો છે. હવે તો ખૂબ કાળજીથી વહોરાવીશ, તો સુપાત્રદાનનો મહાન લાભ મળશે.
- પરંતુ કેટલાક ઉપયોગ રાખતા નથી. તેથી ઘણી વાર દોષ પેદા થઈ જાય છે. અને ધર્મી શ્રાવક સુપાત્રદાનના લાભથી વંચિત રહે છે,
તો ચાલો આપણે સંકલ્પ કરીએ કે હવેથી આપણે આ વિષયનું જ્ઞાન મેળવી ખૂબ સાવચેતીપુર્વક ઉપયોગ રાખી લાભ મળે તેવા બધા પ્રયત્નો કરશું
વધુ હવે પછીના ભાગમાં
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶