🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૧૨૧: ભદ્ર! અમને સ્વપ્ન આવ્યું નથી, પણ અમે જૈન આગમોથી બધું જાણીએ છીએ.

આગળના ભાગમાં આપણે જોયું કે પુષ્પચુલાને સ્વપ્નમાં નરકનાં દુઃખ જોવાથી ઘણો જ ભય ઉત્પન્ન થાય છે….

પછી રાજાએ બીજે દિવસે જોગીઓ, બાવાઓને રાજસભામાં બોલાવી પૂછ્યું કે, નરક કેવું હોય ?

  • તેણે કહ્યું કે, નરક સાત​ છે, તેમાં પહેલી નરકે એક સાગરોપમનું. બીજીએ ત્રણ​ સાગરોપમનું એમ છેવટે સાતમી નરકે તેત્રીસ સાગરોપમનું આયુષ્ય છે, કેટલીક નરકોમાં ક્ષેત્ર વેદના છે અને કેટલીકમાં પરમાધામીની વેદનાઓ છે.

  • રાણીએ જેવું રાત્રીએ સ્વપ્નમાં જોયું હતું તેવું જ જૈનાચાર્યના મુખથી નરકનું સ્વરૂપ સાંભળી તે બોલી કે, તમને પણ આવું જ સ્વપ્ન આવેલું કે શું ?
  • જૈનાચાર્યે કહયું કે,

ભદ્ર! અમને સ્વપ્ન આવ્યું નથી, પણ અમે જૈન આગમોથી બધું જાણીએ છીએ.

  • રાણીએ પૂછ્યું કે,

મહારાજ ! શાં શાં કાર્ય કરવાથી પ્રાણી નરકે પડે છે ?

  • ગુરુએ જવાબ દીધો કે,
  • એક તો મહા આરંભ કરવાથી,
  • બીજે મહાપરિગ્રહ ઉપર મૂર્છા રાખવાથી,
  • ત્રીજું માંસનું કે માંસના જેવું ભોજન કરવાથી અને
  • ચોથું પંચેન્દ્રિય​ જીવનો વધ કરવાથી પ્રાણી નરકે ઉત્પન્ન થાય છે.
  • વળી બીજી રાત્રીએ દેવતાએ તેને દેવલોકનો સુખ સ્વપ્નમાં બતાવ્યા.
  • રાજાએ તે સાંભળીને સર્વ દર્શનોના મુનિને પૂછતા બરાબર ઉત્તર નહીં મળવાથી, જૈનાચાર્યને પૂછ્યું, તો રાણીએ જેવું સ્વપ્ન વિષે જોયું હતું, તેવું જ બ્યાન​ મળવાથી તેણી ઘણી જ ખુશી થઈ
  • પૂછવા લાગી કે,

સ્વર્ગનું સુખ કેમ મળે ?

  • ગુરુએ જણાવ્યું કે,

શ્રાવક અથવા સાધુનો ધર્મ પાળવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે.

  • રાણી આ સાંભળી તેમના પર ઘણી જ પ્રસન્ન થઈ,
  • પોતાના પતિને કહેવા લાગી કે,

સ્વામિ! આપ આજ્ઞા આપો તો હું દીક્ષા લઉં.

  • રાજાનો રાણી ઉપર એટલો બધો પ્રેમ હતો કે, તે તેણીના વિયોગે ઘડીવાર રહી શકતો નહોતો,
  • પણ તેણીએ જ્યારે ઘણો આગ્રહ કર્યો, ત્યારે તેણે કહ્યું કે,

જો તું દરરોજ મારા ઘરે ભોજન લેવા આવે તો હું તને દીક્ષા લેવાની રજા આપું.

  • તેણીએ એ વાત કબૂલ કરવાથી રાજાએ અરણિકા પુત્રાચાર્ય પાસે મોટા મહોત્સવપૂર્વક તેણીને દીક્ષા અપાવી. દીક્ષા લીધા પછી દરરોજ રાજાને એક વખત દર્શન આપવા જતી હતી.
  • એમ કેટલોક કાળ વીત્યા બાદ એક વખત ત્યાં જ્ઞાનના ઉપયોગથી દુકાળ પડવાનું જાણી આચાર્યે પોતાના ચેલાઓને ત્યાંથી બીજે દેશ વિહાર કરી જવાનું કહેવાથી તેઓએ વિહાર કર્યો.
  • આચાર્ય મહારાજ એકલા ત્યાં રહ્યા. પુષ્પચૂલા આચાર્ય મહારાજને આહાર પાણી વગેરે લાવી આપતી.
  • શુશ્રુષા અને વૈયાવચ્ચ કરવામાં અગ્લાનપણે તત્પર રહેતી હતી. એ પ્રમાણે વૈયાવચ્ચ કરવામાં રહેતાં કેટલોક કાળ પછી ક્ષપક​ શ્રેણી પર ચડીને તેણીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું તો પણ ગુરુની વૈયાવચ્ચ કરવામાં હંમેશાં તત્પર રહેતી અને તેમની જે વસ્તુ પર રુચિ હોય તે લાવી આપતી.

  • એકદા સમયે ગુરુએ તેણીને પૂછ્યું કે,

ભદ્રે ! કેટ્લા વખતથી મારા મનગમતાં જ આહાર-પાણી લાવે છે તે શું ? આની તને શી રીતે ખબર પડે છે ? તને કંઈ જ્ઞાન થયું છે ?

  • તેણીએ કહ્યું કે,

હે પૂજ્ય! જે જેની પાસે રહેતા હોય તે તેના સહવાસથી તેના વિચારને કેમ ન જાણી શકે?

  • પણ મને કેવળજ્ઞાન થયું છે તેમ જણાવ્યું નહીં. કારણ કે તે જાણીને તો આચાર્ય તેણીની પાસે આહાર પાણી મંગાવે નહીં

હ​વે વધુ પછીના ભાગમાં




શેર કર​વા નીચે ક્લિક કરો