🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૧૨૨: એક વખત પુષ્પચુલા વરસતાં વરસાદે આહાર પાણી લઈ આવી

આગળના ભાગમાં આપણે જોયું કે પુષ્પચુલા એ તેને કેવળજ્ઞાન થયું છે તેમ તેના ગુરૂજીને જણાવ્યું નહીં, કારણ કે તે જાણીને તો આચાર્ય તેણીની પાસે આહાર પાણી મંગાવે નહીં

  • હ​વે આગળ​,

  • એક વખત પુષ્પચુલા વરસતાં વરસાદે આહાર પાણી લઈ આવી તેથી આચાર્યે કહ્યું કે,

કલ્યાણી !
તું શ્રુતસિદ્ધાંતના જ્ઞાનથી આહાર-પાણી લાવવાના આચારને જાણવા છતા વરસાદ વરસતાં આહાર-પાણી કેમ લાવી?

  • તેણીએ કહ્યું કે,

જ્યાં જ્યાં અપકાય અચિત​ છે ને તે પ્રદેશમાં રહીને આહાર લાવી છું, માટે આ આહાર અશુદ્ધ​ નથી.

  • ગુરુએ પૂછ્યું કે,

તેં અચિત પ્રદેશ કેમ જાણ્યો ?

  • તેણીએ કહ્યું કે,

જ્ઞાનથી.

  • આચાર્યે પૂછ્યું કે,

કયા જ્ઞાનથી, પ્રતિપાતી ? (આવ્યા પછી જતું રહે)
કે અપ્રતિપાતી? (આવ્યા પછી જાય નહીં)

  • તેણીએ ઉત્તર વાળ્યો કે,

આપના પસાયથી અપ્રતિપાતી (કેવળ) જ્ઞાન વડે જાણ્યું.

  • આચાર્ય મહારાજે,

અહો ! મેં કેવળીની આશાતના કરી

  • એમ કહી તેણીને ખમાવી મિચ્છામી દુક્કડં દીધું.

  • પછી પુષ્પચૂલાને પૂછ્યું કે,

મને કેવળજ્ઞાન​ થશે કે કેમ?

  • કેવલીએ કહ્યું,

હા, તમને ગંગા નદીની પેલી પાર ઉતરવાં કેવળજ્ઞાન ઉત્પન્ન થશે.

  • કેટલાક વખત પછી તે આચાર્યને કેટલાક લોકોની સાથે ગંગા નદી ઊતરતાં જે તરફ આચાર્ય બેસે તે તરફની નાવડીનો ભાગ નમવા લાગ્યો.
  • વચમાં બેસવા માંડયું એટલે આખી નાવડી ડૂબી જતી દેખી સર્વ લોકોએ તેમને ઉપાડી નદીમાં નાખી દીધા.

  • આચાર્યે પૂર્વભવમાં અપમાન કરેલી પૂર્વભવની સ્ત્રી વ્યંતરી થઈ હતી તે નાવડી ડૂબાડતી હતી.

  • પેલા નદીમાં નંખાયેલા આચાર્ય પાણીમાં પડતાં એક શૂલી ઊભી કરેલી હોવાથી તેના પર પડતાં તે લોહીલુહાણ થઈ ગયા,
  • છતાં પણ હા હા ! આ મારા લોહીથી અપકાય જીવની વિરાધના થાય છે, એમ વિચારતાં વિચારતાં તેમને ત્યાં જ કેવળજ્ઞાન ઉત્પન્ન થવાથી અંતગડ કેવળી થઈ મોક્ષે ગયા. (કેવળજ્ઞાન પામ્યા પછી થોડા જ વખતમાં મોક્ષે જાય તે અંતગડ કેવળી કહેવાય છે.)
  • તેની પાસે દેવતાઓએ તેમનો કેવળ મહોત્સવ કરવાથી ત્યાં પ્રયાગ એવા નામનું તીર્થ પ્રવૃત્ત થયું મહેશ્વરી લોકો પોતાનાં અંગ ઉપર કૈલાસ પામવા માટે કે અભીષ્ટ, મેળવવા માટે ત્યાં કરવત મુકાવે છે.
  • પુષ્પચૂલા કેવલી પૃથ્વી પર વિચરતાં ઘણા લોકોને બોધ અને લાભ આપી છેવટે સર્વ કર્મ ક્ષય કરી મોક્ષે ગયાં.

આ પુષ્પચૂલાનું ગુણોથી પવિત્ર એવું ચરિત્ર સાંભળીને જે ભવ્યો પોતાના ગુરુના ચરણકમલ સેવવામાં તત્પર રહે છે, તે શાશ્વત સ્થાન પામે છે.




શેર કર​વા નીચે ક્લિક કરો