ભાગ ૧૨: પરમાત્માની કોઇપણ વાત સંશોધનનો વિષય બની જ કેમ ન શકે?
આગળનાં ભાગમાં આપણે જોયું કે પરમાત્મા પર્યાવરણ વિચારનાં પરમ પિતા હતા
એ ઉપરાંત,
-
સૂક્ષ્મ નિગોદથી માંડીને મનુષ્ય, દેવ, નારકાદિ ગતિના જીવોનું વર્ણન કરીને તેમના કુલ ૫૬૩ ભેદો જણાવીને પ્રભુએ કમાલ કરી છે.
-
એ આપી ને પછી જીવોની દયા, પ્રેમ અને અહિંસા પણ અનન્ય કોટીની શીખવી છે.
-
લગભગ બધા ધર્મ અહિંસામાં માને છે એમાં જૈન ધર્મની અહિંસા સૂક્ષ્મ કોટીની અને આગવી છે. માનવ જાતને આ એક મહાન બક્ષીસ છે.
તો હવે પ્રશ્ન એ થશે સૂક્ષ્મ જીવોની દયા જીવનમાં કેવી રીતે ઉપયોગી થાય?
-
માનવ જીવનમાં દયાવૃતિ, કોમળભાવ અને પ્રેમ એ ખુબ જરૂરી છે.
-
એ વિના કઠોરતા વગેરેથી માનવ શિકારી પશુ જેવો બની જાય .
-
હવે જો સૂક્ષ્મ જીવોની દયા ન કરીએ તો માનવની જીવો પ્રત્યે નિર્દયતા-કઠોરતા થશે.
-
આ નિર્દયતા-કઠોરતા માનવીના જીવનમાં ફાલશે-ફૂલશે. ચિનગારીમાંથી જેમ મોટી આગ જન્મે એમ નાના દોષમાંથી મોટા દોષ ઉત્પન્ન થાય છે જેમ કે નાનપણમાં નાની વસ્તુની ચોરી કરનાર બાળકને જો સુધારવામાં ન આવે તો મોટો થતા મોટી વસ્તુનો ચોર બને છે.
-
આમ, સૂક્ષ્મ જીવોની ઓળખ અને દયા, પ્રેમ, અહિંસા એ જૈન ધર્મની બક્ષીસ છે.
પરમાત્માની કોઈ પણ વાત સંશોધનનો વિષય બની જ કેમ ન શકે?
-
સર્વજ્ઞ ભગવંતોએ પોતાના જ્ઞાન વડે એકેઇન્દ્રિય - સ્પર્શેન્દ્રિય વાળા જીવ તરીકે પૃથ્વીકાય, અપકાય , તેઉકાય , વાયુકાય અને વનસ્પતિકાયિક જીવો ની ગણતરી બતાવી છે અને અનન્ય જીવ વિજ્ઞાન આપ્યું છે.
-
“કીડીને ત્રણ ઇન્દ્રિય છે, ભમરાને ચાર ઇન્દ્રિય છે, માછલીને પાંચ ઇન્દ્રિય છે.” એ વાત પરમાત્મા પોતાના ગૌતમ વગેરે શિષ્યોને વાતો વાતો કરતા કહી દે!!
-
જ્યારે વૈજ્ઞાનિકો કરોડો-અબજો ખર્ચે પ્રયોગશાળામાં અપાર પરિશ્રમ કરી, અનેક જીવ-હિંસાના ભોગે, અનેક યન્ત્રાદિકની સહાયથી જે સિધ્ધી મેળવે અને તે પણ સંપૂર્ણ નહિ!!!
-
એટલે કે વૈજ્ઞાનિકોએ જે જાણ્યું છે તેના કરતા જાણવાનું અનેક ગણું બાકી છે અને વળી તેમાં સત્ય કેટલું અને જગતની ઉપકારકતા કેટલી?
-
અને આજે જે સત્ય વૈજ્ઞાનિકોને લાગે છે તે ક્યારે અસત્ય પૂરવાર થશે તે પણ કહી શકાતું નથી…
-
બાહ્ય સાધનની મર્યાદા હોય છે તેના દ્વારા વસ્તુનાં પૂર્ણ સ્વરૂપને જાણી શકાતું નથી.. તેના માટે જરૂર છે આંતરસાધનાની.
-
પ્રભુએ પોતાના શિષ્યોને જણાવ્યું તેની પૂર્વભૂમિકામાં પ્રયોગ નહિ પરંતુ યોગ હતા.
-
પ્રભુ યોગી હતા. પ્રયોગવીર ક્યારે નહિ.
-
સંશોધનમાં ભૂલો પડે. યોગમાં ક્યારે ય નહિ;
-
સંશોધનોથી પ્રસિદ્ધિ જરૂર મળે, સિદ્ધિનું નક્કી કહેવાય નહિ.
-
પ્રસિદ્ધિ પતન તરફ પણ દોરી જાય. સિદ્ધિમાં ઉત્થાન જ હોય.
-
પરમાત્માની કોઈ પણ વાત “સંશોધનનો વિષય બની શકે તેમ નથી” કેમ કે તે દરેક વાતનું અંતિમ સ્વરૂપ યોગ દ્વારા સુનિશ્ચિત થયેલું છે. સિદ્ધ થયેલું છે.
-
સિદ્ધ બનવારૂપે જેનો અંત આવી ગયો છે તે સિદ્ધાન્ત કહેવાય, સિદ્ધાન્ત બનેલા પદાર્થનું સંશોધન ન હોય.
-
જગતના મોટા વિજ્ઞાનીઓ, તત્ત્વજ્ઞો, ધુરંધર પંડિતો, વગેરે પણ તેની મુક્ત કંઠે એકધારી પ્રશંસા કરી રહ્યા છે, કે “જગતના ધર્મોમાં બધી રીતે પૂર્ણ કોઇ પણ ધર્મ હોય તો તે જૈન ધર્મ જ છે”.
-
જૈન ધર્મ એ એવો વૈજ્ઞાનિક ધર્મ છે એમ કહેવા કરતા આજે વિજ્ઞાન જૈન ધર્મનાં સિધ્ધાંતોની વધુ નજીક જઇ રહ્યું છે એમ કહેવું વધુ યોગ્ય ગણાશે.
-
એટલું જ નહિ, ભયંકર યુદ્ધના માર્ગે જઈ રહેલા રાષ્ટ્રોને વિશ્વશાંતિનો માર્ગ બતાવી શકે એવી ક્ષમતા રાખનારો કોઇ માર્ગ હોય તો તે માત્ર જૈન ધર્મના સિદ્ધાંતોમાં જ છે.”
હવે પછીનાં ભાગમાં આપણે જોઇશું કે જૈન ધર્મ આટલો શ્રેષ્ઠ છે તેમ છતા આજનો યુવાન ધર્મ પ્રત્યે બેદરકાર કેમ છે?
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶