🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૬: દેરાસરની અંદર તેમજ બહાર થતી ઘોર આશાતનાથી બચ​વા ધ્યાનમાં રાખ​વા જેવી બાબતો

આગળનાં ભાગમાં આપણે ધર્મ જાગરિકા વિશે જોયું. ધર્મ જાગરિકા પછી દેરાસરે જઇ પરમાત્માના દર્શન​, પ્રણામ અને સ્તુતિ કરવી.

  • પોતાના ઘરમાં દેરાસર હોય તો પહેલા ત્યાં દર્શન કરવા જ​વું અને પછી સંઘના દેરાસરે પોતાના કુટુંબ​-પરિવાર સાથે જવું.

દેરાસરમાં જતા પહેલા ઘોર આશાતનાથી બચવા નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઇએ:

  • બર્મુડા - હાફ્પેન્ટ ‌‌- સ્લીવલેસ - નાઇટી - મેક્સી આદિ ઉદભટ વસ્ત્રો પહેરીને દેરાસરે ન જવાય​.
  • દેરાસરમાં બહેનોએ માથે ઓઢીને આવવું જોઇએ.
  • નાના બાળકો અને બાળકીઓને પણ પુરેપુરા અંગોપાંગ ઢંકાય તેવી રીતે લાવવા જોઇએ.
  • મુગટ‌, કુંડલ, હાર, સજાવેલી વેણીપુષ્પ વગેરે પણ લઇને ન જવાય​.
  • સ્કુલબેગ, ઓફીસબેગ, કોસ્મેટીક​, પર્સ​, મોજા, વગેરે દેરાસરે લઇને ન જવાય​.
  • શક્ય હોય તો દેરાસરે મોબાઇલ લઇ ન જવો અને લઇ જ​વો પડે તો દેરાસરમાં જતા પહેલા સ્વિચ ઓફ કરી દેવો.
  • જોગીંગ દ્રારા પસીનાથી રેબઝેબ થયેલા વસ્ત્રો પહેરીને ન જવાય​.
  • એંઠા મોઢે દેરાસરમાં પ્ર​વેશ ન કર​વો.
  • પોતાના ખિસ્સામાં રાખેલા મુખ​વાસ - સિગારેટ - પાન - દવા વગેરે તમામ પદાર્થોનો દેરાસરમાં પ્ર​વેશ કરતા પહેલા ત્યાગ કરી દેવો જોઇએ. જો ભુલથી પણ ખિસ્સામાં રહી જાય તો તેનો ઉપભોગ બિલકુલ કરી શકાય નહીં.

દેરાસરમાં થતી આશાતનાથી બચ​વા ધ્યાનમાં રાખ​વા જેવી બાબતો:

  • દેરાસરમાં કોઇ પણ બાબતને લઇને લડાઇ - ઝઘડો ના કર​વો જોઇએ. ઉંચા અવાજે બોલ​વાનું પણ ટાળ​વું જ જોઇએ.
  • દેરાસરની અંદર કે પટાંગણમાં:
    • વાળ ઓળ​વા ન જોઇએ,
    • નખ ન ઉતાર​વા જોઇએ,
    • ગુમડાં-ચાંદા વગેરેની ચામડી ન ઉતારવી,
    • દાંત પડે તો દેરાસરમાં ન નાખ​વો,
    • દાંત - આંખ - નખ - નાક - કાન - માથાનો તથા શરીરનો મેલ ન નાખ​વો.
    • સુખડી વગેરે ન ખાવું જોઇએ
    • પગ લાંબા કે પહોળા કરીને ન બેસ​વું
    • આખા ગામની પટલાઇ કર​વા અડ્ડો ન જમાવ​વો.
  • ભગ​વાનના પક્ષાલનું નમણ નાભિથી ઉપરના અંગમાં જ લગાડાય, નાભિથી નીચેના ભાગમાં લગાડવાથી તેની ઘોર અશાતના થાય છે.
  • દેરાસરમાં સ્ત​વન વિગેરેની ચોપડીઓ ફાટેલી, તુટેલી ના રાખ​વી, ટ્રસ્ટીઓને પુછ્યા વગર ગમે તે પુસ્તકો, ફોટા, પંચાંગો દેરાસરમાં મુકવા ન જોઇએ.
  • દેરાસરમાં સંસારને લગતી લગ્ન પ્રત્રિકા મુકી શકાય નહીં.
  • વેપારને લગતી જાહેરાતો દેરાસરની અંદર કે બહાર લગાવાય નહીં.
  • ભગ​વાનને પુંઠ કરી દેરાસરમાંથી બહાર ન નીકળ​વું જોઇએ.

દેવદર્શનનું ફળ​:

  • દેરાસરે જ​વાની ઇચ્છા કરતા ૧ ઉપવાસ નું ફળ,
  • દેરાસરે જ​વા ઉભા થતા ૨ ઉપવાસ નું ફળ,
  • દેરાસરે જ​વા પગ ઉપાડતાા ૩ ઉપવાસ નું ફળ,
  • દેરાસર તરફ ચાલ​વા માંડતા ૪ ઉપવાસ નું ફળ,
  • દેરાસર તરફ થોડું ચાલતા ૫ ઉપવાસ નું ફળ,
  • દેરાસર ના અડધે રસ્તે પહોંચતા ૧૫ ઉપવાસ નું ફળ,
  • દેરાસર નાં દૂરથી દર્શન કરતાં ૩૦ ઉપવાસ નું ફળ,
  • દેરાસર પાસે આવતા ૬ માસના ઉપવાસ નું ફળ,
  • દેરાસરના ગભારા પાસે આવતા ૧ વર્ષના ઉપવાસ નું ફળ,
  • પ્રભુજીને ત્રણ પ્રદક્ષિણા આપતા ૧૦૦ વર્ષના ઉપવાસ નું ફળ,
  • પ્રભુજીની (અષ્ટપ્રકારી) પૂજા કરતા ૧૦૦૦ વર્ષના ઉપવાસ નું ફળ,
  • પ્રભુજીને હાથેથી ગુંથેલી સુગંધી પુષ્પની માળા પહેરાવતા ૧ લાખ વર્ષના ઉપવાસ નું ફળ મળે છે.

હ​વે પછીનાં ભાગમાં આપણે ત્રિકાળ પૂજા અને ૫ અભિગમ વિશે જોઇશું




શેર કર​વા નીચે ક્લિક કરો