🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૨: ધર્મની રક્ષા કર​વા ઇશ્વર વખતો વખત જન્મ લે છે?

આપણે આગળનાં ભાગમા જોયું કે જીવ, કર્મસંયોગ અને જગત અનાદિ છે. આ ભાગમાં આપણે જોઇશું કે શું ધર્મની રક્ષા કરવા માટે ઇશ્વર વખતો વખત ધરતી ઉપર આવીને જન્મ લે છે?

અજૈનો ના મતે:

  • ભગ​વદ ગીતામાં લખ્યું છે કે “સંભ​વામિ યુગે યુગે” એટલે કે, દુષ્ટ લોકોનો સંહાર કર​વા માટે તથા ધર્મની રક્ષા કરવા માટે હું વખતો વખત ધરતી ઉપર આવીને જન્મ લઇશ​.

જૈનોના મતે:

  • ભગવાન મોક્ષે ગયા પછી ફરીથી સંસારમાં જન્મતા જ નથી.
  • જે એક વખત શુદ્ધ બુદ્ધ નિરંજન બન્યા તે ફરીથી કદાપિ કર્મોથી લેપાતા નથી.
  • તથા પોતાના સ્થાપેલા તીર્થ પ્રત્યે પણ રાગદ્વેષ ન હોવાથી સંસારમાં ફરીથી જન્મવાનું કોઈ પ્રયોજન નથી.
  • અને જેઓ સંસારમાં જન્મ ધારણ કરે છે તેઓ સાચા પરમાત્મા કે ભગવાન નથી માત્ર સાંસારિક દેવગતિને પામેલા દેવો છે

અજૈનો ના મતે:

  • જો ભગવાન્ જગત્ ઉદ્ધાર માટે પુનર્જન્મ ધારણ કરતા ન હોય તો રાવણ જરાસંઘ આદિ અસુરોના વિનાશ માટે રામ- કૃષ્ણાદિના અવતાર ની વાત કેમ સમજવી?

જૈનોના મતે:

  • રાવણ જરાસંધ જેવા બળવાન અને દુષ્ટ પ્રકૃતિવાળા જે જે અસુરો થયા તેના વિનાશ માટે રામ અને કૃષ્ણાદિના જે અવતાર થયા છે, તે વાત સત્ય છે.
  • પરંતુ રામ અને કૃષ્ણ તરીકે જન્મ પામનારી વ્યક્તિઓ ગયા ભવમાં ભગવાન ન હતા, તેઓ આ સંસારમાં જન્મ-મરણ પામતા પામતા કોઈ વિશિષ્ટ પ્રકારનું પુણ્યકર્મ કરી વાસુદેવ તરીકે જન્મ્યા છે સંસારમાં જ હતા, અને સંસારમાંથી જ જન્મ્યા છે.

અજૈનો ના મતે:

  • સૂર્ય, ચંદ્ર​, પૃથ્વી, દરીયો, વગેરે બનાવનાર તો કોઇક હોવું જ જોઇએ તેથી જ ઇશ્વરને જગતકર્તા માન​વામાં આવે છે

જૈનોના મતે:

  • સૂર્ય, ચંદ્ર​, પૃથ્વી, દરીયો વગેરે કુદરતના પદાર્થો છે, તેના માટે “ઇશ્વર” ને કલ્પ​વાની જરૂર નથી.
  • પદાર્થ માત્રના ઉત્પાદ, વ્યય અને ધ્રોવ્ય ધર્મો છે. તેમની રીતે જ તે કામ કરતા રહે છે.
  • દરેક વસ્તુનો પોતાનો સ્વભાવ હોય છે.
  • કાંટા માં જે તીક્ષ્ણતા છે, વાયુ જેમ તીરછો ગતિ કરે છે, અગ્નિ જેમ ઉંચો જાય છે; તે તેમના સ્વભાવ છે.
  • વળી જગત ઉત્પતિ છે જ નહીં તે હંમેશ હતું અને હંમેશ રહેશે.
  • જેમ કે સૂર્ય ગરમી ફેંકે અને દરિયા વગેરેના પાણી ગરમ થાય, વરાળ બને, વાદળ થાય, અથળાઇ અને વરસાદ થાય​.
  • આ બધામાં ઇશ્વરની કલ્પનાની જરૂર પડતી જ​ નથી.

હ​વે પછીનાં ભાગમાં આપણે જોઇશું કે જો ઇશ્વર દયાના સાગર હોય તો ઇશ્વર શા માટે કોઇ પણ આત્માને ગરીબ​, રોગી કે નારકીના જીવ બનાવે?




શેર કર​વા નીચે ક્લિક કરો