દ્વિદળ સાથે ગોરસ કેમ ન ભેળવવું?
દ્વિદળ - ૧
દ્વિદળ (વિદળ) એટલે શું?
- દ્વિદળ એટલે સામાન્ય રીતે જેને આપણે કઠોળ કહીએ છીએ:
- જેમાંથી તેલ ન નીકળે,
- જે ઝાડના ફળ રૂપ ના હોય,
- જેની બે સરખી ફાડ થાય તે દ્વિદળ ગણાય.
-
જેમકે
- રાઇ, સરસવ, તલ વગેરેમાંથી તેલ નીકળે છે માટે દ્વિદળ ન ગણાય.
- સાંગળી ઝાડના ફળરૂપ હોવાથી તે દ્વિદળ ન ગણાય.
- બાજરી, જુવાર વગેરેમાંથી તેલ નીકળતું નથી, ઝાડના ફળરૂપે નથી છતાં તેની બે ફાડ થતી ન હોવાથી દ્વિદળ ન ગણાય.
- ચણા, મગ, મઠ, અડદ, તુવેર, વાલ, ચોળા, કળથી, મેથી, મસૂર, લીલવા વગેરે કઠોળ દ્વિદળ ગણાય. વળી એ દ્વિદળની ફળીઓ, લીલા-સૂકા પાંદડા, ભાજી, તેનો લોટ, દાળ, કે તેની કોઇપણ બનાવટો વગેરે પણ દ્વિદળ જ ગણાય.
- વાલોળ, ચોળાફળી, ગુવારફળી, લીલા ચણા, કઠોળની સુકવણી, સેવ, ગાંઠીયા, પાપડ, વડી વગેરે પણ દ્વિદળમાં ગણવા.
ગોરસ
- કાચા દૂધ, દહીં, છાસ ને ગોરસ કહેવાય.
દ્વિદળ સાથે ગોરસ કેમ ન ભેળવવું?
- જ્યારે દ્વિદળની સાથે ગોરસ એટલે કે કાચું દૂધ-દહીં-છાસ ભળે ત્યારે સમયે-સમયે અસંખ્ય બેઇન્દ્રિય જીવોની ઉત્પત્તિ થાય છે.
- તે આપણા સર્વજ્ઞ પ્રભુએ પોતાના જ્ઞાનના બળે જોયું છે જે આજનું આધુનિક વિજ્ઞાન પણ સ્વીકારે છે.
- માટે દ્વિદળ અને ગોરસને સાથે ઉપયોગમાં ન લેવું જોઇએ.
દ્વિદળ અને ગોરસને સાથે ઉપયોગમાં કેવી રીતે લેવું?
- જો દૂધ-દહીં-છાસ એકદમ ગરમ કરી લીધા હોય તો કોઇ જ ચિંતા કરવાની જરૂર રહેતી નથી.
- દહીં-છાસ વધુ ગરમ કરવા જતા ફાટી જાય છે માટે ઘણા લોકો દહીં-છાસ ને સામાન્ય ગરમ કરે છે પણ તે ચાલી શકે નહીં, તેમાં પણ દ્વિદળ નો દોષ લાગે જ.
- દહીં-છાસ ગરમ કરતા બાજરાનો લોટ કે બલવણ નાખીને વારંવાર હલાવતા રહેવાથી ફાટતા નથી.
- તે રીતે પણ એકદમ સખત ગરમ કરવા પડે.
- અંદરથી બુડ-બુડ અવાજ આવે ત્યાં સુધી અથવા તો આંગળી નાંખો તો એકદમ દઝાય તેવા એટલે કે ઉભરો આવે એવા ગરમ કરવા પડે.
- એક વાર ગરમ કર્યા પછી ઠંડા પડે તો પણ દ્વિદળ નો દોષ લાગતો નથી.
આવતા ભાગમાં જોઇએ, દ્વિદળ અને ગોરસના મિશ્રણથી થતા દોષથી બચવા માટે શું-શું કરી શકાય?
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶