🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

દ્વિદળ અને ગોરસના મિશ્રણથી થતા દોષથી બચ​વા માટે

દ્વિદળ​ - ૨


આગળનાં ભાગમાં આપણે દ્વિદળ એટલે શું? અને દ્વિદળ સાથે ગોરસ કેમ ન ભેળ​વ​વું? એ વિશે જોયું

દ્વિદળ અને ગોરસના મિશ્રણથી થતા દોષથી બચ​વા માટે:

  • જમ​વામાં દાળ-શાક વગેરે માં કઠોળનો વપરાશ હોય તો તેની સાથે કાચા દૂધ​-દહીં-છાસ વાપરવા નહીં.

  • જમ્યા પછી જો છાસ વાપરવી હોય તો પેલા હાથ, મુખ બરાબર સાફ કર​વા, દાંતમાં કઠોળનો અંશ ન રહી જાય તે રીતે દાંત સાફ કર​વા, તેમજ ભોજન વખતે જે પાણી વાપર્યુ હોય તે પાણી છાસ સાથે મિક્ષ ન થ​વું જોઇએ તેથી પાણી પી ને ગ્લાસ બરાબર સાફ કરી લેવો અથવા તો બીજો ગ્લાસ લેવો.

  • થાળી-વાટકા જે રૂમાલથી સાફ કર્યા હોય તે રૂમાલથી છાસ વાળા ગ્લાસને સાફ કરાય નહીં.

  • ટૂંકમાં કઠોળ અને તેની બનાવટના વાસણો તે વખતે વપરાયેલ પાણી, રૂમાલ વગેરે તમામ સાથે કાચા દૂધ​-દહીં-છાસનો આભળછેટ રાખ​વો પડે.

  • કઠોળ વાળા ભોજનના વાસણ અને છાસ વાપરેલ વાસણ ભેગા ન ધોવા. તે બંન્નેનું ધોયેલ પાણી પણ ભેગું થ​વા ન દેવું.

  • જો કોઇ પણ શાકની બનાવટમાં ઘાણાજીરૂ નાખ્યું હોય અને તે શાકભાજી સાથે ગોરસ વાપરવામાં આવે તો તે દ્વિદળ થાય​.

  • કાચા દહીં-છાસમાં ઘાણાજીરૂ નાંખવું નહીં.

  • ગોરસની સાથે પાપડ ન વપરાય​.

  • વઘારેલા કાચા દહીં છાસમાં મેથી-કોથમીર નાખ​વી નહીં.

  • ખીચડીની સાથે ગરમ કર્યા વગરનું દૂધ વાપર​વું નહીં.

  • ઇડલી, ઢોંસા, ઢોકળા, ખમણ વગેરેના ખીરામાં કાચા દહીં છાસ નાંખવા નહીં. અહીં છાસને બરાબર ગરમ કરીને જ વપરાય​.

  • લીલા વટાણા, ગ​વારફળી, ચોળા ના બી, વાલોર​, પાપડી વગેરે કઠોળરૂપે ગણાતા શાકભાજીની સાથે કાચા દહીં-છાસ વાપર​વા નહીં.

  • શ્રીખંડના ભોજનની સાથે પાત્રા, મોગરદાળ, મગ, અડદ કે ચણાના ઢોકળા, ભજીયા, ચણાના લોટ વાળી કઢી વાપરવી નહીં.

  • કઢી બનાવતી વખતે પહેલેથી જ કાચા છાસ​-દહીંમાં ચણાનો લોટ નાંખવો નહીં. છાસ​-દહીં ને એકદમ ગરમ કર્યા પછી જ ચણા નો લોટ ભેળ​વાય​.

  • કઢી સાથે જો શ્રીખંડ વાપર​વાનો હોય તો કઢીમાં ચણા ના લોટને બદલે ચોખાનો લોટ નાખવો.

  • મેથીના થેપલા કે ભજીયા સાથે કાચા દહીં-છાસ અથ​વા તેમાંથી બનેલી ચટણી વાપરવી નહીં.

  • મેથીના થેપલા, સેવ​-ભજીયા કે મગ​-મોગર​-વટાણા વગેરે જે તેલમાં તળ્યા હોય તે તળેલા તેલથી કાચા દહીં-છાસનો વઘાર કરવો નહીં તેમજ તે તેલથી શાક વઘારાય અથવા કે ખાખરા - રોટલીમાં મોણ નખાય તો તે શાક, ખાખરા રોટલી સાથે દૂધ અને દહીં ની વાનગીઓ ન વપરાય​.

  • મેથી નાખેલ અથાણા સાથે કાચા દૂધ​-દહીં-છાસ​-શ્રીખંડ વગેરે ન વપરાય​. જો મેથીના વઘાર વાળી કઢી હોય તો તેની સાથે પણ કાચા દૂધ​-દહીં-છાસ​-શ્રીખંડ ન વપરાય​.

  • દાળ વાળી કટોરીમાં કાચા દહીં-છાસ કે કાચા દહીં-છાસ વાળી કટોરીમાં દાળ લેવી નહીં.

  • પહેલા કઠોળ વાપર્યું હોય અને પછી કાચા દહીં-છાસ કે પહેલા દહીં-છાસ વાપર્યું હોય અને પછી કઠોળ વાપરવું હોય તો પાણીથી બરાબર મુખશુદ્ધિ કર્યા પછી જ વાપરવું.

  • કાચા દહીં-છાસની બનેલ ટોપરા વગેરેની ચટણીમાં અડદની દાળ કે દાળીયા નાંખવા નહીં અને આ ચટણીની સાથે ઇડલી-ઢોસા વગેરે વાપરવા નહીં.

  • દહીંવડા માં દહીં એકદમ ગરમ કરેલું હોવુ જોઇએ. જો દહીં ગરમ કરીને ઠાર​વા માટે ફ્રીઝમાં રાખવામાં આવે તો તે પાછુ સચિત્ત થઇ જાય છે, તેથી ફ્રીઝમાં ના મૂકાય​.

  • ચણા વગેરેનો લોટ ચાળ​વાની ચારણી જુદી રાખ​વી, જો તે જ ચારણીથી ઘઉં વગેરેનો લોટ ચાળવામાં આવે તો તેની બનાવટ દહીં વગેરે સાથે ન વપરાય​.

આપણે રોજીંદા જીવનમાં જાણતા કે અજાણતા દ્વિદળનું પાપ કરતા હોઇએ છીએ, જો ઉપરોક્ત સાવચેતી રાખીએ તો આપણે દ્વિદળના પાપથી બચી શકીશું.




શેર કર​વા નીચે ક્લિક કરો