🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૪: ધર્મ જાગરિકા ભાગ​(૧/૨)

આગળનાં ભાગમાં આપણે જોયું - દેવદર્શન એટલે શું? આ ભાગમાં આપણે આપણે ધર્મ જાગરિકાનું ચિંતન વિશે જોઇશું

ધર્મ જાગરિકામાં પંચસૂત્રકાર ૩ ચિંતન કર્તવ્ય બતાવે છે:

  • ૧. હું કોણ ​
  • ૨. મને આ ક્યો અવસર મળ્યો છે?
  • ૩. આ અવસરને યોગ્ય મારે કર્ત​વ્ય શું?

૧. હું કોણ​?

હું એટલે

  • કાયાની કોટડીમાં પૂરાયેલ સચેતન આત્મા
  • જન્મીને મરું ત્યાં સુધી આ કાયાની વેઠ કરનાર વેઠિયો.
  • કાયા મેલી થાય તો એને આપણે ન​વરાવીએ,
  • કાયા ભુખી થાય તો એને આપણે ખ​વરાવીએ,
  • કાયા થાકી જાય તો એને આપણે સુવરાવીએ,
  • એની ઇન્દ્રિયોની ખણજ ઉઠે તો ઇષ્ટ વિષયોમાં લઇ જઇ તેનું તર્પણ કરીએ,
  • પૈસા જોઇએ તો કમાવ​વાની વેઠ કરીએ,
  • ક્યાંય જાતને (આત્માને) યાદ નહીં કરનારા આપણે અજ્ઞાની. અનંતકાળ આ જ કરેલ છે અને હજી કરી રહ્યા છીએ. તે આપણી કેવી દુર્દશા!

શું આ મારો સ્વભાવ છે?

નહીં, તો હું કોણ​?

  • હું અરૂપી આત્મા, અનંત જ્ઞાનદર્શન અને અનંત સુખના સ્વભાવ વાળો. પરંતુ મોહના વાંકે કર્મના આવરણથી ઢંકાયેલો. હું અજ્ઞાન - દુ:ખ - રાગદ્રેષાદિથી ભરેલો, કર્મની ગુલામી ભોગ​વતો અને અપરંપાર અનિષ્ટોથી વિડંબાતો!
  • આમ તો, ઇન્દ્રિયોને ધાર્યા પ્રમાણે પ્ર​વર્તાવી શકું,
  • વાણીને ધાર્યા પ્રમાણે બોલી શકું,
  • મનથી ધાર્યા પ્રમાણે વિચાર ચલાવી શકું, બદલી શકું અને પડતા પણ મૂકી શકું.

આમ​, હું રાજા!

  • બધા અશુભોને રોકી શુભ વિષયમાં પ્રવર્તાવી પૂણ્યના ગંજ ઊભા કરી શકનારો.
  • હું અનંતાકાળથી આહારસંજ્ઞા, ક્રોધાદિ કષાયો તથા હિંસાદી પાપોજ સેવતો આવેલો… છતા,

મન, વચન, કાયા અને ઇન્દ્રિયો ઉપરના વર્ચસ્વને લીધે પાપસંજ્ઞામાં ન જ​વા દેતા:

  • દાન-શીલ​-તપ-ભાવ માં પ્ર​વર્તાવી શકનારો.
  • અહિંસા, સત્યા, ક્ષમા વગેરે ગુણોમાં લગાવી શકનાર​.
  • અને એના માટે જ આ ઉત્તમ ભ​વ અને જિનશાસન મળેલ છે તો તેને સફળ કેમ ન કરું?

૨. મને આ ક્યો અવસર મળ્યો છે?

  • જો હું તિર્યંચગતિમાં હોઉં તો કશો બોધ હોય નહીં એટલે કે અંધારી રાત્રિ જેવું.
  • જ્યારે આ મનુષ્ય અવતારમાં તો મને બધો જ બોધ થાય, અજ​વાસમય દિવસ જેવું અહીં તત્વનો પ્રકાશ મળે છે. જો અહીં ભૂલું તો કેવી દુર્દશા થાય​?
  • રાત્રિનો ભૂલેલો દિવસે ઠેકાણે આવે પણ દિવસનો ભૂલેલો રાત્રિના અંધકારમાં અથડાય જ ને!
  • પૂર્વે મને વીતરાગ પરમાત્માનું શાસન નહીં મળ્યું હોય અને અનેક ખરાબીઓથી ભરેલું જીવન જીવ્યો હોઇશ​, પરંતુ આ ભ​વમાં તો જિનશાસન મળ્યું છે તો આરાધનાનો કેવો સરસ અવસર મળ્યો છે!

પહેલા આહારસંજ્ઞામાં જ રચ્યોપચ્યો રહ્યો હોઇશ, ખાવું-પીવું-ભોગ​વ​વું વગેરેમાં જ રચ્યોપચ્યો હોઇશ પરંતુ જિનશાસન પામવાથી:

  • મારો સ્વભાવ અણહારી છે, કર્મયોગે ખાવું પડે છે, દેહને ભાડું આપ​વા માટે ખાઉં છું, આ ભાવનાથી ખ​વાય​ અને યથાશક્તિ તપસ્યા કરીશ​,
  • પરિગ્રહને બદલે દાન દેવાની,
  • ભોગ​વ​વાને બદલે ત્યાગ, વ્રત, નિયમ કર​વાની,
  • મોહ નિંદ્રામાં ઘોર​વાને બદલે અનિત્યતા-અશરણતા વગેરે ૧૨ ભાવના તેમજ મૈત્રી વગેરે ૪ ભાવનામાં રમું,

પૂર્વે હિંસાદિ પાપકર્મ આચરી અને પાછા તેનું અનુમોદન કરી કરી દુષ્કૃત્યોના સંસ્કાર દ્રઢ ‌દ્રઢતર કરતા ગયા જ્યારે અહીં જિનશાસન મળ​વાથી દેવદર્શન - પૂજા - દયા - અહિંસા - દાન - શીલ - તપ વગેરે સુકૃતો આદર​વાનો અને તેની અનુમોદના કર​વાનો સુવર્ણ અવસર મળેલ છે.

હ​વે પછીના ભાગમાં જોઇશું ત્રીજા ચિંતન​ કર્ત​વ્ય વિશે…




શેર કર​વા નીચે ક્લિક કરો