🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૧: ધર્મ ના કરીએ તો

ધણા લોકોનો ધર્મ ન​ કર​વા પાછળ તર્ક હોય છે કે જો ધર્મ ન કરીએ તો:

  • વિધાર્થી વધુ સમય વિદ્યાભ્યાસ કરી શકે,
  • વેપારી વધુ સમય ધંધામાં આપી શકે,
  • ગૃહિણી વધુ સમય પરીવાર માં આપી શકે.
  • ફેસબુક, વોટ્સએપ અને ઇન્ટરનેટ પર વધુ સમય વ્યતિત કરી શકાય​.
  • આ કાંઇ પણ ન કરનાર પણ ટી.વી. ની સિરીયલો, નાટક, સિનેમા વગેરેમાં સમય વ્યતિત કરી શકે.

તો પછી ધર્મ કરવાની જરૂર શા માટે છે?

  • આમ તો આપણે, આપણી સર્વ પ્રવૃતિઓની પાછળ રહેલા હેતુને અથ​વા તો જીવનનું લક્ષ્ય શું છે એ તપાસ​વા પ્રયત્ન​ કરીએ તો તદ્દન અંધકાર અથવા અવ્યવસ્થા માલૂમ પડશે.
  • આપણા અંતરાત્માને પૂછીએ કે
    • આ સર્વ દોડાદોડી શાને માટે?
    • કોને માટે?
    • કેટલા વખત માટે?
    • પરિણામે મેળવવાનું શું?
  • તો આનો સ્પષ્ટ જવાબ કોઇ આપી નહીં શકે. જવાબ શૂન્યમાં જ આવશે. આમ તો ૧૦૦૦ માંથી ૯૯૯ માણસો શાને માટે દોડાદોડી કરે છે તે જાણતા નથી, વિચારતા નથી, સમજતા નથી, સમજવા પ્રયત્ન પણ કરતા નથી.

  • આપણે કાયાની શક્તિ અને ઇન્દ્રિયોની શક્તિનો તો સતત ઉપયોગ કરીએ છીએ, ધન કમાવા માટે સતત પ્રયત્નશીલ રહીએ છીએ.

  • પણ આ બધી શક્તિઓ મન અને આત્માની શક્તિઓ કરતા નીચી કોટિની છે. માનસિક અને આત્મિક શક્તિઓ ખુબ જ કિંમતી છે, નીચી કોટિની એટલે કે કાયા ઇન્દ્રિયો ની શક્તિઓનો ઉપયોગ કરી લેવાય અને ઉચ્ચ કોટિની એટલે કે મન અને આત્માની શક્તિનો ઉપયોગ ન કરાય કે ઓછો કરાય તો એ મુર્ખતા નથી?

  • આ તો એના જેવું થયું કે આપણી પાસે મર્સિડીઝ કાર હોય અને બળદગાડામાં ફરીએ!

  • જો આત્મિક શક્તિનો ઉપયોગ નહીં કરીએ અને મૃત્યુની છેલ્લી પળ સુધી ધન કમાવવા અથવા તો નિરર્થક પ્રવૃતિઓ પાછળ સમય વેડફી નાખશું તો

શું આપણે બળદગાડામાં ફર્યા તેવું નહી ગણાય?

હ​વે પછીનાં ભાગમાં આપણે જોઇશું કે આ આત્મિક શક્તિનો ઉપયોગ એટલે શું?




શેર કર​વા નીચે ક્લિક કરો