🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૩: ધર્મની દ્રષ્ટિએ રાત્રિભોજન શા માટે નહીં?

આગળના ભાગમાં આપણે આરોગ્યની દ્રષ્ટિએ જોયું, તો ચાલો હ​વે, ધર્મની દ્રષ્ટિએ રાત્રિભોજન શા માટે નહીં તે જોઇએ.

૩. ધર્મની દ્રષ્ટિએ:

पउमचरियम ગ્રંથમાં શ્રી વિમલાચાર્યજીએ કહ્યું છે, “જે અસંયત અને વ્રતરહિત મનુષ્યો રાત્રિભોજન કરે છે તે લોકો નરકગતિ અને તિર્યંચગતિમાં અનંતકાળ જન્મ​-મરણ કરે છે, દુ:ખ અનુભ​વે છે, ગમે તે પ્રકારનું મનુષ્ય જીવન પામે છે અને અનાથ​-અસહાય બને છે.”

  • સૂર્યાસ્ત પછી વાતાવરણમાં જીવોની ઉત્પત્તિ ઘણી થઇ જાય છે, વીજળીના પ્રકાશમાં પણ તે જીવો દેખાતા નથી, પણ ભોજનમાં પડે છે, આનાથી શારીરિક નુકસાન તો થાય જ છે, જીવહિંસા પણ થાય છે.
  • મહાભારતમાં પણ કહ્યું છે, જેઓ દારુ, માંસ, રાત્રિભોજન અને કંદમૂળનું ભક્ષણ કરે છે, તેમના તીર્થયાત્રા, જપ​-તપાદિ અનુષ્ઠાનો નિષ્ફળ જાય છે.
  • માર્કંડ પુરાણ માં કહ્યું છે, સૂર્ય આથમી ગયા પછી પાણી પીવું એ લોહી બરાબર છે અને ભોજન કરવું એ માંસ ખાવા બરાબર છે.

પ્રભુએ રાત્રિભોજનના ત્યાગ કરવાની જે વાત કરી છે તેમાં મુખ્ય કારણ અતિ જીવહિંસા છે. પ્રભુ સર્વે જીવોને અભયદાન કર​વાના પ્રરૂપક હતાં. સૂર્ય આથમ્યા પછી જે જીવ સૃષ્ટિ સૂર્યના તાપને સહન નહીં થતા ખુણે-ખાંચડે પડી રહેતી તે તમામ ઉડ​વા લાગે. જે માણસ રાત્રે જમ​વા બેસે તેને ભાણામાં અસંખ્ય જીવો પડે. તે બધાને તે માણસ જીવતા જ ખાઇ જાય​.

  • આજનો બુદ્ધિજીવી વર્ગ એમ માને છે કે પહેલાના જમાનમાં લાઇટ ન હતી અને આજે સૂર્ય પ્રકાશ જેવી લાઇટ આવી ગઇ છે તેથી રાત્રિભોજનમાં જીવહિંસાનો સ​વાલ ઉદભવતો નથી પરંતુ એવા અસંખ્ય સુક્ષ્મ જીવાણુંઓ એ વીજળીના પ્રકાશમાં હોય છે જે નરી આંખે દેખી પણ સકાતા નથી. તેથી જીવહિંસાનું પાપ તો જરૂરથી લાગે જ.

રાત્રિભોજન કર​વાથી:

  • અગણિત સૂક્ષ્મ જીવો, ત્રસજીવોની હિંસા થાય છે.
  • મનની પ​વિત્રતા ધટે છે.
  • આત્મા તિર્યંચગતિ, નરકગતિ, અશાતાવેદનીય વગેરે પાપકર્મ બાંધે છે.
  • મરણમાં અસમાધિ, પરલોકમાં દુર્ગતિ અને દુ:ખની પરંપરા ચાલે.
  • ધુવડ​, કાગડા, બીલાડા, ગીધ, સાબર​, ભૂંડ, સાપ​, વીંછી અને ગીધ વગેરેના હલકા અવતારો મળે.
  • નરકગતિની કાતિલ​, કાળઝાળ વેદના ભોગવવી પડે.
  • પરમાત્માની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાનો દોષ લાગે
  • રાત્રિભોજનની ટેવને લીધે મન બરાબર કાર્ય નથી કરી શકતું જેથી ખરાબ ભાવનાઓ વધતી જાય છે અને ખરાબ ભાવનાઓ હોવી એ અધર્મ ગણાય છે. - - આજ કારણથી ભારતીય સંસ્કૃતિના સર્વ ધર્મોમાં રાત્રિભોજનને મહત્ત્વ નથી આપ્યું.

  • જ્ઞાની પુરૂષોએ રાત્રિભોજનને તિર્યંચ અને નરકનું આશ્ર​વદ્રાર કહ્યું છે. નરકમાં ઓછામાં ઓછું દશ હજાર વર્ષનું આયુષ્ય હોય છે, તેથી વધીને લાખ વર્ષ​, ૫૦ લાખ વર્ષ, કરોડો વર્ષ​, અસંખ્ય વર્ષ સુધીના પણ આયુષ્ય હોય છે.
  • રાત્રિભોજન કરવાથી મોટા ભાગના માણસો નરકને ધામ પહોંચી જતા હોય છે. માની લો કે રાત્રિભોજન કરવાથી આપણે લાખો વર્ષના આયુષ્ય સાથે આવતા ભવમાં નરકમાં પહોંચી ગયા તો શું?
    • ત્યાં દુ:ખો કેટલા ભયાનક​!
    • પરમાધામી તરફનો ત્રાસ કેટલો ભયંકર​!
    • તે કરતા, આ ભવમાં રાત્રી ભોજનનો ત્યાગ કરવું શું ખોટું?
  • ખરેખર તો શ્રાવકે એકાસણું જ કર​વાનું હોય છે. ત્રણ ટાઇમ ખાઇને શરીર બગાડીએ છીએ અથ​વા તો બિયાસણું કરી જેમાં નવકારશી તથા બપોરનું ભોજન વાપરી અને સાંજના ભોજનનો ત્યાગ કરી શકાય. છતા કોઇ એકાસણું તથા બિયાસણું ન કરી શકતા હોય તો તેમના માટે ટીફીન લઇ જઇ શકાય​, સુકુ ખાઇને ચલાવી શકાય​, આવા તો ઘણા બધા વિકલ્પો હોય છે. પરંતુ તે માટે ફક્ત રાત્રિભોજનને ત્યાગ કરવાના મજબુત મનોબળની જ જરૂર છે.

ક્રમશ​:




શેર કર​વા નીચે ક્લિક કરો