ભાગ ૧૦૯: મર્યા પછી સ્વર્ગ મળે કે મોક્ષ મળે, એનાથી અમારે શું નિસ્બત?
આગળના ભાગમાં આપણે જોયું કે
- ખાધા વિના ન ચાલે
- પૈસા કમાયા વિના ન ચાલે
- બજારમાં ગયા વિના ન ચાલે
આ હૈયે બેસી ગયું છે એની ગરજ રહે છે જ…
પણ ધર્મ માટે આવું હૈયે બેઠું છે કે ધર્મ વિના ન ચાલે?
-
વિષયોની-વિષયસુખની લંપટતા છે અને ધર્મ એ વિષયસુખની આડે આવે છે, માટે ધર્મ વિના ચાલે એવું માની લેવાય છે.
- અભવી જેવાને વિષયલંપટતા છે, છતાં એ માને છે કે ધર્મ વિના ન ચાલે,
- અને વળી એમ માનીને વિષયભોગમાં બેસી નથી રહેતા, પણ એ છોડીને ઠેઠ ચારિત્રધર્મ સુધી અપનાવે છે ખરા, પરંતુ ત્યાં ધર્મ વિના ન ચાલે એ માનવામાં ધર્મ કરીને ઊંચા વિષયસુખો મેળવ્યા વિના ન ચાલે એવું માન્યું છે.
-
એટલે ખરું તો વિષયસુખોની આંધળી લંપટતા યાને વિષય પરિણતિ ઊભી જ છે
-
દિલમાં આ પરિણતિ હોય ત્યાં ધર્મની પરિણતિ ન આવે.
-
તો અંતરમાં શુદ્ધ ધર્મ પરિણતિ વિનાના બાહ્ય ધર્મની કિંમત કેટલી?
-
અંતરમાં જૂઠ રમતું હોય ને બહારથી સામાને આકર્ષવા પહેલા સાચું બોલે
-
અંતરમાં મોટી ધાપ લગાવવાનું બેઠું હોય ને બહારથી કોઈ સોદામાં નીતિ કે ઉદારતા દેખાડે
-
અંતરમાં પારણે મારે સારું અને ખુબ ખાઈ-પી શકાય અને તગડા બની શકાય એ માટે બહારથી ઉપવાસ કરે
-
-
આવા બાહ્ય સત્ય-નીતિ-ઉદારવ્યવહાર અને ઉપવાસની કિંમત કેટલી?
- અંતરમાં સુંદર વિષયો જ મેળવવા-ભોગવવાની લગન રમતી હોય ત્યાં ધર્મપરિણતિ શાની ઊભી શકે?
અને એ લગનથી જ બાહ્ય કર્મ કરે એની કિંમત શી?
-
એટલે એવાને ધર્મ વિના ન ચાલે એવું માનવાનું હોતું જ નથી.
-
સારા વિષયસુખો વિના ન ચાલે, ને એ ધર્મથી જ મળે માટે ધર્મ કરો એજ એની માન્યતા હોય છે.
-
આવો વિવેક હોય અને સદબુદ્ધિ હોય, તો તો ધર્મની ભુખ જાગે, ધર્મનો યથાશક્તિ પુરુષાર્થ થાય પરંતુ વિષયસુખોની લંપટતા જ રાખવી હોય તો ધર્મ શાનો પોષાય?
-
ધર્મનો પુરુષાર્થ નથી થતો ત્યાં દોષ કર્મ કે ભવિતવ્યતાને દેવો નહીં પરંતુ વાંક જાતનો ને જાતની વિષય લંપટતાનો જોવો કે ધર્મ વિના ચાલે એવી માન્યતાનો જોવો
લોકો કહે છે તમારો ધર્મ અમારે શું કામનો?
-
તમારો ધર્મ ઉધાર છે, અમારે તો રોકડો ધર્મ જોઈએ.
-
મર્યા પછી સ્વર્ગ મળે કે મોક્ષ મળે, એનાથી અમારે શું નિસ્બત? અમારે તો આ જ ભવમાં ફળ જોઈએ.
-
અમને રોકડા ધર્મમાં રસ છે, ઉધાર ધર્મમાં નહીં
ધર્મના રોકડા ફાયદાઓ:
-
રોગ-રહિત તન
- ધર્મ કરનારો માણસ રાત્રિભોજન આદિ છોડીને એકાસણા, બેસણા કે ઉપવાસ કરતો થાય એટલે સ્વાભાવિક રીતે જ રોગ દૂર ભાગે.
-
સંક્લેશ - રહિત મન
- ધાર્મિક પુરૂષ કર્મસત્તા પર વિશ્વાસ રાખતો હોવાથી ગમે તેવા પ્રસંગોમાં પણ સંક્લિષ્ટ વિચારોથી મનને ગ્રસ્ત બનવા દેતો નથી. વળી, પ્રભુ-ભક્તિ પણ મનને સંક્લેશથી બચાવે છે અને ચિત્તને શાંતિ મળે છે
-
ક્લેશ રહિત વચન
- મન સંક્લેશ ગ્રસ્ત હોય તો જ વચન કલેશયુક્ત નીકળે, પ્રસન્ન અને મધુર વાણી, પ્રસન્ન અને મધુર મનની નિશાની છે,
-
ભય-રહિત હ્રદય.
- ધર્માત્મા કદી ભયભીત નથી હોતો. અભયને આપનાર પ્રભુને જેણે પકડી લીધા તેને ભય કેવો ? તેથી આત્માને સ્વસ્થતા મળે છે.
-
વાસના-રહિત ઈન્દ્રિય
- પ્રભુની ઉપાસનામાં જે ઇન્દ્રિયો મસ્ત બની જાય તેને વાસના શી રીતે સતાવે ?
-
સ્વાર્થ-રહિત સંબંધ
- ધર્મી-આત્મા અન્ય સાથે નિર્મળ સંબંધ જોડે છે, બીજા સંસારી માણસોની જેમ એના સંબંધમાં સ્વાર્થની બદબૂ નથી આવતી.
-
હિંસા-રહિત જીવન
- આ બધાનો ફળરૂપે જીવનમાં અહિંસા આવે જ છે, અહિંસા એ ધર્મરૂપી વેલનું અમૃત ફળ છે.
આમ છેવટે ધર્મથી જ અંતકાળ સુખદ બને છે
વધુ હવે પછીના ભાગમાં
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶