ભાગ ૧૧૦: શું ધર્મ અને સમૃધ્ધિ બંને ગમે એવું બને?
આગળના ભાગમાં આપણે ધર્મના રોકડા ફાયદા વિશે જોયું…
આપણને ધર્મ ગમે છે? ધર્મનો પ્રેમ છે?
- તો આ ના જવાબમા આપણે તરત હા કહી દઇએ છીએ…
- પણ જો એ વસ્તુ સાચી છે કે કેમ? તો આ માટેની પારાશીશી એ છે કે જો “મને ધર્મ ગમે છે” તો પછી ધર્મ દુનિયાની સમૃધ્ધિ-સતા-સન્માન કરતા કિંમતી લાગે છે?
શું ધર્મ અને સમૃધ્ધિ બંને ગમે એવું ન બને?
ના
-
ધર્મ શબ્દનો અર્થ જ એ છે કે હિંસાદી પાપ અને પાપ સાધનો કરતા વિરૂધ્ધ વસ્તુ.
-
જેમકે સત્ય એટલે અસત્યથી વિરૂધ્ધ ચીજ… જેમ સત્ય અને અસત્ય બંને ગમે એવું ન બને, એમ ધર્મ અને પાપ બંને ગમતા ન બની શકે.
- જો ધર્મ કિમતી લાગે છે તો પાપની પાપનાં સાધનની કશી કિંમત ન લાગે.
- ધર્મ કર્યો અને પૈસા મળ્યા પરંતુ જો એ પૈસા કિંમતી લાગશે તો ત્યાં ધર્મ કિંમતી નહિ લાગે. તેથી એ પૈસા દાનમાં ઉછાળવાનું મન નહિ થાય, ને અગર મન થશે તો પૈસા સન્માનાદિ અધિક મળે એ માટે, તેથી ત્યાં કિંમતી તો પૈસા જ રહ્યા, ધર્મ નહિ.
- એટલે ધર્મ કિંમતી લગાડવા ધર્મ આગળ પાપ-પાપસાધનો કિમત વિનાના લાગવા જોઈએ.
- ધર્મ કિંમતી લાગે તો જ ધર્મ ગમ્યો ગણાય, ધર્મપ્રેમ જાગ્યો ગણાય.
“શુદ્ધ ધર્મપ્રેમ” એટલે પાપસાધનભૂત કોઈ સુખસંપત્તિ
-
સન્માનના પ્રેમથી ધર્મનો પ્રેમ નહિ, કિંતુ સ્વતંત્ર ધર્મપ્રેમ, પાપ અને પાપસાધનાના અણગમા સાથેનો ધર્મપ્રેમ, એવા ધર્મપ્રેમથી ધર્મસાધના કરવાની હવે જો કોઇ પુછે કે…
- દેવદર્શનપુજા કેમ કરો છો ?
- દાન કેમ કરો છો ?
- તપ કેમ કરો છો ?
- શંખેશ્વર પાર્શ્વનાથની આરાધના કેમ કરો છો?
તો આ બધાનો જવાબ એક જ કે “મને ધર્મ ગમે છે માટે આ કરું છું.”
-
મનમાં પણ એ જ રાખવાનું કે જીવનમાં ધર્મ જ કર્તવ્ય છે, તો લાવ બને તેટલો વધુ ધર્મ કરું
-
પરંતુ એ નહિ કે “આનાથી પૈસેટકે સુખી રહીએ, સમાજમાં સારું માન મળે વગેરે
-
આ પાપસાધનો પોષવા માટે ચિંતામણિથી પણ અધિક એવા ધર્મને શા માટે વેચું?
- બાહ્ય સુખસાધનો તો પૂર્વ કર્માનુસાર આવે છે, જાય છે, તેથી એના રાગ ખાતર ધર્મનો રાગ ગૌણ ન કરું એ ગમે છે માટે એના માટે ધર્મ ગમે એવું ન રાખું.
- ધર્મથી ભવના ફેરા મટે, જન્મ-મરણની વિટંબણા ટળે, અહીંનું જીવન પશુજીવન ન બને માટે મને ધર્મ ગમે તો ધર્મ પ્રેમ શુધ્ધ કહેવાય…
વધુ હવે પછીના ભાગમાં
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶