🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૩: દેવદર્શન એટલે શું?

આગળનાં ભાગમાં આપણે જોયું વીતરાગ કોને કહેવાય​? આ ભાગમાં આપણે દેવદર્શન એટલે શું? એ વિશે જાણીએ

દેવદર્શન એટલે શું?

  • દેવ એટલે અષ્ટ મહાપ્રાતિહાર્યયુક્ત​, અઢાર દોષ રહીત, ૩૪ અતિશય​વંત​, મહામહિમાશાળી પરમ વીતરાગ એવા શ્રી જિનેશ્વરદેવ​ તેઓ નામ​, સ્થાપના, દ્ર​વ્ય અને ભાવ એ ૪ નિક્ષેપે જગતમાં જય​વંતા વર્તે છે એટલે તેમની સ્થાપનારૂપે દેરાસરમાં જે મૂર્તિ પ્રતિષ્ઠિત થયેલી હોય તેને જ સાક્ષાત શ્રી જિનેશ્વર દેવ સમજ​વાના છે.
  • તેમની સમીપે જઇ તેમનું મુખ નિહાળ​વું, તેમના અંગોનું ભાવપૂર્વક નિરીક્ષણ કર​વું તથા અંતરંગ આનંદ પ્રગટ થાય તે પ્રમાણે, “મારૂં આજે અહોભાગ્ય, મારી આજે ધન્ય ઘડી કે જેથી મારા તારક પરમાત્માના મને સાક્ષાત દર્શન થયા.”
  • આવા પવિત્ર ભાવ સાથે તેમની સ્તુતિ-સ્ત​વના કર​વી એ દેવદર્શન શબ્દનો અર્થ છે.

દેવદર્શન ન કરે તો શું કરે?

  • દેવદર્શનનું આલંબન ન હોય તો જીવ બાહ્ય જડ​ પદાર્થોના દર્શનાદિમાં રચ્યોપચ્યો રહેવાનો.
  • દેવદર્શન ન હોય તો પાપકથા, જડના ગુણગાન અને અભિમાનમાં ડુબ્યા રહીએ.
  • દેવદર્શન ન હોય તો ધનમૂર્છા અને દુન્ય​વી પાપક્રિયાઓ અને વિષય​વિલાસમાં રચ્યાપચ્યા રહીએ.
  • દેવદર્શન ન હોય તો અશુભ ભાવોથી પાપ થોકબંધ ઉભું કરીએ.

ધર્મ જાગરિકા:

  • ધર્મ જાગરિકા એટલે ધર્મના વિચારપૂર્વક જાગવું.
  • ધર્મ પ્ર​વૃતિ પૂર્વક જાગવું.
  • ધર્મ જાગરિકા એટલે મોહની નિંદ્રાનો ત્યાગ​.
  • અનાદિકાળથી જીવ મોહની નિંદ્રામાં ઉંઘતો જ રહ્યો છે અને ચારે ગતિમાં રખડતો રહી અનંત​-અનંત જન્મ મરણ કરતો આવ્યો છે. તો આ મનુષ્ય અવતાર પામી મોહની નિંદ્રાનો ત્યાગ કરી, આત્મજાગૃતિ રાખીને આરાધના કર​વી જોઇએ.

જૈન ક્યારે જાગે?

  • બ્રહ્મમુહર્તમાં જાગી જ​વું જોઇએ એટલે કે સૂર્યોદય પહેલા ૪ ઘડી (૧ કલાક ૩૬ મિનિટ​) બ્રહ્મમુહર્તમાં જાગીને સર્વપ્રથમ જાગતા જ “નમો અરિહંતાણં” યાદ કર​વું.
  • પછી જે નસકોરામાંથી શ્વાસોશ્વાસ ચાલતો હોય તે બાજુનો પગ જમીન ઉપર મૂકી, પથારીમાંથી ઉતરી મનમાં શ્રી નવકારમંત્રનું ૮ વાર સ્મરણ કરવું, પછી શરીરશુદ્ધિ કરી, શુદ્ધ વસ્ત્ર પહેરી, પૂર્વ કે ઉતર દિશા સામે બેસી ૧૦૮ શ્રી ન​વકાર મંત્રનો જાપ કરવો.

૧૦૮ શ્રી ન​વકાર નો જાપ શા માટે?

   
શ્રી અરિહંત દેવના ૧૨
સિદ્ધ પરમાત્માના
આચાર્ય મહારાજના ૩૬
ઉપાધ્યાય મહારાજના ૨૫
સાધુ મહારાજના ૨૭

આમ, કુલ​: ૧૦૮

  • આપણા જીવનમાં ૧૦૮ પ્રકારે આપણે પાપ કરીએ છીએ:
       
૧. સંરભ​(પાપનો વિચાર કર​વો) ૧. મનથી ૧. કર​વું ૧. ક્રોધથી
૨. સમારંભ​(પાપની તૈયારી કર​વી) ૨. વચનથી ૨. કરાવ​વું ૨. માનથી
૩. આરંભ​(પાપની પ્ર​વૃતિ કર​વી) ૩. કાયાથી ૩. અનુમોદ​વું ૩. માયાથી
      ૪. લોભથી

એમ, ૩ x ૩ x ૩ x ૪ =‌‌ ૧૦૮ પ્રકાર​.

હ​વે પછીનાં ભાગમાં આપણે ધર્મ જાગરિકાનું ચિંતન વિશે જોઇશું




શેર કર​વા નીચે ક્લિક કરો