🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૧૨: દેરાસરની વ્ય​વસ્થા એ કોની જવાબદારી છે?

આગળનાં ભાગમાં આપણે મહામંત્રી પેથડશાહ ‘નિસીહી’ નું કેવું અદભુત​ પાલન કરતા એ વિશે જોયું.

પ્રથમ નિસીહી નું કર્ત​વ્ય​:

  • આપણે નિસીહી બોલીને દેરાસરમાં પ્ર​વેશ કર્યા બાદ પહોંચ અને અધિકાર હોય તો દેરાસરની પેઢી ઉપર કામગીરીની તપાસ કરવી…
  • આપણને યોગ્ય હોય એવો સાથ સહકાર દેવો અને પેઢીના વહીવટ માં પોતે પણ ભોગ દેવો.

તે ઉપરાંત​:

  • દેરાસરમાં પૂજારી વગેરે વફાદારી પૂર્વક કામ કરે છે ને?
  • પૂજા કર​વામાં કામ​ આવતા વાસણો બરાબર સાફ અને સ્વચ્છ રહે છે ને?
  • અંગલૂછણા પણ મેલા નથી ને?
  • ક્યાંય લીલોતરી ઉગી નથી ને?
  • ક્યાંય નિગોદ (લીલ​-કાંજી) જામી નથી ને?
  • આદિ બાબતની પોતે ઝીણ​વટભરી તપાસ કરે… અને ક્યાંય એવી અજુગતિ પ્રવૃતિ લાગે કે દેરાસરની આશાતના જેવું લાગે તો તેને દૂર કરવા માટે સ્વયં પ્રયત્ન કરવો જોઇએ.
  • આપણે દેરાસરમાં રાડો ન પાડ​વી જોઇએ! બૂમાબૂમ ન કરવી જોઇએ કે વ્ય​વસ્થાપક-ટ્રસ્ટીઓને ભાંડવા નહીં.

દેરાસરની વ્ય​વસ્થા એ આપણી જવાબદારી છે.

  • આપણે કોઇના માથે સીધું જવાબદારી નું પોટલું ઠાલ​વી,

“કોઇ જાતની વ્ય​વસ્થા નથી.. બસ બેસી ગયા પોસ્ટ​ પર અને પોતાનું ધાર્યું જ કરે છે..”

  • તેવા શબ્દો કહી આપણી જવાબદારીથી દૂર ના ભાગ​વું જોઇએ.
  • જેટલી તેમની જવાબદારી છે તેટલી જ​ આપણી પણ જવાબદારી છે.

જો આપણે નિસીહીના આ કર્ત​વ્યને સમજી અદા કરીએ તો એક સાથે ઘણા લાભ સંભવી શકે:

  • દેરાસરની આશાતના નાબૂદ થાય​.
  • દેરાસર સ્વચ્છ-સુંદર​-સુઘડ રહે.
  • નોકર​-ચાકર પોતે સાવધાન બની દરેક કાર્ય વફાદારી પૂર્વક કરતા રહે.
  • વ્ય​વસ્થાપકો પણ સુપેરે વહીવટ સંભાળી શકે.

આજે આ બધું ભુલાતું જ જાય છે. જાણે દેરાસર એટલે ટ્રસ્ટી, વહીવટદારોનું કે વ્ય​વસ્થાપકોનું! આપણી તો કોઇ જવાબદારી જ ન હોય​.

  • આપણે દેરાસરમાં સમય દેતા નથી અને જો સમય આપીએ તો દેરાસરની વ્ય​વસ્થામાં મદદરૂપ થ​વાને બદલે બૂમાબૂમ કરશું. તે કેટલું ઉચિત્ત​?

નિસીહી બોલ્યા બાદ જો નીચે મૂજબ કરીએ તો નિસીહીનો અર્થ શું?

  • દેરાસર એટલે મિલનસ્થાન
  • માણસો દેરાસરની અંદર અને બહાર એકબીજાને મળે, વાતો કરે, સગા-સંબંધીઓને મળ​વા દેરાસરે બોલાવે
  • દેરાસરમાં જ વ્યવહારિક કામ પતાવે!!! જેમ કે છોકરા-છોકરી જોવાનું કામ​!
  • સાજા-માંદાના ખબર​-અંતર પૂછવાનું કામ
  • દુકાને મળ​વાના, ઘરે જમ​વાના, માંડ​વે કે સાદડીમાં પધારવાના આમંત્રણો આપવા
  • આજનું બજાર (શેર બજાર​) કેવું છે? કયો ઇસ્યુ ભર​વા જેવો છે? કેટલું પ્રિમિયમ બોલાય છે?
  • વોટ્સ​એપ ‌- ફેસબુકની વાતો..

હ​વે પછીનાં ભાગમાં આપણે તિલક વિધી વિશે જોઇશું…




શેર કર​વા નીચે ક્લિક કરો