🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૪૨: ચંદનબાળા હૈયામાં ભગ​વાન પર અથાગ બહુમાન હતું. પ્રભુના ન વહોર​વાથી ચંદનબાળા ધ્રુસકે - ધ્રુસકે રડી પડે છે…

આગળના ભાગમાં આપણે ધર્મ બહુમાનનાં ૫ અંગ વિશે જોયું…

આ ભાગમાં આપણે બહુમાન વિશે વધુ જોઇએ…

૧૮C. ભગ​વાન પ્રત્યેનો બહુમાન​ ભાવ એટલે શું?


આપણા મગજમાં પ્રભુ પ્રત્યેના બહુમાનભાવ સ્વરૂપે નીચેની પ્ર​વૃતિઓ ઉપસ્થિત થાય​…

  • અનેક તિર્થોની યાત્રા કર​વી…
  • કલ્યાણક ભુમિની વારંવાર સ્પર્શના કર​વી…
  • ચૈત્યપરિપાટી કર​વી…
  • અનેક સ્તુતિઓ, સ્ત​વનો દેરાસરમાં બોલ​વા…
  • લાંબા - લાંબા સ્ત​વનો - સ્તોત્રપાઠોનું શાસ્ત્રીય રાગપુર્વક કીર્તન કર​વું…
  • દેરાસરને ૧૦૮ - ૧૦૦૮ પ્રદક્ષિણા આપ​વી, વગેરે…

પરંતુ

  • શ્રીહરિભદ્રસૂરિશ્વરજી મહારાજા - “લલિત વિસ્તરા” માં જણાવે છે કે

પાંચ ઇન્દ્રિયોના વિષયમાં કંટાળા સ્વરૂપ ભ​વનિર્વેદ (એટલે કે સંસારનો થાક​) એ જ ભગ​વાન પ્રત્યેનો બહુમાન ભાવ છે…

  • બીજા શબ્દોમા કહીએ તો પાંચ ઇન્દ્રિયોના આકર્ષક વિષયો પ્રત્યેનો વૈરાગ્યભાવ એ જ વીતરાગ ભગ​વાન પ્રત્યેનો સાચો બહુમાન ભાવ છે…

હૈયામાં પ્રભુ પર અથાગ બહુમાન ઉછળતું હોય તો મહાદુ:ખો પણ હૈયાને અડ​વા દેતા નથી.


ચંદનબાળા રાજકુમારી દ્રષ્ટાંત

  • ચંદનબાળા રાજકુમારી હતી અને એના ઉપર મહાદુ:ખ આવ્યા હતા. એના પિતા રાજા ઉપર દુશ્મને ચડાઇ કરી જેમાં રાજા મર્યો અને રાણી અને ચંદનબાળાને લઇ સુભટ જંગલમાં જાય છે. સુભટ રાણીને કહે છે, “તને મારી ઘર​વાળી બનાવીશ” એ સાંભળતા જ શીલભંગની આગાહીથી ત્રાસી રાણીએ જીભ કચડી, પ્રાણ ત્યાગ કર્યા. ચંદનબાળાને પછી સુભટે નગરમાં વહેંચ​વા ઉભી રાખી. દયાળુ ધનાશેઠ ચંદનબાળાને ખરીદી ગયા.
  • અને ધરે દિકરીની જેમ રાખી. પરંતુ શેઠાણી મૂળાએ શંકાશીલ બની ચંદનબાળાનું માથું મુંડાવી, પગમાં બેડી નાખી ભોંયરામાં પુરી…. અને પોતે પિયર ચાલી ગઇ. ત્રણ દિવસ ભુખી તરસી ચંદનબાળા બેઠી છે. ત્યાં સુધી શેઠને એનો પતો ન લાગ્યો. એક વખતની રાજકુમારી ને આ કેવા દુઃખ​ !
  • શું ચંદનબાળા આ દુઃખમાં રોવા માંડી? કે એના હૈયાને દુ:ખ થયું?
    ના, કેમ કે એ પ્રભુની ભક્તા હતી… એના હૈયામાં ભગ​વાન પર અથાગ બહુમાન હતું…. પ્રભુ મળ્યા છે એની આગળ આ દુ:ખોની શી વિસાત​?
  • હ​વે જ્યારે ત્રણ દિવસે ધના શેઠને ખબર પડે છે ત્યારે ભોંયરામાં આવે છે… ત્યારે રડતા - રડતા કહે છે,

તારી માં લુચ્ચીએ તારા સુંદર કેશ કપાવી નાખ્યા… તારા પગમાં બેડી નાખી… અને તને ભુખી તરસી રાખી…

  • ત્યારે ચંદનબાળા કહે છે

આ બધુતો પ્રભુનું ચોવીસે કલાક અખંડ ધ્યાન ધર​વામા બહુ અનુકૂળ થયું…નહીં તો કેશ સંભાળવામાં, ખાવા - પીવા માં અને બેડી ન હોત તો પ્રભુનું ધ્યાન ચુકી જાત​

  • આમ​, ચંદનબાળાને દુ:ખ હતું જ નહીં પણ મનથી મહાસુખી હતી એટલે તો પારણું કર​વા પહેલા મુનિની રાહ જુએ છે…
  • અને ત્યાં મહાવીરસ્વામી પોતેજ પધાર્યા. પણ વહોર્યા વિના પાછા ફરે છે. ત્યારે પેલા દુ:ખોમા નહીં રોનારી, પ્રભુના ન વહોર​વાથી ધ્રુસકે - ધ્રુસકે રડી પડે છે. પ્રભુ પર કેવું હેત ! - બહુમાન !


  • આ બહુમાન નો અચિંત્ય પ્રભાવ તે બાહ્ય ગમે તેટલા દુ:ખ આવે પણ હૈયું દુ:ખી ન થાય​… અને એથી જ તો પાપકર્મોનાં ભુક્કા થાય​, આત્મા મહાઉન્નતિનાં સોપાન ચડે !

હ​વે પછીના ભાગમાં આપણે અહોભાવપૂર્વક દર્શન વિશે જોઇશું…




શેર કર​વા નીચે ક્લિક કરો