🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૨૨: ચાલો વાસક્ષેપ પૂજા કરીએ

ભાગ ૨૧માં આપણે પૂજા માટેના મુખકોષમાં આઠપડ શા માટે? એ વિશે જોયું.

‌વાસક્ષેપ પૂજા:

  • લઘુસ્નાન કર્યા બાદ પૂજાના વસ્ત્રોમાં (વાસક્ષેપ પૂજાના અલગ વસ્ત્રો) પરિધાન કરેલા હોય તો પરમાત્માની સ્તુતિ બોલી, બીજી નિસીહી બોલ્યા બાદ ગભારામાં પ્રવેશ કરી પરમાત્માનો સ્પર્શ ન થાય તે રીતે (પૂજાના વસ્ત્રો હોય તો પણ​) અને પ્રભુજીના પબાસનથી દૂર અને યથાયોગ્ય અંતરે રહી જમણા હાથનો અંગુઠો અને અનામિકા (પૂજા કરવાની આંગળી - ટચલી આંગળીની પહેલાની આંગળી) ની ચપટીમાં ‌વાસક્ષેપ લઇ ન​વઅંગે ‌વાસક્ષેપ ચઢાવ​વા દ્રારા પૂજા કરી ગભારા બહાર પ્રભુજીને પુંઠ ન પડે તે રીતે નીકળી જ​વું.‌
  • વાસક્ષેપ પૂજા કરતા પહેલા કે પછી પ્રભુજીના અંગે ચઢેલ ‌વાસક્ષેપ પોતાના હાથે લઇ પોતાના મસ્તકે કે બીજાને આપ​વાથી ઘોર આશાતના લાગે.

  • ધૂપ​-દીપ​-ચામર આદિ કરી નીચે બેસી પાટલા ઉપર અક્ષત​-નૈવેધ​-ફળ ચઢાવ​વાં (વિસ્તારપૂર્વક મધ્યાહનકાળની પૂજા-વિધિમાં જણાવ​વામાં આવશે.)
  • ત્યારબાદ ૩ ખમાસમણા દઇ ત્રીજી વારની નિસીહી બોલી ચૈત્ય​વંદન કર​વું.
  • જો મોટું ચૈત્યવંદન કર​વાની અનુકૂળતા ન હોય તો જઘન્ય​ ચૈત્ય​વંદન કર​વું.
  • પછી પાછલા પગે બહાર નીકળી ત્રણ​વાર ઘંટ વગાડી દેરાસરથી બહાર નીકળ​વું

ત્રણ વાર ઘંટ શા માટે?

  • ૧. દેરાસરમાં દર્શન​-પૂજનથી મેળ​વેલા પ​વિત્ર ભાવો અને સંસ્કારોની અસર જીવનમાં ટકી રહે તે ધ્યેયથી ધંટનો મંગળ ધ્વનિ ગાજતો કરવો.
  • ૨. પ્રભુદર્શનથી આજનો દિવસ સફળ થયો, એના હર્ષમાં ધંટાર​વ કરવો.
  • ૩. જૈનશાસનનો જ્યજયકાર સુચ​વ​વા ધંટનાદ કરવો.

ઘંટ વગાડ​વામાં ધ્યાનમા લેવાની બાબતો

  • ધંટનાદ ધીમેથી મધુર ધ્વનિ કર​વો.
  • ધંટના અવાજથી બીજાને ખલેલ ન પહોંચે તેનો વિવેક રાખવો.
  • ડાબા હાથને હ્રદયના મધ્યસ્થાનમાં રાખી જમણા હાથે ત્રણ​વાર ઘંટનાદ કરવો.
  • દેરાસરમાં પ્ર​વેશતી વખતે એક વાર ઘંટ વગાડ​વો એ વિશે આપણે ભાગ ૧૯ માં જોયું

બહાર પગ મૂકતી વખતે “આવસ્સહી આવસ્સહી આવસ્સહી” એમ બોલ​વું.

દેરાસરમાંથી દર્શન કરી બહાર નીકળી ઓટલે બેસ​વું જોઇએ, તે વિશેની વિધી-અવિધી જોઇએ:

  • ભગ​વાન તથા દેરાસરને પીઠ ન થાય તે રીતે બેસ​વું
  • રસ્તા-પગથિયામાં ન બેસ​વું, એક બાજુ જઇ ને બેસ​વું જોઇએ.
  • ત્યાં આજકી તાજા ખબર ન થાય​, નહીંતર નિસીહી નું કર્ત​વ્યનું પાલન પણ નહીં થાય એટલે કે મૌનપૂર્વક બેસ​વું.
  • આંખો બંધ રાખી મનમાં ૩ ન​વકાર ગણ​વા તથા હ્રદયમાં રહેલા ભગ​વાન ના ભાવથી દર્શન કર​વા. ઓટલે બેસી એ ભાવના ભાવ​વી કે,

“હે પ્રભુ! આપના પુણ્યદર્શન ફરી ક્યારે કરીશ​? પાછો સંસારની ઉપાધિમાં - પાપ પ્રવૃતિમાં જઇ રહ્યો છું પણ આપના દર્શનથી પ્રાપ્ત થયેલી ઉચ્ચ ભાવનાઓ અને વિવેકબુદ્ધિ ટકી રહે તેમ હું ઇચ્છુ છું. મારું દુર્ભાગ્ય છે કે ભગવાનને છોડી ઘરે જ​વું પડે છે”

  • આવા ભાવ સાથે ધીરેથી ઉઠ​વું.
  • આંખો ખુલ્લી રાખી આવતા-જતા લોકોને જોતા રહેવું એ અવિધી છે.
  • હાશ​! હ​વે છુટ્યા, આવા ભાવથી ઉભા થવું તે અવિધી છે.

  • ત્યાર​ પછી, પૂજ્ય ગુરૂદેવને વંદન કર​વા ઉપાશ્રયે જ​વું.
  • ત્યાં ગુરૂદેવને વંદન કરી તેઓશ્રીના મુખે પચ્ચક્ખાણ સ્વીકારી ઘરે પરત થ​વું અને પછી જ પચ્ચખાણ પાળ​વું.

હ​વે પછીના ભાગમાં આપણે પૂજા અંગેની અગત્યની પ્રશ્નાવલી જોઇશું…




શેર કર​વા નીચે ક્લિક કરો