🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૩૨: બહારથી દાન દીધું હોય પણ અંતરમાં દીધા કરતાં વધારે લેવાની લાલસા હોય તો!

ગઇ કાલના ભાગમાં આપણે જોયું હતુ કે છાર​ ઉપર લીંપણ જેવી ક્રિયા ચાલે તો તેની શું અસર​?

આ ભાગમાં આપણે બાહ્ય અને આંતરથી ક્રિયા તેમજ સાતત્યની સાથે ધર્મક્રિયા​ વિશે જોઇએ…

7. બાહ્ય અને આંતરથી ક્રિયા:


  • આંતરિક ક્રિયાથી એટલે કે અંદરના શુભ પરિણામથી અંતરના મદ(અભિમાન) અને અજ્ઞાન ટળે અને એ જે જ્ઞાનયુક્ત ક્રિયા હોય, તેની તો વાત જ અનોખી હોય​…
  • પણ જેમ બળદ ઘાણીને આંટા માર્યા કરે, પરંતુ ઘાણીની અંદરમાં તલ જ ન નાખ્યાં હોય તો તેલ ક્યાંથી નીકળે? એમ બાહ્ય ધર્મક્રિયા કર્યા કરીએ પણ અંદરમાં આંતરિક એના પરિણામ જ ન ઉભા કરાય તો ફળ શું મળે?

અંદરની ક્રિયા શુભ પરિણતિની:

  • બહારથી દાન દીધું હોય પણ અંતરમાં દીધા કરતાં વધારે લેવાની લાલસા હોય તો અંદરની ક્રિયા વગર બાહ્યક્રિયા થઇ ગણાય.
  • “નમુત્થુણં” બોલતા હોઇએ પરંતુ સંમૂર્છિમની જેમ કોઇપણ શુભ ચિંતન વગર બોલીએ તો તેનો શું લાભ​?
  • અભિષેક કરતા હોઇએ પણ કંઇ ચિંતન નહીં, ખરેખર તો પ્રભુને પોતાના હ્રદય સિંહાસને રાજા તરીકે અભિષિક્ત કર​વાનું ચિંતન હોય.
  • ચંદનથી વિલેપન પૂજાનો મર્મ - ચિંતન ન કરીએ. ખરેખર તો પોતાના આત્મામાં ચંદન જેવી શીતલતા - સુગંધિતા, કષાયોના શમનથી શીતલ સ્વભાવ એ ચિંતન કર​વું જોઇએ.

શુભ પરિણામ માટે શું કર​વું?:

  • આહારાદિ અને ક્રોધાદિ સંજ્ઞાનો નિગ્રહ કર​વો.
  • દુન્ય​વી ઇષ્ટ લાગતા વિષયોની ધૃણાનો અભ્યાસ કર​વો.
  • અહં - ક્રોધ - લોભ વગેરે કષાયો ઉપર અંકુશ રાખ​વો.

અક્રિય સાધે જે ક્રિયા

  • સીમંધર ભગ​વાનને વિનંતી કરતા શ્રી જ્ઞાન​વિમલસૂરી મહારાજે “સૂણ સીમંધર સાહેબાજી!” વાળા સ્ત​વનમાં કહ્યું,

“અક્રિય સાધે જે ક્રિયાજી,
તે નાવે તિલમાત​
મદ અજ્ઞાન ટળે જેહથીજી,
તે નહિ નાણની વાત
કૃપાનિધિ! સુણ મોરી અરદાસ​”

એટલે કે જે માણસ ક્રિયા કરે છે પણ અંતરથી અક્રિય રહે છે તો તે ક્રિયાની તલમાત્ર પણ કિંમત નથી. બાહ્યક્રિયા કરીએ તો આત્મા ઉપર એની અસર પડ​વી જોઇએ. આત્માને ઉન્નત કરનારી હોવી જોઇએ. વીતરાગ પ્રભુના દર્શને ગયા, બે હાથ જોડી, માથુ નમાવી, પ્રભુનું દર્શન કરી રહ્યા છીએ, કોઇ સ્તુતિ બોલી રહ્યા છીએ પરંતુ ચિત્ત બીજા-ત્રીજા વિચારમાં છે, તો તેની આત્મા ઉપર શું અસર પડે?

૮. સાતત્યની સાથે ધર્મક્રિયા:


  • એટલે કે ક્રિયા સતત-પ્રતિદિન કર​વી જોઇએ તો જ પ્રીતિનો ભાવ રહેશે.
  • એવું નહીં કે એક દિવસ ક્રિયા કરી, પછી ૨-૪ દિવસ ન કરી, ફરી ૧-૨ દિવસ કરી અને ૮-૧૦ દિવસ ન કરી…
  • આમ​, ધર્મક્રિયામાં સાતત્ય​-નિયમિતત્તા હોવી જ જોઇએ.

  • નાના બાળકને જ્યારે નિશાળે મોકલ​વામાં આવે છે ત્યારે તે રડે છે છતાં પણ આપણે પરાણે તેને નિશાળે મોકલીએ છીએ. ધીમે ધીમે તેને નિશાળનું મમત્વ વધી જાય છે નિશાળે સમયસર પહોંચી જાય છે… એ ક્રિયાના સતત અભ્યાસનો પ્રભાવ છે…

  • જો સતત ધાર્મિક ક્રિયા નહીં કરીએ તો આળસ પ્રવેશી જશે અને ક્રિયા ધીરે ધીરે બંધ પણ થઇ જાય​. ખરેખર તો જે દિવસે ક્રિયા ન થઇ હોય તો તેનું પ્રાયશ્ચિત લેવું જોઇએ.

હ​વે પછીના ભાગમાં આપણે ભક્તિનું અગત્યનું અંગ આશય વિશે જાણીશું…




શેર કર​વા નીચે ક્લિક કરો