🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૪૫: સાધકને વળી મૃત્યુનો ભય કેવો ? એ તો મોતને મૂઠીમાં લઇને ફરે મોતથી ડરનારો લડવૈયો ન બની શકે ને સાધક પણ ન બની શકે.

૨૦B.અહોભાવપૂર્વક દર્શન કઇ રીતે કર​વા?


ગઇ કાલનાં ભાગમાં આપણે

  1. એકાગ્રતા અને (સુદર્શના રાજપુત્રી દ્રષ્ટાંત​)
  2. ગદગદતા વિશે જોઇ ગયા (શાલીભદ્ર દ્રષ્ટાંત​)

આ ભાગમાં આપણે અવ્યગ્રતા વિશે જોઇએ..

  1. અવ્યગ્રતા - દેવદર્શન કે અન્ય કોઇ પણ ધાર્મિક ક્રિયામાં અવ્યગ્રતા લાવ​વી જોઇએ.. એટલે કે આપણું મન વ્યગ્ર ન થ​વું જોઇએ… જો સાધના વખતે દુન્ય​વી બાબતના હર્ષ​-શોક થતા હોય, ખાવા પીવાની બાબતમાં અથ​વા તો વેપાર​-ધંધાની બાબતમાં કે અન્ય કોઇ પણ બાબતોમાં જો મન વ્યગ્ર થાય તો સાધનાનો રંગ બગાડી નાખશે…

આપણે અવ્યગ્રતા વિશે એક દ્રષ્ટાંત જોઇએ…

સ્કંધકાચાર્ય દ્રષ્ટાંત


સ્કંધકાચાર્ય ભગ​વાન શ્રીમુનિસુવ્રત સ્વામિને પુછે છે..

“પ્રભુ ! હું મારા સંસારી બહેન-બનેવીને પ્રતિબોધ આપવા જાઉં?”

  • ભગ​વાન​: તને અને તારા સર્વ શિષ્યોને મારણાન્તિક​ ઉપસર્ગ થવાનો છે.

  • સ્કંધકાચાર્ય: કૃપાળુ ! ઉપસર્ગથી તો અમે જરાય જ ડરતા નથી. દીક્ષાના દિવસથી જ આપે અમારામાંથી મૃત્યુનો ભય ખેંચી લીધો છે. સાધકને વળી મૃત્યુનો ભય કેવો ? એ તો મોતને મૂઠીમાં લઇને ફરે. મોતથી ડરનારો લડવૈયો ન બની શકે ને સાધક પણ ન બની શકે. આપની આવી વાણી આજે પણ અમારા કાનમાં ગુંજી રહી છે. એટલે જીવલેણ ઉપસર્ગથી તો અમે જરાય ડરતા નથી. પણ કૃપા કરીને અમને એ જણાવો : અમે તે સમયે આરાધક થઇશું કે વિરાધક ? મૃત્યુનો જરાય ડર નથી, પણ વિરાધનાનો ખૂબ જ ડર છે.

  • ભગ​વાન​: તમારા સિવાય તમારા બધા જ શિષ્યો આરાધક બનશે.

  • હ​વે સ્કંધકાચાર્ય વિચારે છે: હું ભલે વિરાધક બનું, પણ મારા ૫૦૦ શિષ્યો તો આરાધક બનશે ને ? ક્રોડ રૂપિયા મળતા હોય તો એકાદ રૂપિયો ગુમાવવામાં ખોટું શું છે ? હું એક ભલે વિરાધક થાઉં. મારા શિષ્યો આરોધક બને એટલે પત્યું ! બીજાનું ભલું થાય તે જ મોટી વાત !

અને સ્કંધકાચાર્ય વળતા જ દિવસે શિષ્યો સાથે ચાલી નીકળે છે… અને તેમના સંસારી બહેન પુરંદરયશાના કુંભકારકટ નામના નગરમાં..

  • કુંભકારકટ નગરમાં જતા પહેલાં તેઓ બહારના ઉદ્યાનમાં રોકાય છે… એમના આગમનથી નગરમાં સર્વત્ર આનંદ-આનંદ છવાઇ ગયો હતો.. પણ એક વ્યક્તિને આનંદ નહોતો. એનું નામ હતું પાલક. રાજાનો એ મંત્રી હતો.

  • ગૃહસ્થપણામાં સ્કંધકાચાર્યએ પાલકને રાજસભામાં હરાવ્યો હતો. એ કટ્ટર નાસ્તિક હતો, સ્કંધકાચાર્ય કટ્ટર આસ્તિક હતા. એણે જ્યારે આત્મા, પુણ્ય પાપ વગેરેનું આડેધડ ખંડન કરવા માંડેલું ત્યારે સ્કંધકાચાર્યથી રહેવાયું નહિ. સાચો આસ્તિક શી રીતે ચૂપ બેસી શકે ?
  • સ્કંધકાચાર્યએ તેના નાસ્તિકવાદનો જડબાતોડ જવાબ આપ્યો. આથી તેની બોબડી તો બંધ થઇ ગઇ… પણ મનોમન તે સમસમી રહ્યો… એના મનમાં વૈરની ગાંઠ બંધાઈ ગઇ. સભામાં થયેલું અપમાન (ખરેખર એ અપમાન ન્હોતું. પણ એણે અપમાન માની લીધેલું. એટલે જ આવા લોકો સાથે વાદ કરવાની જ્ઞાનીઓએ ના પાડી છે.) આજે પણ એ ભૂલ્યો નહોતો.
  • આથી જ કોઈ ષડયંત્ર રચી સ્કંધકાચાર્યને ફસાવી દઈ એ ભયંકર શિક્ષા આપવા માંગતો હતો. આમ કરે તો જ એના વેરની આગ શમે તેમ હતી.

  • જો કે આ વાતની સ્કંધકાચાર્યને ત્યારે જરાય ખબર નહોતી.
  • પાલકના મનમાં આટલો ડંખ હજુ રહેલો છે ને તે આવો બદલો લેશે તેની કોઇ જ ખબર સ્કંધકાચાર્યને ન્હોતી. આ બધી વાતની તો બહુ પાછળથી સ્કંધકાચાર્યને ખબર પડેલી.

  • ષડયંત્રના પ્રથમ ભાગરૂપે પાલકે પોતાના માણસો સાથે રાત્રે આવીને તેણે સ્કંધકાચાર્ય જ્યાં ઊતર્યા હતા તે ઉદ્યાનમાં ઠેર-ઠેર શસ્ત્રો દટાવ્યા. પછી રાજા પાસે જઇ કાન ભંભેરણી શરૂ કરી દીધી

હ​વે વધુ આગળના ભાગમાં જોઇશું…




શેર કર​વા નીચે ક્લિક કરો