🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૫૪: 'અહં ને મમ' એ મોહરાજાનો મંત્ર છે, એ જગતને અંધ બનાવનારો છે. 'અહં' એટલે અહંકાર, અને 'મમ' એટલે તૃષ્ણા...

આગળનાં ભાગોમાં આપણે નિશ્ચય અને વ્યવહાર વિશે જોયું…

૨૨A. અહંકાર​


  • ઉપાધ્યાયજી મહારાજ શ્રી જ્ઞાનસારમાં કહે છે…

“અહં ને મમ” એ મોહરાજાનો મંત્ર છે, એ જગતને અંધ બનાવનારો છે. “અહં” એટલે અહંકાર, અને “મમ” એટલે તૃષ્ણા…આ બેના હિસાબે જીવ અંધ બની પાપો કરે છે, અને એનાથી જન્મ-મ૨ણની લાંબી પરંપરા સર્જાય છે !

  • તેથી મૂળમાં અહંકાર અને તૃષ્ણા પર કાપ મૂકવો જોઈએ.
  • માણસને કોઈ મારતું હોય તો તે અહંકાર છે. એ માન કષાય છે.
  • જગતમાં જાણે ચાર કષાયોને જીવોએ વહેંચી લીધા છે !
    • દેવતાએ લોભ લીધો
    • નારકે ક્રોધ રાખ્યો
    • તિર્યંચે માયા રાખી
    • ને માનવે માન પકડ્યું !

અહંકારને તોડ​વા માટેના ઉપાયો:​


અરિહંતની વિશેષતાઓ વિચાર​વી…

  • પરમાત્માની જે વિશેષતાઓ છે તે ખ્યાલમાં ન આવે ત્યાં સુધી અહંકાર ન ખશે…
    • એટલે આપણે પરમાત્માની સમૃધ્ધિ કેવી !
    • ઇન્દ્ર જેવા ચામર ઢાળે !
    • પ્રભુના અતિશય કેવા !
    • ૩૫ અતિશયવાળી સર્વજ્ઞતાપુર્વકની વાણીથી વશીકરણ કર​વાની શકિત અપરંપાર !
    • દોષનું નામ નહીં અને ગુણનો પાર નહીં !
    • પ્રભુએ આગળ આગળ પગલું ક્યાં માંડ​વાનું? એની ચિંતા દેવો કરીને મલિન ધરતી પર પ્રભુના પગ ન પડ​વા દેવા, પગ નીચે સુવર્ણ કમળ સ્થાપે !
  • આ અલૌકિક સમૃધ્ધિ નજર સામે રહે તો આની આગળ કઇ સમૃધ્ધિ આપણને અહંકારના શિખરે ચડાવી શકે?

કર્મના અપમાન વિચાર​વા:

  • માણસ રોતો હોય કે હસતો હોય તે માનના યોગે. પરંતુ એમાં એ જોતો નથી કે કર્મ માન ક્યાં રાખે છે?
  • સ​વારથી સાંજ સુધી આપણે ઘણી ઇચ્છાઓ કરીએ છીએ પરંતુ કર્મ એમાંની ઘણી ઇચ્છાઓનું અપમાન કરે છે…
  • પરંતુ આપણને તો કોઇ બીજી વ્યકિતએ કરેલા અપમાન યાદ રહી જાય છે… પણ કર્મે કરેલા અપમાન… અનહદ છતાં તે આપણને યાદ પણ આવતા નથી…
  • એક વ્યક્તિના અપમાનમાં આપણને ગુસ્સો આવે છે અને વેર બાંધીએ છીએ અને કર્મના અનહદ અપમાન તો ગણ્યા પણ ગણાય નહીં… તો પણ આપણે તેના વિશે વિચારતા પણ નથી… આ કેવી આપણી કઢંગી દશા !
  • જો કર્મના અપમાન તરફ ધ્યાન દેવાય તો આપણે માન અને અહંકાર મુકી દેતા જરા પણ વાર ન લાગે માન મુકીએ એટલે ગુણો આવે અને દોષોનો ત્યાગ થાય​… આત્માની ઉન્નતિ થાય​…

અહંને બળીને ખાખ થઇ જાય તેવો ઉપાય છે - “ર”​.

  • “ર” અગ્નિબીજ કહેવાય છે. યોગીઓ ઘણીવાર “ર​” ના રટણથી કે ધ્યાનથી અગ્નિ ઉત્પન્ન કરી શકે છે એટલે કે અહં પર “ર​” (રેફ​) મૂકી દેવાથી અર્હં પદ થઇ જશે અને ઉઠતા-બેસતા એનું રટણ કરવાથી, જાપ કર​વાથી અહં બળી જશે અને અહં બળી જતા શુદ્ધ નમ​: ની પ્રાપ્તિ થશે.
  • અને જેને નમ​: કરશું તે અરિહંત પદ, સિદ્ધ પદ વગેરેની પ્રાપ્તિ શુદ્ધ નમ​: પદ કરાવશે.
  • આપણું હ્રદય અહંકારથી જ્યાં ખાલી થયું ત્યાં અર્હંનો પ્રકાશ પ્રગટ્યો સમજો.
  • આપણા હ્રદયમાં સળગતો અહંકારનો દિવો ઓલવી નાખીએ તો પરમાત્માની ચાંદની આપણા હ્રદયમાં જળકશે. સ્વને અહંકારશૂન્ય બનાવ​વું એ જ સમર્પણભાવ છે. એ જ સાધનાનું રહસ્ય છે.

પ્રભુદર્શન બીજી કોઇ વ્યક્તિ કરાવી શકે?


  • ભોજન જાતે કર​વું પડે છે. આપણા તરફથી બીજું કોઇ ભોજન કરી શકે નહીં તેવી જ રીતે સમર્પણભાવ આપણે કેળ​વ​વો પડે, બીજો કેળ​વે તે ન ચાલે. આપણે સમર્પણ કેળ​વીશું તો પ્રભુ અવશ્ય દર્શન આપશે જ.
  • પ્રભુના દર્શન કરતા જો “હું” ની વિદાય થઇ જાય તો પ્રભુ અંદર પ્ર​વેશી શકે…

જે ખાલી બને છે તે જ ભરાય છે.

  • એક ઝેન ગુરૂ હતા, તેની પાસે એક સાધક સાધના માટે આવ્યો. ગુરૂ એ જોયું કે સાધકનો અહં પ્રબળ છે અને હ્રદય ખાલી ન હોય તો સાધના કેવી રીતે પ્રવેશી શકે? એટલે તેણે સાધકને કહ્યું,


    પહેલા ચા તો પી! કિટલીમાથી ગુરૂ પોતે ચા પીરસ​વા લાગ્યા. કપ ભરાય ગયો. રકાબી ભરાવા લાગી. રકાબી ભરાય ગયા પછીય ગુરૂ ચા રેડ​વા લાગ્યા, જે જાજમ ઉપર રેલાવા લાગી.

  • સાધક કહે


    ગુરૂજી, હ​વે તો ચા જાજમ પર ઢોળાય છે

  • ગુરૂએ કહ્યું,


    તુ સમજ્યો?, કપ રકાબી ભરાયા પછી ચા નાખો તો એ ક્યાં જાય​? તેમ તારૂ હ્રદય અહંકારથી ભરાયેલું છે…. હું સાધના મૂકું ક્યા?

  • પ્રભુને અલગ રાખીને આપણે આત્મા મેળ​વ​વા માંગતા હોઇએ તો એ કોઇ કાળે નહીં બની શકે.
  • ભગ​વાનને કાઢીને માત્ર આત્મા રાખ​વા ગયા તો માત્ર અહંકાર જ રહેશે. જેને આપણે આત્મા માનવાની ભૂલ કરશું.
  • પણ જો પ્રભુને પકડી રાખશું તો આત્મ દર્શન થશે જ. પ્રભુ પોતે જ એક દિવસ કહેશે,

તું અને હું કંઇ અલગ નથી, આપણે બંને એક જ છીએ.

હ​વે પછીના ભાગમાં આપણે ભરત અને બાહુબલીનું અહંકાર અને અભિમાનનું દ્રષ્ટાંત જોઇશુ…




શેર કર​વા નીચે ક્લિક કરો