🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૭૩: દોષ બીજાનો હોય અને આપણે તે ન જોઇએ તો લોકો આપણને નમાલા ન સમજે?

આપણે આગળનાં ભાગમાં અઈમુત્તા મુનિનું દ્રષ્ટાંત જોયું…

પરદોષ દર્શનને બદલે સ્વદોષ દર્શન


  • પરદોષ દર્શનને બદલે સ્વદોષ દર્શન કર​વાથી આત્મ-જાગૃતિ રહે છે.
  • આમાં ફક્ત એટલું જ કર​વાનું છે કે જ્યાં આપણે બીજાના દોષ જોવા પ્રેરાઇએ છીએ, ત્યાં એમ ન કરતાં આપણા
    • પોતાના દોષ જોવા.
    • એટલું જ નહીં, આપણા દોષ હાલતાં અને ચાલતાં જોયા કર​વા જેથી આપણી ખામીઓનો સચોટ ખ્યાલ રહેવાથી ન​વી ભૂલો ઓછી થાય
    • તેમજ, બીજાના દોષને બદલે આપણા દોષ જોવાથી એ લાભ થાય કે બીજા ઉપર ગુસ્સો કરી જેમતેમ બોલ​વાનું બંધ થઇ જાય અને આપણી સજ્જનતા વધે.

હ​વે પ્રશ્ન એ થશે કે જો દોષ બીજાનો હોય અને આપણે તે ન જોઇએ અને આપણે આપણા જ દોષ જોઇએ રાખીએ તો લોકો આપણને નમાલા ન સમજે?

  • આ મોટી ભૂલ છે. જો દોષ સામાનો હોય અને આપણે હ્રદયમાં સાચેસાચ આપણા દોષ જોવાની વૃતિ ઉભી થાય ત્યારે એની અસર સામા ઉપર પણ સરસ પડે છે.
  • આપણા મન ઉપર પણ સુંદર અસર થ​વાથી આપણો વર્તાવ કુદરતી આકર્ષક બને છે તેમ છતા જો કોઇ આપણને નમાલા ગણે તો તેથી કરીને શું આપણે આપણી ગુણસંપત્તિ ગુમાવ​વી?

પરદોષ દર્શન અને સ્વદોષનું અ-દર્શન એ ગુણસંપત્તિ ગુમાવ​વાનો રસ્તો છે. આ અંગે આપણે શાસ્ત્રમાં આવતું એક દ્રષ્ટાંત “અચ્યુંકારી ભટ્ટા” નું જોઇએ.

અચ્યુંકારી ભટ્ટા


  • અચ્યુંકારી ભટ્ટા આઠ ભાઈ પછી જન્મેલી, અને એનું નામ હતું ભટ્ટા, પણ લોકો તેને અચ્યુંકારી ભટ્ટા તરીકે ઓળખતા….

  • સામાન્ય રીતે માણસ પુત્રીના જન્મ વખતે આનંદિત નથી થતો… અરે એ જમાનામાં ઘણીવાર તો એવું બને કે મા-બાપ જ બાળકીને ‘દૂધ-પીતી’ કરી નાખે.
  • દીકરી એટલે દુઃખનો ભંડાર !
  • દીકરી એટલે સાપનો ભારો !

  • દીકરીનો પિતા હંમેશ દુઃખી જ હોય !
  • દીકરીને પરણાવતાં પહેલાં તો દુઃખી હોય જ, પરણાવ્યા પછી પણ કંઈક ને કંઈક ઉપાધિ ઊભી જ હોય.
  • માટે જ કન્યાને ઉપાધિનું પોટલું સમજીને માણસ તેનો ‘નિકાલ’ કરી દેતો હોય છે.
  • આજે ગર્ભ-પરીક્ષણ આટલા માટે જ થાય છે ને? ખબર પડી જાય કે ગર્ભ બાળકીનો છે, એટલે તરત જ ‘નિકાલ’ !

બિચારી સ્ત્રી ! વગર વાંકે માનવ-ભવ હારી જાય !

પણ અચ્યુંકારી ભટ્ટા એ અર્થમાં ભાગ્યશાળી હતી.

  • ઘણા-ઘણા અરમાનો પછી એ જન્મેલી હતી.
  • ભટ્ટાનાં માતા-પિતા તો તેને સાક્ષાત લક્ષ્મી જ ગણતા.

તેના પિતાએ તો બધાને કડક સૂચના આપેલી,

ખબરદાર ! કોઇએ આની સામે ચૂં પણ કર્યું છે તો !
એટલે તેની સામે કોઇ ચૂંકારો પણ કરતું નહિ.
આથી તેનું નામ પડ્યું અચ્યુંકારી ભટ્ટા !

પ્રેમનો અભાવ બાળકના વિકાસને ગુંગળાવી નાખે છે,
તેવી જ રીતે અતિશય પ્રેમ પણ બાળકને બગાડી નાખે છે.

  • વરસાદના અભાવે દુકાળ પડે છે, તેમ અતિશય વરસાદથી પણ લીલો દુકાળ પડતો રહે છે.

અચ્યુંકારી ભટ્ટા પર પ્રેમની અતિવૃષ્ટિ થઇ રહી હતી.

  • બધાય તેને લાડ લડાવે, બધાય તેને સલામ ભરે, બધાય તેનું કહ્યું કરે એટલે તે અત્યંત અહંકારી, સ્વકેન્દ્રિત બની ગઇ.
  • તેને એમ જ લાગવા માંડ્યું કે આખી દુનિયા તેના માટે જ બની છે.

  • વિશ્વ આખુંય તેની આસપાસ ચક્કર લગાવે છે, કેન્દ્રમાં તે જ છે, અતિશય પુષ્ટ થયેલો અહંકાર આવું જ શીખવે ને ?

હ​વે આગળના ભાગમાં આપણે જોઇએ કે અચ્યુંકારી ભટ્ટા ને તેનો અહંકાર અને સ્વકેન્દ્રી પણું ક્યા લઇ જાય છે?




શેર કર​વા નીચે ક્લિક કરો