ભાગ ૯૪: જિનવાણી એ શ્રાવકને મળેલુ વરદાન છે.
આગળના ભાગમાં આપણે જોયું કે જિનવચનના આલંબને મેતારજ મુનિને ઘોર પીડામાં અને મરણાંત કષ્ટમાં દુ:ખ ન લાગ્યું અને એથી જ એ ત્યાં જ કેવળજ્ઞાન પામી મોક્ષે સિધાવ્યા
હવે આગળ,
આજ્ઞા
જિનવાણી તો સાંભળવી જ જોઇએ એ પ્રભુની આજ્ઞા છે.
- એક બાજુ જિનભક્તિ કરે અને વ્યાખ્યાન સાંભળવાની વાત આવે તો કહે
- પૂજામાં ૧.૫ કલાક થાય તો સમય ક્યાંથી મળે? (વ્યાખ્યાનમાં કંટાળો આવે છે તેથી કહે)
- પણ એને એમ કહેવામાં આવે કે પૂજાનો સમય આઘો-પાછો રાખી જિનવાણી સાંભળવી જોઇએ તો કહે,
ધર્મ માત્ર વ્યાખ્યાન સાંભળવામાં જ છે?
જિનભક્તિમાં ધર્મ નથી?
- આનો અર્થ એ થયો કે એને પ્રભુની આજ્ઞાની પરવાહ નથી. જિનાજ્ઞાનું બંધન નથી, આપમતિ છે, પછી ભલે સારી જિનપૂજા કરી પણ જિનાજ્ઞાની આરાધના ન આવે.
- જિનવાણી એ શ્રાવકને મળેલુ વરદાન છે કારણ કે જુદા-જુદા ગુરૂ ભગવંતો દરેક ચોમાસામાં સ્વયં શ્રાવકો પાસે આવે છે અને તેઓ શાસ્ત્રોમાંથી મળેલુ નવનીત શ્રોતાઓને પીરસે છે, ઉદારતાથી વાણી દ્રારા દાન કરે છે,
- નહીં કે જેમ પૂર્વકાળમાં કેટલાક સ્થળે ઘી માટે દહીં વલોવે તો નવનીત (માખણ) પોતે સંઘરી લે અને છાસ ઉદારતાથી લોકોને દાન કરે છે.
- જ્યારે અહીં નવનીતનું દાન થાય છે.
- આત્માનું ઉર્ધ્વીકરણ થવામાં વિશેષ કારણ હોય તો શાસ્ત્રશ્રવણ છે.
- પ્રભુપૂજા, સામાયિક આદિ અનુષ્ઠાનો વહેલા-મોડા પોતાની સગવડે પણ કરી શકાય.
- પરંતુ જ્યારે સમગ્ર શ્રોતાવર્ગ ચોક્કસ સમયે, નિયત સ્થાને એકઠો થાય, વળી વક્તા ગુરૂ મહારાજ નો યોગ થાય ત્યારે જ શ્રવણ મેળવી શકાય છે. આથી શ્રવણ યોગ પરાધીન છે. નિરંતર તેવા યોગો જીવને સાંપડી શકતા નથી.
આજે દેવદર્શન, દયા, દાનાદિ ધર્મ હજી દેખાય છે.પરંતુ રોજ જિનવાણી શ્રવણની ઘણી ઉપેક્ષા જોવામાં આવે છે.
- રોજ જિનવાણીનું શ્રવણ કરવામાં આવે તો…
- અહિંસાના ભાવ નિર્મળ, સહજ અને આત્મસાત બનતા જાય,
- અંતરાત્મામાં ભરાઈ પડેલા દોષ દુર્ગુણોની પિછાણ થાય,
- નવનવાં સુકૃત, નવી નવી સાધનાઓ અને ઊંચા ઊંચા ગુણોની જાણકારી અને પ્રેરણા પ્રોત્સાહન મળવા પર એનો પુરુષાર્થ વિકસતો જાય, તેથી જીવન ઉન્નત્તિના માર્ગે પ્રયાણ કરતું રહે.
- વિષય વૈરાગ્ય, ધન વૈરાગ્ય, કષાયોપશમ દ્રઢ અને વૃદ્ધિ પામે.
- જો જિનવાણીનું નિત્ય શ્રવણ નહીં કરવામાં આવે તો
- કદાચ અણુવ્રત લીધા હોય અને બીજા અણુવ્રતથી વેપારમાં જૂઠું નહીં બોલીએ પરંતુ સાચું બોલીને મળેલા લાભમાં અતિ આનંદ આવશે
- અથવા તો ક્યારેક દયા છોડીને પણ સાચું પકડી રાખશું!
- પાંચમાં વ્રતથી પરિગ્રહનું પરિમાણ નહીં ઓળંગીએ પણ મર્યાદાની અંદરના પરિગ્રહને કિંમતી સમજી હર્ષ અને મદ સારી રીતે કરશું. જો આવું થાય તો વિરતીનો શો અર્થ?
- પહેલા વ્રતથી ત્રસજીવની હિંસા નહીં કરીએ પણ સ્થાવર જીવોની હિંસામાં નિષ્ઠુરતા હોય તો હૈયામાં કોમળતા કેવી રીતે આવે?
- ઘર-દુકાન, ધંધો, નોકરી વગેરે તો સંભાળશું પણ દેરાસર-ઉપાશ્રયનું સંઘના માથે રાખશું.
- પરમાર્થ પાછળ કાંઇ ખર્ચ નહીં કરીએ અને વ્યવહાર પાછળ અઢળક ખર્ચ કરશું.
આ કાળમાં તરવા માટેના ૨ સાધનો છે:
- ૧) જિનબિંબ
-
૨) જિનાગમ
- અને આમાં પણ જિનાગમ એ જિનબિંબની ઓળખાણ અને ઉપાસના નો પ્રકાર બતાડે છે તેથી જિનાગમની તો બલિહારી છે!
- આત્માને જે નિગોદથી આટલે ઉંચે આર્યમાનવ ભવ મળ્યો છે એ સાર્થક તો જ થાય જો જિનાગમનું શરણ લેવાય.
- સાચા દાન અને સાચા ત્યાગને જિનાગમે જ બતાવ્યા છે.
જિનવાણી
- નાસ્તિકને આસ્તિક બનાવે છે.
- ક્રોધીને ક્ષમાશીલ બનાવે છે.
- રાગી જીવોને વિરાગી બનાવે છે.
- કામીને બ્રહ્મચારી બનાવે છે.
જિનવાણી સાંભળવાથી
- પુર્વગ્રહો નીકળતા જાય છે.
- ગુણગ્રાહી દ્રષ્ટિ આવતી જાય છે.
- ચર્ચા,ટીકા વગેરે ગમતા નથી.અંદરથી શાંત બને છે.
- બહારની પ્રવૃતિઓમા વિવેક આવે છે.
આચાર્ય ભગવંત હરિભદ્રસુરિજી મહારાજે કહ્યું હતુ:
અહો ! જગત પર જો જિનાગમ ન હોત તો અનાથ એવા અમારૂં શું થાત?
- કારણ કે અત્યારે કેવળી ભગવંત હયાત નહીં,
મન: પર્યાયજ્ઞાની હયાત નહીં,
અવધિજ્ઞાની હયાત નહીં,
આવા સમયમાં જો માર્ગદર્શક જિનાગમ ન મળ્યા હોત તો અમે અનાથ જ હોત. - ખરેખર જિનાગમ એ દીવો છે.
- જેમ અંધારી ગુફામાં ગમેતેવા રત્નોના ઢગ હોય પણ દીવા વિના એ શી રીતે દેખાય?
- મોક્ષ છે અને તેના ઉપાય પણ છે એ બધાનું સાચું ભાન કરાવનાર જિનાગમ જ છે.
- જિનાગમના દર્શનથી કેટલાય આત્માઓ અલ્પકાળમાં આત્માનું મહાન કલ્યાણ સાધી ગયા છે.
એ જિનાગમની ગાથાના એક અર્થ જાણવા માટે
- મહાવિદ્વાન પૂરોહિત હરિભદ્ર બ્રાહ્મણને જ્ઞાનની ભૂખ હતી એટલે તેમણે એવી પ્રતિજ્ઞા લીધેલી કે જગતનું કોઇપણ શાસ્ત્ર જો હું ન સમજી શકું તો સમજવા માટે જરૂર પડ્યે સામાનો ગુલામ થઇને પણ જાણી લઉં.
- એકવાર જૈન શાસ્ત્રની “ચક્કી દુગં…” ગાથાનો અર્થ ન સમજી શક્યા અને એ વિદ્વાન બ્રાહ્મણે એક પણ ડગલું પાછું ન ભર્યું અને સાધુપણું સ્વીકારી લીધું.
જે અંદર અશાંત હોય તેને બહાર ભુલો થાય છે પણ જિનવાણી સાંભળવાથી આત્મા શાંત બનતો જાય છે.
હવે પછીના ભાગમાં આપણે જિનવાણી માટે સારા ઘર્મશ્રોતાના ગુણો વિશે જોઇશું
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶