🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૮૭: દુઃખનો પ્રતીકાર કરવાથી કે દીનતાપૂર્વક દુઃખ વેઠવાથી સંસાર વધે છે અને દીનતા વગર દુઃખ વેઠી લેવાથી સંસાર કપાય છે. શું કરવું છે ?

આગળના ભાગમાં આપણે જોયું કે પરમાત્માના શાસનની હિંસા અને અહિંસાનું સ્વરૂપ સમુદ્રના ઉંડાણ જેવું છે અને જાણ્યું કે, રથયાત્રામાં હાથી-ધોડા ઉપર બેસ​વું એ શું હિંસા છે ? તેમજ મહાપૂજામાં લાખો ફૂલોનો થતો શણગાર એ શું હિંસા છે ?

હ​વે આગળ,

આજ્ઞા


અહિંસાના વિષય​માં ઘણા એવું માને છે કે જીવ મરે તો જ હિંસા, પણ પ્રાણ ૧૦ પ્રકારે છે.

  • પાંચ​ ઇન્દ્રિય, મન​, વચન​, કાયા, શ્વાસોશ્વાસ અને આયુષ્ય​.
  • આમાંથી કોઇ એકને પણ હાનિ પહોંચે તો હિંસાનું પાપ લાગે.
  • જેમકે કોઇના મનને ઠેસ પહોંચાડીએ તો મન નામના પ્રાણની હિંસા થઇ.

એકબાજુ ઘરના લોકોને - માતા, પિતા, ભાઇ, બહેન​, પત્ની, સંતાન વગેરેને દુ:ખ પહોંચાડે અને બીજી બાજુ જીવદયા કરે તો એ ચાલે?

  • આપણને દુ:ખ થાય તો વાંધો નહીં પણ બીજાને મનદુ:ખ થાય એવુ નથી કર​વું એ સાચી અનુકંપા.
  • મને જેમ સુખ ગમે છે અને દુ:ખ નથી ગમતુ તેમ દરેક જીવોને સુખ ગમે છે, દુ:ખ કોઇને ગમતુ નથી. માટે, મારે કોઇને પણ દુ:ખ આપ​વું નથી.
  • બીજાનું દુ:ખ ટાળ​વું એ આપણા હાથની વાત નથી, પરંતુ બીજાને આપણા તરફથી દુ:ખ ન આપ​વું એ આપણા હાથની વાત છે.

દુઃખનો પ્રતિકાર​ કરવાથી કે દીનતાપૂર્વક દુઃખ વેઠવાથી સંસાર વધે છે અને દીનતા વગર દુઃખ વેઠી લેવાથી સંસાર કપાય છે.

  • સહન નથી થતું એમ કહીને પ્રતિકાર​ કરવોે કે સંસાર પૂરો કરવા સહનશીલતા કેળવી લેવી?
  • દુ:ખ ન આપ​વુ એ જેમ ભગ​વાનની આજ્ઞા છે તેમ કોઇએ પણ આપેલું દુ:ખ વેઠી લેવું એ પણ ભગવાનની આજ્ઞા છે પણ તે આપણને ગમતી નથી કારણ કે આપણે આપણી જાતને નિર્દોષ માનીએ છીએ. અહીં ગૌતમબુદ્ધનું એક દ્રષ્ટાંત આપણે જોઇએ.

ગૌતમબુદ્ધના ભિક્ષુઓ જ્યારે ભિક્ષાએ જ​વા નિકળ્યા ત્યારે ગૌતમબુદ્ધ:

હે ભિક્ષુઓ ! તમે જે ક્ષેત્રમાં ભિક્ષાએ જાઓ છો ત્યાં તમને કોઇ ભિક્ષા નહીં આપે તો ?

ભિક્ષુઓ:

કાંઇ વાંધો નહીં, તિરસ્કાર તો નહીં કરે ને ?

ગૌતમબુદ્ધ:

તિરસ્કાર કરશે તો?

ભિક્ષુઓ:

મારશે તો નહીં ને?

ગૌતમબુદ્ધ:

મારશે તો?

ભિક્ષુઓ:

મારી તો નહીં નાખે ને?

ગૌતમબુદ્ધ:

મારી નાખશે તો?

ભિક્ષુઓ:

ભલે મારી નાંખે. આત્માને તો નહીં જ હણે ને?

  • ત્યારે ગૌતમબુદ્ધ પ્રસન્ન થઇ ને કહે છે, જો આટલી તૈયારી હોય તો ખુશી થી જાઓ.

ગૌતમબુદ્ધના અનુયાયીમાં જો આટલી ક્ષમતા હોય તો આપણે તો શ્રી મહાવીર પ્રભુના અનુયાયી છીએ ને!

  • ભગવાનની આજ્ઞા પાડ​વા માટે ગમે તેવુ દુ:ખ વેઠ​વું પડે તો તેમાં જરાય પાછીપાની નથી કર​વી એવો આપણો દ્રઢ નિર્ધાર હોય જ ને ! આ થઇ તિતિક્ષા.

અનુકંપા અને તિતિક્ષા

  • આ બે પરિણામ ભેગા થાય તો સાચો અમારિધર્મ આવે.
  • એકલી અનુકંપાથી નિસ્તાર નથી, જેની તિતિક્ષા કાચી તે અનુકંપા સાચ​વી ન શકે.
  • જેને દુ:ખ સહન કર​વાની વૃતિ ન હોય તેને બીજાને દુ:ખી બનાવ્યે જ છૂટકો થ​વાનો.
  • બીજાનું દુ:ખ ટાળ​વા માટે જાતે દુ:ખ ભોગ​વી લેવા સિવાય બીજો કોઇ ઉપાય નથી.

જે સહનશીલ બને તે બીજાનું દુ:ખ મજેથી ટાળી શકે.

આવતા ભાગમાં આપણે શ્રી શાંતિનાથ ભગ​વાનના જીવે પારેવાને અભયદાન કઇ રીતે આપ્યું તે જોઇએ…




શેર કર​વા નીચે ક્લિક કરો