🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

દિવસ-૭: શ્રી વિમોક્ષ અધ્યયન

વેલકમ ટુ શ્રી આચારાંગ વાચનાસત્ર… દિવસ-૭ !

  • આધાર: શ્રી વિમોક્ષ અધ્યયન (અધ્યયન-૮)

વ્યાખ્યાતા:

  • આચાર્ય શ્રી જયસુંદર સૂરીશ્વરજી મ. સા.

આ રહ્યા શ્રી આચારાંગ વાચનાના અમૃત અંશો:


ભગવાનના શ્રીમુખે ત્રિપદી શ્રવણનો કેવો પ્રભાવ…?!!!

  • ગણધરોએ અંતર્મુહુર્તમાં ૧૪ પૂર્વ અને ત્યારબાદ ૧૧ અંગની રચના કરી શ્રુતધર્મનું જબરજસ્ત ઉત્થાન કર્યું.

આગમ ૨ પ્રકારે:

  • સૂત્રાગમ
  • અર્થાગમ

  • શ્રાવકોને સૂત્રથી આગમ ભણવા માન્ય નથી પણ અર્થથી પાત્રતાનુસારે અપાય છે.

મોક્ષ એટલે શું?

  • એ જૈનના બચ્ચાને સમજાવવું પડે?
  • મોક્ષ એ નવતત્વનું છેલ્લું નવમું તત્વ છે.
  • બધા આર્યદર્શનોમાં મોક્ષની વાત છે પણ જૈનદર્શન જેવું મોક્ષનું સચોટ દર્શન અન્ય ક્યાંય નથી.
  • “કૃત્સ્નકર્મક્ષયો મોક્ષઃ” (તત્ત્વાર્થ) - સર્વકર્મનો ક્ષય એ મોક્ષ છે.
  • આવા વિશિષ્ટ મોક્ષ અર્થાત્ વિમોક્ષનું નિરૂપણ જેમાં છે તે વિમોક્ષ અધ્યયન.

આકર્ષક સ્થળનું વર્ણન સાંભળતા ત્યાં જવાનું આકર્ષણ થાય તે સહજ છે

  • તેમ મોક્ષનું વર્ણન સાંભળી ત્યાં જવાની આતુરતા જાગે છે???

જૈનશાસન એટલે-

Unity in diversity
અનેકતામાં એકતા…
ભેદમાં અભેદ…

સામાચારીભેદથી માર્ગભેદ નથી થતો.

  • પ્રત્યેક ગણધર ભગવંતો ની દ્વાદશાંગી સૂત્રથી ભિન્ન હોય તો પણ અર્થથી સમાન હોય છે.
  • જિનકલ્પી અને સ્થાવિરકલ્પીનું ધ્યેય એક જ હોવા છતાં આચારો અલગ હોય છે.
  • જૈનસંઘમાં આટલા સંપ્રદાય કે ફાંટા કેમ એવું કદી ન વિચારવું. કબીરવડ એક જ હોવા તેની શાખા - પ્રશાખા અનેક હોય તેમ…

  • શાસનમાં અનેક સંપ્રદાય એ વિવાદના કારણે જ હોય એવું નથી.
  • આ ભેદ સંપ, સુવિધા અને વ્યવસ્થા માટે હોય છે.

સંકલક:

  • મુનિ શ્રી ધર્મપ્રેમ વિજયજી
  • મુનિ શ્રી તીર્થપ્રેમ વિજયજી

આ અમૃત-અંશો, શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જૈન સંઘ ગોદાવરી-અમદાવાદમાં, મુનિરાજ શ્રી અનંતયશ વિજયજી દ્વારા સંશોધન કરાયેલ શ્રી આચારાંગ ચૂર્ણી તથા ટીકાના સંઘાર્પણ અવસરે ચાલેલા વાચનાસત્રના છે.

આચારાંગ વાચનાસત્રનાં બધા અમૃત-અંશો વાંચ​વા અહિં ક્લિક કરો




શેર કર​વા નીચે ક્લિક કરો