દિવસ-૧૦: સમગ્ર શ્રી આચારાંગ સૂત્ર
વેલકમ ટુ શ્રી આચારાંગ વાચનાસત્ર… દિવસ-૧૦ !
- સમગ્ર શ્રી આચારાંગ સૂત્ર
વ્યાખ્યાતા:
- આચાર્ય શ્રી ઉદયવલ્લભ સૂરીશ્વરજી મ. સા.
આ રહ્યા શ્રી આચારાંગ વાચનાના અમૃત અંશો:
જૈનશાસનમાં ચાર અનુયોગ કહ્યા છે.
-
તેમાં ચરણ - કરણાનુયોગ સૌથી મહત્વનો કહ્યો છે. કેમકે બાકીના ૩ અનુયોગ એના ટેકા માટે છે.
-
આચાર જૈનશાસનનો સાર છે. આચારથી વિચાર પ્રગટે છે, ટકે છે, વધે છે, બદલાય છે.
- પૃથ્વીમાંથી ચીસ નથી આવતી, આંસુ નથી દેખાતા, વેદના વ્યક્ત નથી થતી પરંતુ એમાં પણ જીવત્વ છે.
- જેમ બેભાન વ્યક્તિમાં સંવેદના હોય પણ તેની અભિવ્યક્તિ ના હોય તેમ…
- અગ્નિકાયને પેટાવવામાં દોષ વધુ છે, બુઝવવામાં ઓછો છે.
- કેમકે કોઈપણ જીવની ઉત્પત્તિમાં નિમિત્ત બનતા જ તેના નાશ, મૃત્યુમાં સહજ નિમિત્ત બનાય જ છે.
- પ્રભુએ વનસ્પતિ વિ. માં જીવત્વ દેખાડ્યું એ પ્રયોગ માટે નહીં પરંતુ કરુણા, સંવેદના, જયણા પ્રગટે માટે દેખાડ્યું.
આચારાંગ સૂત્ર માત્ર રેશમી પોથી કે જ્ઞાનભંડારમાં ન રહી જાય પણ જીવનમાં આવે એ વાચનાસત્રનો હેતુ છે.
આચારાંગજીમાં વ્રતની રક્ષા માટે અનેકવિધ ઉપાયો જણાવ્યા બાદ છેલ્લા ઉપાય તરીકે જણાવ્યું કે
- વ્રતની રક્ષા કાજે કોઈ અન્ય અવકાશ ના જ બચ્યો હોય તો દ્રવ્યપ્રાણના ભોગે પણ ભાવપ્રાણની રક્ષા કરે પરંતુ વ્રત ભંગ ના કરે,કેમકે જેને બચાવવાનું છે એને ગુમાવીને બીજું કશું બચાવવું વ્યર્થ છે.
- જે પેઢીમાંથી આચાર જાય એના પછીની પેઢીમાંથી વિચાર પણ જાય.
સંકલક:
- મુનિ શ્રી ધર્મપ્રેમ વિજયજી
- મુનિ શ્રી તીર્થપ્રેમ વિજયજી
આ અમૃત-અંશો, શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જૈન સંઘ ગોદાવરી-અમદાવાદમાં, મુનિરાજ શ્રી અનંતયશ વિજયજી દ્વારા સંશોધન કરાયેલ શ્રી આચારાંગ ચૂર્ણી તથા ટીકાના સંઘાર્પણ અવસરે ચાલેલા વાચનાસત્રના છે.
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶