🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

દિવસ-૪: શ્રી સમ્યક્ત્વ અધ્યયન

વેલકમ ટુ શ્રી આચારાંગ વાચનાસત્ર… દિવસ-૪ !

  • આધાર: શ્રી સમ્યક્ત્વ અધ્યયન (અધ્યયન-૪)

વ્યાખ્યાતા:

  • મુનિરાજ શ્રી કરુણાદૃષ્ટિ વિજયજી મ. સા.

આ રહ્યા શ્રી આચારાંગ વાચનાના અમૃત અંશો:


  • સમ્યક્ત્વ એ પારસમણિ છે. જેને સ્પર્શે તેનું મૂલ્ય વધી જાય. જ્ઞાન, ચારિત્ર અને તપ તેના સ્પર્શ થી સમ્યક્ જ્ઞાન ચારિત્ર અને તપ બને છે.

  • સમ્યક્ત્વ સહિતની આરાધના અસંખ્ય ગણી નિર્જરા કરાવે. મિથ્યાત્વીના તપ કરતા શ્રાવકની નવકારશી ચડે.

"સવ્વે જીવા ન હંતવ્વા"


  • ‘કોઈ પણ જીવને હણવા નહીં’ તે સમ્યક્ત્વની ભૂમિકા છે.

"તચ્ચં ચેતં, તહા ચેતં અસિમ્ ચેવ પવુચ્ચતિ"


  • સમ્યક્ત્વ નો સીધો અર્થ છે - રૂઆબ - રૂઆબ - રૂઆબ…!
  • જિનાજ્ઞા પ્રત્યેનું સ્વાભિમાન તે સમ્યક્ત્વ.
  • જેમ ક્ષત્રિય કટારીને વરેલો હોય તેમ સમકિતી આત્મા આજ્ઞાને વરેલો હોય.

  • સમ્યક્ત્વ એક કુમળું સસલું છે. જો આચારનું પાંજરું નહિ હોય તો વિષય - કષાયરૂપી ડાઘિયા કૂતરા તેને ફાડી ખાશે.

રાગનું કારણ છે - વસ્તુનું અપૂર્ણદર્શન…

  • વસ્તુના ભૂત અને ભાવીના પર્યાયોનું ચિંતન વૈરાગ્ય પ્રગટાવે છે.

  • આશા એવી આશ્ચર્યકારી બેડી છે જેનાથી બંધાયેલો દોડ્યા કરે અને નહિ બંધાયેલો સ્થિર રહે છે.

"જે આસવા તે પરિસ્સવા"


  • સમ્યક્દૃષ્ટિ જીવ માટે કર્મબંધના નિમિત્ત પણ કર્મનિર્જરાના નિમિત્ત બને છે.
  • જીવનના પ્રારંભિક તબક્કામાં જ્ઞાનયોગને પ્રાધાન્ય આપવું અને પાછલા વર્ષોમાં તપોયોગને પ્રાધાન્ય આપવું.

સંકલક:

  • મુનિ શ્રી ધર્મપ્રેમ વિજયજી
  • મુનિ શ્રી તીર્થપ્રેમ વિજયજી

આ અમૃત-અંશો, શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જૈન સંઘ ગોદાવરી-અમદાવાદમાં, મુનિરાજ શ્રી અનંતયશ વિજયજી દ્વારા સંશોધન કરાયેલ શ્રી આચારાંગ ચૂર્ણી તથા ટીકાના સંઘાર્પણ અવસરે ચાલેલા વાચનાસત્રના છે.

આચારાંગ વાચનાસત્રનાં બધા અમૃત-અંશો વાંચ​વા અહિં ક્લિક કરો




શેર કર​વા નીચે ક્લિક કરો