🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

દિવસ-૨: શ્રી લોકવિજય અધ્યયન

વેલકમ ટુ શ્રી આચારાંગ વાચનાસત્ર… દિવસ-૨ !

  • આધાર: શ્રી લોકવિજય અધ્યયન (અધ્યયન-૨)

વ્યાખ્યાતા:

  • મુનિરાજ શ્રી ધર્મપ્રેમવિજયજી મ. સા.

આ રહ્યા શ્રી આચારાંગ વાચનાના અમૃત અંશો:


  • “ઉપ્પને ઈ વા, વિગમે ઈ વા, ધુવે ઈ વા” આ ત્રણ શબ્દો ન હતા, પ્રભુ દ્વારા કરાયેલો શક્તિપાત હતો.

  • જન્મે બ્રાહ્મણ એટલે કે નવકાર પણ ન જાણનાર ગણધરો વિશાળકાય શાસ્ત્રરચના કરે છે. પ્રભકૃપાથી અશક્ય પણ શક્ય બને એનું બેજોડ ઉદાહરણ છે - દ્વાદશાંગી.
  • પ્રભુએ સર્વપ્રથમ આચારાંગ દ્વારા આચારની વાત કરી. પ્રભુએ પહેલા ધ્યાનાંગ કે જ્ઞાનાંગ ના દેખાડ્યું.

  • પ્રવૃત્તિ વિના પરિણતિની વાતો, ક્રિયા વિના જ્ઞાનની વાતો, વ્યવહાર વિના નિશ્ચયની વાતો, વિધિને ગૌણ કરીને આશયની વાતો કરવી તે ઉન્માર્ગ છે.

  • લોકવિજય અધ્યયન નો હાર્દ છે - વિષય અને કષાયરૂપી લોક પર વિજય મેળવવાની પ્રેરણા અને સચોટ તરકીબો.

"જે ગુણે સે મૂલટ્ઠાણે"


  • શ્વાસ ચાલુ છે ત્યાં સુધી શોખો છોડી દો તો સદ્ગતિ, શ્વાસ છૂટી જાય ત્યાં સુધી શોખો ચાલુ તો દુર્ગતિ.
  • દૂધપાકમાં ઝેર મારક લાગે છે પણ શું દૂધપાક મારક લાગે છે???

"અપ્પં ચ ખલુ આઉ.........
ખણં જાણાહિ પંડિએ"


  • સત્તાનું પદ મળી જાય પછી રાજકારણીઓ પૈસા બનાવી લેવા માટે કેટલા સજાગ અને સક્રિય હોય છે. માનવભવની દુર્લભ સીટ મળી ગયા પછી આપણે એટલા સજાગ ખરા???
  • આંખ ખૂલે અને મીંચાય ઘણી વખત પણ આંખ ઉઘડતી નથી.

"ણાલં તે તવ તાણાએ વા સરણાએ વા"


Family is not hopeless.
Family is helpless.

  • કોઈ કંઈ કરતું નથી એ દુર્ધ્યાન છે. કોઈ કંઈ કરી શકે એમ નથી એ શુભધ્યાન છે.
  • જે ખુદ લાચાર છે એને આધાર ન બનાવો.
  • Babysitter જેમ ૫૦ બાળકોની care કરે પણ મમત્વ ના કરે તેમ સાધક કુટુંબની માવજત કરે પણ મમત્વ ના કરે.

  • ‘સ્વજનદ્વેષી નરકં વ્રજેત્’ (શ્રી કલ્પસૂત્ર), સ્વજનનો દ્રોહ નરકગતિનું જો કારણ છે તો સ્વજન નો મોહ તિર્યંચગતિનું કારણ છે.

"જેણ સિયા તેણ નો સિયા"


  • જે બંધનનું કારણ બને તેના બંધાણી ક્યારેય ન બનો.
  • જે તમને પાડે તેવી ટેવ ક્યારેય ન પાડો.

વ્યાખ્યાતા:

  • મુનિરાજ શ્રીઅનંતયશ વિજયજી મ. સા.

"જહા પુણ્ણસ્સ કત્થતિ તહા તુચ્છસ્સ કત્થતિ"


  • વ્યક્તિના ઔદયિક ભાવને નહિ પણ ક્ષાયોપશમિક ભાવને, પુણ્યને નહીં પણ પાત્રતાને, બાહ્યસમૃદ્ધિને નહિ પણ આંતર સમૃદ્ધિને જોઈ ઉદ્બોધન કરવું.
  • જેમ રંકને તેમ રાજાને કોઈપણ અપેક્ષા વગર દેશના આપવી.
  • પુણ્યના આશિક બનવા કરતા ગુણના આશિક બનીએ.
  • અવસ્થા ગૌણ બની અને પાત્રતા મુખ્ય થઈ ત્યારે શાસનને સમ્રાટ સંપ્રતિની પ્રાપ્તિ થઈ.
  • સાધક સર્વજીવો પ્રતિ સમદૃષ્ટિ હોય.
  • ભિન્ન સામર્થ્ય વાળા ૨ સાધુઓ, પુત્રો કે પુત્રવધુ પ્રતિ સમ વ્યવહાર કરે.

સંકલક:

  • મુનિ શ્રી ધર્મપ્રેમ વિજયજી
  • મુનિ શ્રી તીર્થપ્રેમ વિજયજી

આ અમૃત-અંશો, શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જૈન સંઘ ગોદાવરી-અમદાવાદમાં, મુનિરાજ શ્રી અનંતયશ વિજયજી દ્વારા સંશોધન કરાયેલ શ્રી આચારાંગ ચૂર્ણી તથા ટીકાના સંઘાર્પણ અવસરે ચાલેલા વાચનાસત્રના છે.

આચારાંગ વાચનાસત્રનાં બધા અમૃત-અંશો વાંચ​વા અહિં ક્લિક કરો




શેર કર​વા નીચે ક્લિક કરો