🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

દિવસ-૯: દ્વિતીય શ્રી આચારાગ્ર શ્રુતસ્કંધ

વેલકમ ટુ શ્રી આચારાંગ વાચનાસત્ર… દિવસ-૯ !

  • દ્વિતીય શ્રી આચારાગ્ર શ્રુતસ્કંધ

વ્યાખ્યાતા:

  • મુનિરાજ શ્રી જ્ઞાતનંદનવિજયજી મ. સા.

આ રહ્યા શ્રી આચારાંગ વાચનાના અમૃત અંશો:


  • જૈનશાસનમાં સાધુ ભગવંતો માટે એવો સજ્જડ બંદોબસ્ત ગોઠવાયો છે કે, અશુભ ગણાય એવો એક પણ આતંકવાદી અંદર ઘુસપેઠ ન કરી શકે.
  • શ્રી આચારાંગ સૂત્ર ના આ બીજા શ્રુત સ્કંધ માં તમામ સાધ્વાચારની સમજણ આપવામાં આવી છે.
    • વેષ ગ્રહણ કરવો તે દ્રવ્ય શ્રમણત્વ.
    • આજ્ઞાનું પાલન, યતિધર્મ પાળવો એ ભાવશ્રમણત્વ.

સાધુના ઉપકરણો એટલે કે સંયમના સાધનોના ૨ પ્રકાર:

  • ઔઘિક = સર્વસામાન્ય ઉપકરણ
  • ઔપગ્રહિક = સહાયક ઉપકરણ.

સાધુ અને શ્રાવક નિત નવા અભિગ્રહો ગ્રહણ કરવામાં તત્પર હોય.

  • છતી શક્તિએ અભિગ્રહ ગ્રહણ ન કરીએ તો પ્રાયશ્ચિત આવે તેમ છેદસૂત્રોમાં જણાવ્યું છે.
  • જ્યાં જયણાનું પાલન ન થતું હોય તેવા સ્થાનોમાં શ્રમણ ગોચરી ન જાય.

પ્રભુએ કમાલ કરી છે…!

  • ઉત્સર્ગ માર્ગ ની ઉત્કૃષ્ટ સાધનાની વાત તો કરી પણ અશક્ત માટે અપવાદોનું નિરૂપણ પણ કર્યું.
  • સ્વપ્રશંસા કરી અન્યને નીચું દેખાડવાનું શ્રમણ ના કરે.
  • શ્રમણએ સહવર્તી સાધુની ભક્તિ કરવાની છે એમ શ્રાવકોએ સાધર્મિકને સ્વજન સમજીને ભક્તિ કરવાની છે.

સંકલક:

  • મુનિ શ્રી ધર્મપ્રેમ વિજયજી
  • મુનિ શ્રી તીર્થપ્રેમ વિજયજી

આ અમૃત-અંશો, શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જૈન સંઘ ગોદાવરી-અમદાવાદમાં, મુનિરાજ શ્રી અનંતયશ વિજયજી દ્વારા સંશોધન કરાયેલ શ્રી આચારાંગ ચૂર્ણી તથા ટીકાના સંઘાર્પણ અવસરે ચાલેલા વાચનાસત્રના છે.

આચારાંગ વાચનાસત્રનાં બધા અમૃત-અંશો વાંચ​વા અહિં ક્લિક કરો




શેર કર​વા નીચે ક્લિક કરો