ભાગ ૯A: नमो કે णमो - ક્યું સાચુ?
આગળના ભાગમાં આપણે સંપદા વિશે જોયું…
ઘણા પુસ્તકોમાં नमो અને ઘણામાં णमो હોય છે, તો આ બંને માં શું સાચુ?
- બંને પદ સાચા છે.
કેમ બંને પદ સાચા?
-
સંસ્કૃતમાં જ્યાં “न” હોય ત્યાં પ્રાકૃતમાં “ण” થાય છે.
- “न” દંત્ય વ્યંજન છે અને “ण” મૂર્ધન્ય વ્યંજન છે.
-
દંત્ય કરતાં મૂર્ધન્યનું ઉચ્ચારણ કઠિન છે.
- શ્રી સિદ્ધસેન દિવાકરે “નમસ્કાર માહાત્મ્ય” ની પ્રાકૃતમાં રચના કરી છે તેમાં “નમો” પદનો જ ઉપયોગ કર્યો છે.
-
બીજી બાજુ “ભગવતીસૂત્રમાં” - णमो પદનો જ ઉપયોગ કર્યો છે.
- આમ ઠેઠ પ્રાચીન કાળથી नमो અને णमो એ બંને પદો વિકલ્પે પ્રયોજાય છે.
- એટલે બંન્ને સાચા છે
- તેવી રીતે नमुक्कारो અને णमुक्कारो-णमोक्कारो બંને સાચા છે.
નવકારમંત્રમાં “नमो” પદ વધુ પ્રચલિત છે પરંતુ ધ્યાન ધરવામાં “णमो” પદની ભલામણ થાય છે.
-
नमो (णमो) ને ઉલટાવવાથી मोन (मोण) થશે.
-
मोन (मोण) એટલે મુનિપણું.
- મનને સંસાર તરફથી પાછું ફેરવવામાં આવે ત્યારે જ મુનિપણું પ્રાપ્ત થઈ શકે છે.
-
એટલે નમો પણ ત્યારે જ સાર્થક ગણાય કે જ્યારે તે સંસાર તરફથી મુખ ફેરવીને પંચપરમેષ્ઠિ તરફ વાળવામાં આવે.
-
મોનનો અર્થ જો મૌન કરવામાં આવે તો એનો અર્થ એ થયો કે જીવે હવે શાંત બની મૌનમાં સરકી અંતર્મુખ થવાનું છે.
-
नमो માં દ્રવ્યનમસ્કાર અને ભાવ નમસ્કાર હોય છે.
- ભાવ વગર દ્રવ્ય નમસ્કાર થાય તો તેનું ફળ કેવું હોય તે વિશે આવતા અંકે જોઇએ.
હવે પછીના ભાગમાં આપણે ભાવ વગર દ્રવ્ય નમસ્કાર થાય તો તેનું ફળ કેવું હોય? એ વિશે જોઇશું…
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶