ભાગ ૮B: સંપદા એટલે સિદ્ધિ
આગળના ભાગમાં આપણે સંપદા વિશે જોઇ રહ્યા હતા…
એક મત એવો પણ છે કે નવકારમંત્ર સંપદા એટલે વિશ્રામસ્થાન એવો અર્થ ન ઘટાવતા સંપદા એટલે સિદ્ધિ એવો સીધો અર્થ જ ઘટાવવો જોઇએ. એ રીતે નવકાર મંત્ર મા ૮ સંપદા એટલે આઠ સિદ્ધિ રહેલી છે.
નવકારમંત્રની આરાધના નિર્મળ ચિત્તથી, પૂરી નિષ્ઠા અને એકાગ્રતાપૂર્વક નીચેનાં આઠ પદનું ધ્યાન ધરવાથી આઠ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે એમ શાસ્ત્રકારો જણાવે છે:
- નમો - અણિમા સિદ્ધિ
- અણુ જેટલા સૂક્ષ્મ થઈ જવાની શક્તિ.
- નમો એટલે નમસ્કાર, નમવાની ક્રિયા, જ્યાં સુધી અહંકારનો ભાર છે ત્યાં સુધી નમાતું નથી, એ ભાર નીકળી જાય છે ત્યારે ભાવપૂર્વક નમવાની ક્રિયા થાય છે.
- નમવાનો મનોભાવ સૂક્ષ્માતિસૂક્ષ્મ છે.
- અરિહંતાણં - મહિમા સિદ્ધિ
- મહાન અને પૂજાવાને યોગ્ય થઈ જવાની શક્તિ.
- સિદ્ધાણં - ગરિમા સિદ્ધિ
- ઇચ્છાનુસાર મોટા અને ભારે થઈ જવાની શક્તિ.
- આયરિયાણં - લધિમા સિદ્ધિ
- ઇચ્છાનુસાર હલકા અને શીધ્રગામી થઈ જવાની શક્તિ.
- ઉવજ્ઝાયાણં - પ્રાપ્તિ સિદ્ધિ
- દૂરની વસ્તુને પાસે લાવવાની શક્તિ.
- સવ્વસાહૂણં - પ્રાકામ્ય સિદ્ધિ
- બધી જ ઇચ્છા અવશ્ય પાર પડે જ એવી શક્તિ.
- પંચ નમુક્કારો- ઈશિત્વ સિદ્ધિ
- બીજા ઉપર પ્રભુત્વ, સ્વામિત્વ કે સત્તા ધરાવવાની શક્તિ.
- મંગલાણં - વશિત્વ સિદ્ધિ
- બીજાને વશ કરવાની શક્તિ.
હવે પછીના ભાગમાં આપણે नमो કે णमो - ક્યું સાચું? એ વિશે જોઇશું…
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶